Gujarat Rain: વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં જિલ્લાઓમાં ખાબકશે વરસાદ
રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારેથી અતિભારે કમોસમી વરસાદ વરસ્યો છે.

Gujarat Rain : રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારેથી અતિભારે કમોસમી વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે ખેતીને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. હવામાન વિભાગે આજે પણ અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે મધ્યમથી લઈ ભારે વરસાદની આગાહી કરી છે.
આજે આ જિલ્લાઓમાં ખાબકશે વરસાદ
હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદનું અનુમાન છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ વરસી શકે છે. આણંદ,પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, સુરત, નવસારી, નર્મદા, તાપી, ડાંગ અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી લઈ મધ્યમ વરસાદ વરસી શકે છે.
ઓક્ટોબરના છેલ્લા સપ્તાહમાં પડેલા અતિભારે વરસાદને કારણે ખેડૂતોનો મોંઢામાં આવેલોકોળિયો છીનવાઈ ગયો છે. કમોસમી ભારે વરસાદને કારણે મોટાભાગના ખેડૂતોના તૈયાર પાકને નુકસાન પહોંચ્યું છે. હવામાન વિભાગે રાહતની આગાહી કરી છે. આજે ગુજરાતના અનેક જિલ્લાઓમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. શુષ્ક હવામાનની શક્યતા છે. આ સાથે હવામાન વિભાગે તાપમાન નીચું જવાની પણ આગાહી વ્યક્ત કરી છે.
હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર, ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર અને નજીકના સૌરાષ્ટ્ર પર અપર એર સર્ક્યુલેશન સર્જાયેલું હતુ જે બાદ હવે લેસ માર્કમાં પરિવર્તિત થયું છે. આગામી 7 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 2-4 ડિગ્રી સેલ્સિયસનો ધીમે ધીમે ઘટાડો થવાની સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
રાજ્યમાં વરસેલા કમોસમી વરસાદથી મોટુ નુકસાન
ગુજરાતમાં વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોને મોટું નુકસાન પહોંચાડ્યું છે. ગુજરાતના ખેડૂતો બરબાદ થઇ ગયા છે, સૌરાષ્ટ્રથી લઇને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોના પાકનું ધોવાણ થયુ છે. છેલ્લા અઠવાડિયાથી માવઠુ થઈ રહ્યું છે. જેમાં રાજ્યમાં મગફળી, કપાસ, ડાંગર સહિતના પાકોને નુકસાન થયુ છે.
તાજા અપડેટ પ્રમાણે, આ માવઠાથી ગુજરાતમાં 10 લાખ હેક્ટરમાં ખેતીને નુકસાન પહોંચ્યુ છે. જેમાં ખાસ કરીને મગફળી, કપાસ, તુવેર, સોયાબીનના પાકને મોટુ નુકસાન થયુ છે. આ પાક નુકસાનીના નિરીક્ષણ બાદ મંત્રીઓએ સરકારને રિપોર્ટ પણ સોંપી દીધો છે. હવે સાત દિવસમાં પાક નુકસાનનો સર્વે કરવા આદેશ અપાયો છે. મહત્વનું છે કે રાજ્યમાં સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં સૌથી વધુ નુકસાનીના આંકડા મળ્યા છે. સર્વેના આધારે રાજ્ય સરકાર સહાય ચૂકવશે.





















