શોધખોળ કરો

Ambaji Banaskantha accident: અંબાજી નજીક ત્રિશુલિયા ઘાટી પર ત્રિપલ અકસ્માત, 32 ઘાયલ

Ambaji Banaskantha accident: અંજારના ભક્તો અંબાજી ખાતે દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી.

Triple accident Trishulia Gorge Ambaji: બનાસકાંઠાના અંબાજી નજીક આવેલી ત્રિશુલિયા ઘાટી પર આજે એક ભયાનક ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. એક લક્ઝરી બસ, કાર અને જીપ વચ્ચે થયેલા આ અકસ્માતમાં 32 લોકો ઘાયલ થયા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, અંજારના ભક્તો અંબાજી ખાતે દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. બસમાં કુલ 28 મુસાફરો સવાર હતા. પ્રાથમિક તપાસમાં બસની બ્રેક ફેઈલ થવાનું કારણ સામે આવ્યું છે.

ઘટનાની જાણ થતાં તાત્કાલિક 4 જેટલી 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલોને સારવાર માટે દાંતા રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વધુ સારવારની જરૂરિયાત ધરાવતા 6 ગંભીર ઈજાગ્રસ્તોને પાલનપુર ખાતે રીફર કરવામાં આવ્યા છે. હાલ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.

ઉલ્લેખનીય છે કે, ત્રિશુલિયા ઘાટી અકસ્માતનું હૉટસ્પૉટ માનવામાં આવે છે. ગત 7 ઓક્ટોબરે પણ અહીં થયેલા અકસ્માતમાં 4 લોકોના મોત નિપજ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં વારંવાર અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે.

અયોધ્યા જતી ગુજરાતી બસને નડ્યો અકસ્માત

અમદાવાદથી અયોધ્યા દર્શને જતી બસને અકસ્માત નડ્તાં બસમાં સવાર 51  લોકોને ઇજા થઇ છે જ્યારે ત્રણના મોત થયા છે. અકસમાત  ઉત્તર પ્રદેશના શાહજહાંપુર નજીક સર્જાયો હતો. દુર્ઘટનામાં બે વર્ષીય ઈશા પટેલ, 13 વર્ષીય યુગનું  અને 60 વર્ષીય રાધાબેનનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. ઉલ્લેખનિય છે કે આ બસ અમદાવાદથી અયોઘ્યા જઇ રહી હતી, આ દરમિયાન ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ઘરી છે.

તો બીજી તરફ ગુજરાતમાં વધુ એક આગથી હોનારતની ઘટના સામે આવી છે. દક્ષિણ ગુજરાતમાં નવસારીમાં ગોડાઉનમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના સામે આવી હતી, જેમાં ત્રણ લોકોના મોત થયા હોવાના પણ રિપોર્ટ છે. આ આગ નવસારીના ગણદેવીના દેવસર નજીક એક ગોડાઉનમાં લાગી હતી. ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં ભીષણ આગ લાગતાં ત્રણ લોકોનાં મોત નીપજ્યા છે. જ્યારે ચાર લોકોને સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

માહિતી પ્રમાણે, નવસારીના ગણદેવીના દેવસર ગામે એક ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. ટ્રેકમાંથી કેમિકલના બેરલ ખાલી કરતા બનાવ બન્યો હતો. આગ લાગતા ગોડાઉનમાં કામદારો ફસાયા હતા, અને આ દરમિયાન ત્રણ લોકોના મોત થયા હતા, જ્યારે અન્ય ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. પ્રાથમિક તારણમાં લાગી રહ્યું છે કે આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોઇ શકે છે. ગોડાઉનમાં કેમિકલનો જથ્થો હોવાની આગ વધુ પ્રસરી શકે છે. બનાવ બાદ બિલીમોરા, ગણદેવી, નવસારી, ચીખલીના ફાયર ફાઈટરની ટીમ સ્થળ પર પહોંચી છે. બિલીમોરા પોલીસ પણ સ્થળ પર પહોંચી છે. જ્યારે ગોડાઉનમાં કેમિકલ હોવાથી આગ વિકરાળ બની છે. ગોડાઉનમાં કેમિકલનો જથ્થો હજુ પણ વધુ માત્રામાં હોવાના કારણે આગ વિકરાળ બની શકે છે. ગોડાઉનમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યું કરવાની કાર્યવાહી પણ ચાલી રહી છે.

આ પણ વાંચોઃ

વક્ફ બિલનો વિરોધ, RSS પર પ્રતિબંધ, મુસ્લિમોને અનામત... MVAને સમર્થન આપવા માટે ઉલેમા બોર્ડે મૂકી આ 17 શરતો

ટોપ સ્ટોરી

Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર
Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
Embed widget