શોધખોળ કરો

રાજ્યમાં વાવાઝોડાની આગાહી વચ્ચે કયા જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો? જાણો વિગત

આજે સમગ્ર દાહોદ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું. લીમખેડા  સહિત આસપાસના  વિસ્તારમાં  કમોસમી વરસાદી માવઠું પડ્યું હતું. માવઠું પડતા ધરતીપુત્રોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. 

દાહોદઃ રાજ્યમાં આગામી ત્રણ દિવસ વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. ત્યારે વાવાઝોડાની આગાહી વચ્ચે દાહોદ અને અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. આજે સમગ્ર દાહોદ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું. લીમખેડા  સહિત આસપાસના  વિસ્તારમાં  કમોસમી વરસાદી માવઠું પડ્યું હતું. માવઠું પડતા ધરતીપુત્રોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. 

નવસારી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ છવાયું હતું. ભર ઉનાળે વાંસદા તાલુકામાં કમોસમી માવઠું આવ્યું હતું. માવઠુ થતાં વાંસદાના રસ્તાઓ ભીંજાયા હતા. કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતાં કેરીના પાકને પણ અસર થવાની સંભાવના છે. 

અરવલ્લી જિલ્લામાં વાતાવરણ આવ્યો પલટો આવ્યો હતો. વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ સર્જાયું હતું. શામળાજી , ટીંટોઇ, મોટી ઇસરોલ , જીવણપુર સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. માવઠું થવાની ભીતિ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. મગફળી,બાજરી સહિતના પાકમાં નુકશાન થઈ શકે છે.

દક્ષિણ રાજસ્થાન અને દક્ષિણ પાકિસ્તાનમાં સર્જાયેલા સર્ક્યુલેશનની અસરના ભાગરૂપે વાવાઝોડા અને કમોસમી વરસાદ થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના મતે ગુજરાત રીજીયન અને સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરના વાતાવરણમાં પલટો આવશે. તો આજે સાબરકાંઠા અને બનાસકાંઠામાં વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 32થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. વાતાવરણમાં પલટાને કારણે રાજ્યમાં આગામી ત્રણ દિવસ ગરમીમાંથી રાહત મળશે.


દક્ષિણ રાજસ્થાન અને દક્ષિણ પાકિસ્તાનમાં સર્જાયેલા સર્ક્યુલેશનની અસર હવે ગુજરાતમાં આગામી 3 દિવસ ભારે રહેશે. હવામાન વિભાગે જાહેર કરેલી આગાહી પ્રમાણે ગુજરાત અને સૌરાષ્ટ્ર, કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરના વાતાવરણમાં પલટો જોવા મળશે. આજે સાબરકાંઠા અને બનાસકાંઠામાં વાવાજોડાની આશંકા સેવવામાં આવી છે. જાણવા મળી રહ્યું છે કે 32થી 40 પ્રતિ કલાક કિલોમીટરથી પવન ફૂંકાશે. રાજ્યમાં આગામી 3 દિવસ સુધી ગરમીથી રાહત મળશે.


અત્રે નોંધનીય છે કે સાયક્લોનિક સરક્યુલેશનના કારણે છેલ્લા એક સપ્તાહથી ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે.  છેલ્લા બે દિવસોથી અમદાવાદ સહિત ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળે છે.  આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી હતી. જેમાં અમદાવાદ શહેરમાં પણ સતત પાંચ દિવસ દરમિયાન હળવો વરસાદ થવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી હતી. હવામાન ખાતાએ કરેલી આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ પડશે.


છેલ્લા પાંચ દિવસથી અમરેલી જિલ્લાના ધારી પંથકમાં પણ કરા સાથે કમોસમી વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદના કારણે કેરીના પાકને નુકસાન જવાની ભીતિ છે. ખેડૂતો પણ કમોસમી વરસાદના કારણે પરેશાન છે.   કચ્છ અને સૌરાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદના કારણે ગુજરાતના ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Bhavnagar Rain: ભાવનગરમાં સતત ત્રીજા દિવસે વરસાદ, વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ
Bhavnagar Rain: ભાવનગરમાં સતત ત્રીજા દિવસે વરસાદ, વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ
Dwarka Rain: દ્વારકાના ભાણવડમાં 2.5 ઇંચ તો ખંભાળિયામાં 3 ઇંચ વરસાદ ખાબક્યો, જળાશયોમાં આવ્યા નવા નીર
Dwarka Rain: દ્વારકાના ભાણવડમાં 2.5 ઇંચ તો ખંભાળિયામાં 3 ઇંચ વરસાદ ખાબક્યો, જળાશયોમાં આવ્યા નવા નીર
Maharashtra Politics: 48 મતોથી જીતેલી સીટ પર બબાલ, રિપોર્ટમાં દાવો, 'રવીન્દ્ર વાયકરના સંબંધીનો મોબાઈલ EVM સાથે જોડાયેલો હતો'
Maharashtra Politics: 48 મતોથી જીતેલી સીટ પર બબાલ, રિપોર્ટમાં દાવો, 'રવીન્દ્ર વાયકરના સંબંધીનો મોબાઈલ EVM સાથે જોડાયેલો હતો'
Junagadh Crime News: જૂનાગઢમાં પતિ-પત્નીના ઝઘડામાં પત્ની પીયર ચાલી જતાં પતિએ ભર્યુ આવું પગલું.....
Junagadh Crime News: જૂનાગઢમાં પતિ-પત્નીના ઝઘડામાં પત્ની પીયર ચાલી જતાં પતિએ ભર્યુ આવું પગલું.....
Advertisement
metaverse

