શોધખોળ કરો
Advertisement
ગીર સોમનાથના સુત્રાપાડામાં માછીમારોના બે જૂથ વચ્ચેના અથડામણમાં એકનું મોત, લોકોનાં ટોળેટોળાં આવ્યાં
ગીર સોમનાથના જિલ્લાના સુત્રાપાડના ધામળેજ બંદરે એક જ કોમના બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં લોકોનાં ટોળેટોળાં રોડ પર જોવા મળ્યાં હતાં. આ ઘટનામાં એકનું મોત થયું હતું
ગીર સોમનાથઃ સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન યથાવત છે. ત્યારે લોકો પોતાના પરિવાર સાથે ઘરોમાં કેદ થઈ ગયા છે જોકે ઘણામાં લોકો એવા છે જે લોકડાઉનન નિયમનું પાલન કરી રહ્યાં નથી. ત્યારે ગીર સોમનાથના જિલ્લાના સુત્રાપાડના ધામળેજ બંદરે એક જ કોમના બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં લોકોનાં ટોળેટોળાં રોડ પર જોવા મળ્યાં હતાં. આ ઘટનામાં એકનું મોત થયું હતું જ્યારે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતાં.
સુત્રો પ્રમાણે, ગીર સોમનાથના સુત્રાપાડાના ધામળેજ બંદરે એક જ કોમના બે જૂથો સામસામે આવી ગયા હતાં. ફિસિંગ કરવા બાબતે બે જૂથો લાકડીઓ અને અન્ય હથિયારો લઇને આમને સામને આવી ગયા હતા.
માચીમારોના બે જૂથ વચ્ચે થયેલી અથડામણમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જ્યારે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ અંગે જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ત્યાર બાદ સમગ્ર ઘટનાની માહિતી લઈને કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ગુજરાત
દેશ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion