શોધખોળ કરો

Weather Update:નવેમ્બરમાં પણ ગરમીથી લોકો પરેશાન, જાણો ક્યારથી પડશે કડકડતી ઠંડી?

Weather Update: ભારતીય હવામાન વિભાગે શુક્રવારે આગાહી કરી હતી કે, દક્ષિણ આંદામાન સમુદ્ર પર એક નીચા દબાણનું ક્ષેત્ર બની શકે છે અને 24 નવેમ્બરની આસપાસ દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર ડિપ્રેશનમાં તીવ્ર બની શકે છે.

 Weather Update:નવેમ્બર મહિનો પૂરો થઈ રહ્યો છે, પરંતુ હજુ પણ દેશના મોટાભાગના રાજ્યોમાં ઠંડુનું નામોનિશાન નથી. ગુજરાત, મહારાષ્ટ્ર સહિત દિલ્લીમાં પણ હજુ સુધી ઠંડી દસ્ક્ત નથી દીધી. દિલ્હી-એનસીઆરમાં હવામાન બદલાયું નથી. સપ્ટેમ્બર કે ઓક્ટોબર જેવું લાગે છે. બપોરે ગરમી હોય છે, ઠંડીના  કોઈ આસાર  નથી. સવાર અને સાંજ થોડી ઠંડી લાગે છે, પરંતુ રાત્રે ગરમી પાછી આવે છે. પરિસ્થિતિ એવી છે કે, દિલ્હી અને નોઈડામાં ઘરોમાં રાત્રે પણ પંખા ચાલુ રહે  છે. હવામાન વિભાગે આ વર્ષે તીવ્ર ઠંડીની આગાહી કરી હતી. જોકે, હજુ સુધી એવું બન્યું નથી. શનિવારે, દિલ્હીનું મહત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની ધારણા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં પારો થોડો ઘટી શકે છે. 

દિલ્હી-એનસીઆરમાં ઠંડી ક્યારે પડશે?
ભારત હવામાન વિભાગે શુક્રવારે આગાહી કરી હતી કે, દક્ષિણ આંદામાન સમુદ્ર પર એક નીચા દબાણનું ક્ષેત્ર બનવાની શક્યતા છે અને 24 નવેમ્બરની આસપાસ દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર ડિપ્રેશનમાં તીવ્ર બનશે. બુલેટિનમાં જણાવાયું છે કે, "22 નવેમ્બરના રોજ દક્ષિણ આંદામાન સમુદ્ર પર એક નીચા દબાણનું ક્ષેત્ર બનવાની શક્યતા છે. તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની અને 24 નવેમ્બરની આસપાસ દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર ડિપ્રેશનમાં તીવ્ર બનવાની અપેક્ષા છે."

શુક્રવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જેના કારણે બપોરે લોકોએ ઉનાળા જેવી અકળાવી દેતી ગરમીનો અનુભવ કર્યો.  જેના કારણે લોકોને રાત્રે પણ પંખા ચાલુ રાખીને સૂવાની ફરજ પડી હતી. જોકે, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 23 નવેમ્બરથી તાપમાન થોડું ઘટવાનું શરૂ થશે. રવિવારે મહત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. 24 નવેમ્બરે મહત્તમ તાપમાનમાં વધુ 1 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.

નિકોબાર ટાપુઓમાં એક કે બે જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ (૭-૨૦ સેમી) અને આંદામાન ટાપુઓમાં ભારે વરસાદ (૭-૧૧ સેમી) થવાની સંભાવના છે. હવામાન વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે, "૨૪ અને ૨૫ નવેમ્બરના રોજ આંદામાન અને નિકોબાર ટાપુઓમાં એક કે બે જગ્યાએ જોરદાર પવન (૪૦-૫૦ કિમી પ્રતિ કલાક) અને વાવાઝોડાની પણ સંભાવના છે." આંદામાન સમુદ્ર પર તોફાની હવામાન અને ૩૫-૪૫ કિમી પ્રતિ કલાકથી ૫૫ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

ગુજરાતમાં કેવું રહેશે હવામાન

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 25 નવેમ્બર બાદ વાતાવરણમાં ફેરફાર થઇ શકે છે. બંગાળમાં સર્જાયેલી સિસ્ટમના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી શકે છે. ઠંડીની વાત કરીએ તો હજુ આગામી સપ્તાહ સુધી કડકડતી ઠંડીના કોઇ આસાર નથી. તાપમાનનો પારો વધુ ગગડે તેવો કોઇ અનુમાન નથી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
Advertisement

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Embed widget