શોધખોળ કરો

ગિરનાર પર્વત પર મંદિરમાં તોડફોડ, પવિત્ર સ્થળ પર અશાંતિ ફેલાવવાનો પ્રયાસ, સંતોમાં ભારો રોષ

Junagadh: જૂનાગઢના ગિરનાર પર્વત પર આવેલ ગૌરક્ષનાથ મંદિર ખાતે તોડફોડની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગતરાત્રે અજાણ્યા તત્વોએ મંદિરની અંદર પ્રવેશ કરી મૂર્તિઓમાં તોડફોડ કરી હતી.

Junagadh: જૂનાગઢના ગિરનાર પર્વત પર આવેલ ગૌરક્ષનાથ મંદિર ખાતે તોડફોડની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગતરાત્રે અજાણ્યા તત્વોએ મંદિરની અંદર પ્રવેશ કરી મૂર્તિઓમાં તોડફોડ કરી હતી. માત્ર એટલું જ નહીં, તેમણે મંદિરની પૂજા સામગ્રી પણ વેરવિખેર કરી હતી. ગિરનાર જેવી પવિત્ર ભૂમિ પર બનેલી આ ઘટના બાદ સ્થાનિક ભક્તો અને સંતોમાં ભારે આક્રોશ ફેલાયો છે.

હજી સુધી સત્તાવાર રીતે કોઈ ફરિયાદ નોંધાઈ નથી

ઘટના અંગે હજી સુધી સત્તાવાર રીતે કોઈ ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ પોલીસ તંત્ર સક્રિય બની ગયું છે. હાલ વીડિયો ફૂટેજના આધારે તોડફોડ કરનારા તત્વોની ઓળખની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, આ તોડફોડની ઘટના રાત્રિના ત્રણથી ચાર વાગ્યાના અરસામાં બની હતી. મંદિરના પૂજારીના રૂમને બહારથી બંધ કરી તોડફોડ કરવામાં આવી હોવાની માહિતી જ્યોર્તિનાથજી મહારાજે આપી છે.

મંદિરમાં તોડફોડ કરનારા સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માંગ

જ્યોર્તિનાથજી મહારાજે આ ઘટનાને દુઃખદ ગણાવી જણાવ્યું કે, “મંદિરમાં તોડફોડ કરનારા સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માગ કરી છે.” તેમણે ઉમેર્યું કે હાલ પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ ચાલી રહી છે અને તોડફોડ કરનારા તત્વોને કોઈપણ રીતે છોડવામાં નહીં આવે.

“ગિરનારની પવિત્ર ભૂમિ પર આવી હરકતો સહન નહીં કરવામાં આવે”: દેવનાથ બાપુ

આ ઘટનાને લઈને દેવનાથ બાપુએ પણ કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે “ગિરનારની પવિત્ર ભૂમિ પર આવી હરકતો સહન નહીં કરવામાં આવે.” દેવનાથ બાપુએ આ તોડફોડને સનાતન ધર્મ પરનો હુમલો ગણાવ્યો છે અને કહ્યું કે “શાંતિને ડહોળનારા તત્વો સામે સખ્ત સજા થવી જોઈએ.”

ગિરનાર જેવા ધાર્મિક અને આસ્થાપૂર્ણ સ્થળે બનેલી આ ઘટના સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. તંત્ર દ્વારા ઘટનાસ્થળે વધારાની પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેથી કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ સર્જાય નહીં.

ગોધરામાં મોબાઈલ ટાવર મુદ્દે બબાલ 

તો બીજી તરફ, પંચમહાલ જિલ્લાના ગોધરાના કડિયાવાડ વિસ્તારમાં મોબાઈલ ટાવર લગાવવા મુદ્દે તણાવ સર્જાયો છે. મકાન પર ટાવર લગાવવાની કાર્યવાહી દરમિયાન સ્થાનિકોએ તેનો વિરોધ કર્યો હતો. વિરોધ કરનારાઓ પર ટાવર લગાવડાવનાર મકાન માલિક અને તેના સાથીદારો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.

જાહેરમાં બનેલી આ મારામારીનો વીડિયો સોશલ મીડિયા પર વાયરલ થતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. ઘટના બાદ વિસ્તારમાં તણાવનું વાતાવરણ સર્જાયું હતું, જોકે હાલ સ્થિતિ કાબૂમાં છે. સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે કે તેઓ માત્ર ટાવર લગાવવાના વિરોધમાં પોતાનું મત વ્યક્ત કરી રહ્યા હતા, પરંતુ તેમના પર શારીરિક હુમલો કરવામાં આવ્યો. તંત્ર દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને વાયરલ વીડિયો આધારે દોષિત તત્વો સામે કાયદેસર પગલાં ભરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 
Rain: રથયાત્રાના પાવન પર્વે મેઘમહેર, સુરત, પાટણ, ગીર સોમનાથ અને કચ્છમાં સાર્વત્રિક વરસાદથી લોકોમાં ખુશી
Rain: રથયાત્રાના પાવન પર્વે મેઘમહેર, સુરત, પાટણ, ગીર સોમનાથ અને કચ્છમાં સાર્વત્રિક વરસાદથી લોકોમાં ખુશી
Gujarat Rain Forecast: અષાઢી બીજના અમીછાંટણા, રાજ્યના આ જિલ્લામાં મેઘસવારીથી ખેડૂતોને જાગી આશા
Gujarat Rain Forecast: અષાઢી બીજના અમીછાંટણા, રાજ્યના આ જિલ્લામાં મેઘસવારીથી ખેડૂતોને જાગી આશા
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી

વિડિઓઝ

Ahmedabad Rath Yatra : રથયાત્રામાં ગજરાજને પગમાં કેમ નંખાઈ બેડી?
Ahmedabad Rath Yatra : અમદાવાદના મેયરે કરી ભગવાનના રથની પૂજા
Gujarat Rain Breaking News: ગુજરાતમાં અષાઢી બીજે અમી છાંટણા, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Ahmedabad Rathyatra : ભગવાન જગન્નાથની મંગળા આરતીના કરો દર્શન
Ahmedabad Rath Yatra : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી રથયાત્રાનો કરાવ્યો પ્રારંભ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 
IMD Alert: આ તારીખથી દેશમાં ધોધમાર વરસાદની આગાહી, આ રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
IMD Alert: આ તારીખથી દેશમાં ધોધમાર વરસાદની આગાહી, આ રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
England vs India: બીજી વનડેમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી; જુઓ પ્લેઇંગ ઇલેવનમાં શું થયો ફેરફાર
England vs India: બીજી વનડેમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી; જુઓ પ્લેઇંગ ઇલેવનમાં શું થયો ફેરફાર
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
મમતા બેનર્જીને વધુ એક ઝટકો,TMC સાંસદ કોયલ મલિકે રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું
મમતા બેનર્જીને વધુ એક ઝટકો,TMC સાંસદ કોયલ મલિકે રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
Embed widget