વિડિઓઝ

School Van Strike | મંગળવારથી સ્કૂલ વાહનોની હડતાળની જાહેરાત | વાલી માટે ચિંતાજનક સમાચારShaktisinh Gohil | શક્તિસિંહના ગંભીર આરોપ | મોબાઇલનું કેલ્ક્યુલેટર નાનું પડે એટલો ભ્રષ્ટાચારGadhada Swaminarayan Mandir Controversy | લંપટ સાધુને ભગાવો... ગઢડામાં હરિભક્તોનો હલ્લાબોલSwaminarayan Gurukul News | 2 સ્વામિનારાય સંતો પર મહિલા સાથે દુષ્કર્મના આરોપથી ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar Rain: ભાવનગરમાં સતત ત્રીજા દિવસે વરસાદ, વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ
Bhavnagar Rain: ભાવનગરમાં સતત ત્રીજા દિવસે વરસાદ, વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ
Dwarka Rain: દ્વારકાના ભાણવડમાં 2.5 ઇંચ તો ખંભાળિયામાં 3 ઇંચ વરસાદ ખાબક્યો, જળાશયોમાં આવ્યા નવા નીર
Dwarka Rain: દ્વારકાના ભાણવડમાં 2.5 ઇંચ તો ખંભાળિયામાં 3 ઇંચ વરસાદ ખાબક્યો, જળાશયોમાં આવ્યા નવા નીર
Maharashtra Politics: 48 મતોથી જીતેલી સીટ પર બબાલ, રિપોર્ટમાં દાવો, 'રવીન્દ્ર વાયકરના સંબંધીનો મોબાઈલ EVM સાથે જોડાયેલો હતો'
Maharashtra Politics: 48 મતોથી જીતેલી સીટ પર બબાલ, રિપોર્ટમાં દાવો, 'રવીન્દ્ર વાયકરના સંબંધીનો મોબાઈલ EVM સાથે જોડાયેલો હતો'
Junagadh Crime News: જૂનાગઢમાં પતિ-પત્નીના ઝઘડામાં પત્ની પીયર ચાલી જતાં પતિએ ભર્યુ આવું પગલું.....
Junagadh Crime News: જૂનાગઢમાં પતિ-પત્નીના ઝઘડામાં પત્ની પીયર ચાલી જતાં પતિએ ભર્યુ આવું પગલું.....
Delhi Water Crisis: ‘રાતે 2 વાગે છે લાઈનો, પાણી માટે ફૂટે છે માથા...’, દિલ્હીના જળસંકટ પર લોકોનું છલકાયું દર્દ
Delhi Water Crisis: ‘રાતે 2 વાગે છે લાઈનો, પાણી માટે ફૂટે છે માથા...’, દિલ્હીના જળસંકટ પર લોકોનું છલકાયું દર્દ
જનાધાર ઘટ્યો એટલે ભાજપના ધારાસભ્યોને ભ્રષ્ટાચાર યાદ આવ્યો, 9 ધારાસભ્યોએ સિસ્ટમ સામે અવાજ ઉઠાવ્યો
જનાધાર ઘટ્યો એટલે ભાજપના ધારાસભ્યોને ભ્રષ્ટાચાર યાદ આવ્યો, 9 ધારાસભ્યોએ સિસ્ટમ સામે અવાજ ઉઠાવ્યો
રાજકોટ TRP ગેમઝોન આગકાંડમાં RMCના વધુ બે અધિકારીઓની ધરપકડ
રાજકોટ TRP ગેમઝોન આગકાંડમાં RMCના વધુ બે અધિકારીઓની ધરપકડ
રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત થઈ શકે છે! પુતિને શાંતિ માટે આ શરતો રાખી, શું ઝેલેન્સકી સ્વીકારશે?
રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત થઈ શકે છે! પુતિને શાંતિ માટે આ શરતો રાખી, શું ઝેલેન્સકી સ્વીકારશે?
Embed widget