શોધખોળ કરો

આજથી ગુજરાતના કયા જાણીતા મંદિરના દ્વાર ખુલ્યા? ભક્તો માટે કેવા બનાવાયા નિયમો? જાણો વિગત

મંદિરના દ્વાર ખુલતાં જ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મંદિરમાં યાત્રિકોને ટોકન સિસ્ટમથી પ્રવેશ આપવામાં આવશે. આ ઉપરાંત મોહનથાળનો પ્રસાદ પણ આપવામાં આવશે નહીં.

કોરોનાના કારણે ગુજરાતમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. જોકે થોડા મહિના બાદ લોકડાઉનમાં છૂટછાટ આપવામાં આવી હતી ત્યારે ધાર્મિક સ્થળોને હવે ખોલવાની મંજૂરી મળી ગઈ છે. ત્યારે આજે શક્તિપીઠ અંબાજી મંદિરના દ્વાર ખુલી ગયા છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર 83 દિવસ બાદ આજે ફરી ખુલતા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજથી શક્તિપીઠ અંબાણીના દ્વાર ખુલી ગયા છે. જેને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મંદિરમાં યાત્રિકોને ટોકન સિસ્ટમથી પ્રવેશ આપવામાં આવશે. આ ઉપરાંત મોહનથાળનો પ્રસાદ પણ આપવામાં આવશે નહીં. જો ભક્તોએ મંદિરમાં પ્રવેશ કરવો હશે તો ટોકન પદ્ધતિથી જ મંદિરમાં એન્ટ્રી કરી શકશો. પાવડી, પૂજા, પૂજાપાનો સામાન અંદર લઈ જઈ શકાશે નહીં. આ ઉપરાતં સંપૂર્ણ મેડિકલ ચેકઅપમાંથી દરેક યાત્રિકોને ફરજીયાત પસાર થઈને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે. મંદિરમાં યાત્રિકોની ભીડ ન થાય તે માટે દરેક યાત્રિકોને લાલ, પીળા જેવા કલના ટોકન આપવામાં આવશે. આ ઉપરાંત ગરબા, ભજન કે ધજાઓ ચઢાવી શકાશે નહીં. દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા તમામ નિયમો સાથે શરતોને આધિન રહી તેનું આવનાર દરેક યાત્રિકોએ પાલન કરવાનું રહેશે તેવી માર્ગદર્શિકા પણ બહાર પાડવામાં આવેલ છે. નોંધનીય છે કે, બે દિવસ પહેલા જ પ્રખ્યાત શામળાજી મંદિર ભક્તો માટે ખોલવામાં આવ્યું છે. જોકે ભક્તો માટે આકરા નિયમો બનાવવામાં આવ્યા છે. ભગવાન શામળિયાના ભક્તો હવે દર્શન કરી શકશે. મંદિરના દરવાજાઓને પણ સેનેટાઈઝ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે ભક્તો માટે કુંડાળા કરવામાં આવ્યા છે જ્યાં ભક્તો ઉભા રહેશે. મહત્વની વાત એ છે કે, મંદિરના મુખ્ય દરવાજાથી ભક્તોને સેનેટાઈઝ કરીને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જોકે મંદિરમાં આરતી સમયે ભક્તો હાજર રહી શકશે નહીં. મંદિરમાં દંડવત પ્રણામ કે સ્પર્શ કરી શકાશે નહીં. મંદિરમાં શ્રીફળ અને પ્રસાદી પણ લઈ જઈ શકાશે નહીં. કોરોના મામલે કડક નિયમો સાથે ભગવાનના દર્શન કરી શકાશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઓનલાઈન ઓર્ડરમાં કોણ કમાઈ છે રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ચાર પગનો આતંક
Hun To Bolish : હું તો બોલીશ : ઠાકોરની એકતા
PM Narendra Modi : PM મોદી અમદાવાદમાં પતંગ મહોત્સવમાં આપશે હાજરી, જુઓ અહેવાલ
Harsh Sanghavi In Surat : કુપોષિત બાળકો પર કામ કરવાની સુરતના તબીબોને હર્ષ સંઘવીએ આપી સલાહ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?
IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?
Embed widget