શોધખોળ કરો

100 કરોડ કોરોના વેક્સીનેશનના જશ્નની તૈયારી, કેંદ્રીય મંત્રી મનસુખ માંડવિયા-હરદીપ પુરીએ લોન્ચ કર્યું કૈલાશ ખેરનું વેક્સીન સોંગ

કોરોના મહામારી સામે ચાલી રહેલી લડાઈમાં ભારત ટૂંક સમયમાં મોટી સિદ્ધિ હાંસલ કરવા જઈ રહ્યું છે. દેશ કોરોના રસીકરણનો 100 કરોડનો આંકડો પાર કરવા જઈ રહ્યો છે.

નવી દિલ્હી: કોરોના મહામારી સામે ચાલી રહેલી લડાઈમાં ભારત ટૂંક સમયમાં મોટી સિદ્ધિ હાંસલ કરવા જઈ રહ્યું છે. દેશ કોરોના રસીકરણનો 100 કરોડનો આંકડો પાર કરવા જઈ રહ્યો છે, જે આ યુદ્ધનું સૌથી મોટું હથિયાર છે. આવી સ્થિતિમાં આ ખાસ પ્રસંગ માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. એક થીમ સોંગ લોન્ચ કરવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રસીકરણનો 100 કરોડનો આંકડો પાર કરતા દેશભરના તમામ જાહેર સ્થળો જેમ કે રેલવે સ્ટેશન, મેટ્રો સ્ટેશન, એરપોર્ટ, બસ સ્ટેન્ડ પર એક સાથે આ થીમ સોંગ સંભળાશે. 

કૈલાશ ખેરના અવાજમાં આ થીમ સોંગ 100 કરોડ ડોઝ પછી લોન્ચ કરવામાં આવશે. આજે એટલે કે શનિવારે પણ એક ગીત લોન્ચ કરવામાં આવ્યું છે. આ ગીત રસીકરણ પ્રમોશન માટે છે, જે પેટ્રોલિયમ મંત્રાલય હેઠળ તેલ અને ગેસ કંપનીઓ દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવ્યું છે. કૈલાશ ખેરે પણ આ ગીતને અવાજ આપ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રસીકરણના 100 કરોડ ડોઝનો આંકડો સોમવાર સુધીમાં સ્પર્શી જશે.


મનસુખ માંડવિયાએ શું કહ્યું ?

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું, દેશમાં 97 કરોડથી વધુ લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદીએ ભારતના વૈજ્ઞાનિકોમાં વિશ્વાસ કર્યો અને ભારતમાં બનેલી રસી દેશના ઉપયોગમાં આવી, આ માટે આપણે પહેલાની જેમ વિદેશ પર નિર્ભર રહેવું પડ્યું નથી. આગામી દિવસોમાં, આપણે 100 કરોડ ડોઝ લગાવવા માટે સક્ષમ હશું.  

તેમણે કહ્યું કે, 100 કરોડ ડોઝ થવા પર અલગથી કૈલાશ ખેરનું એક  થીમ સોંગ લોન્ચ કરવામાં આવશે જે તમામ જાહેર સ્થળોએ એક સાથે સંભળાવવામાં આવશે. આજનું થીમ સોંગ રસીકરણ પ્રોત્સાહન માટે છે, જે પેટ્રોલિયમ મંત્રાલય હેઠળ તેલ અને ગેસ કંપનીઓ દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવ્યું છે.

 

આ સમયે  કૈલાશ ખેરે કહ્યું કે દેશમાં હજુ પણ રસી અંગે નિરક્ષરતા અને ખોટી માહિતીની સ્થિતિ છે, લોકોમાં જાગૃતતા લાવવા માટે આ થીમ સોંગ રજૂ કરવામાં આવી રહ્યું છે. આ ગીત માત્ર મનોરંજન માટે જ નહીં પણ અવલોકન માટે પણ બનાવવામાં આવ્યું છે.

 

 

કેંદ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ શું કહ્યું ?

હરદીપ સિંહ પુરીએ કહ્યું કે, 25 માર્ચ, 2020 ના રોજ, જ્યારે કોરોનાને કારણે દેશમાં સંપૂર્ણ લોકડાઉન લાદવામાં આવ્યું હતું, ત્યારે અમારી પાસે આ મહામારી સામે લડવા માટે કંઈ નહોતું, આજે આપણે એવી સ્થિતિમાં છીએ કે આગામી કેટલાક દિવસોમાં દેશમાં કોરોનાની રસી 100 કરોડ લોકોને આપવામાં આવશે. આ રસી વિશે વિવિધ ગેરમાન્યતાઓ ફેલાવવામાં આવી હતી, પરંતુ આજે તે એક જન આંદોલન બની ગયું છે.

તેમણે કહ્યું કે, 2004 થી 2014 વચ્ચે  જ્યારે કોંગ્રેસ સરકાર હતી ત્યારે જાહેર ક્ષેત્રની રસીકરણ કંપનીઓ બંધ હતી. કોંગ્રેસે રસી વિશે અફવાઓ ફેલાવી. રાજસ્થાનમાં કચરામાં રસીઓ ફેંકવામાં આવી હતી અને પંજાબમાં નફાખોરી કરવામાં આવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદ પોલીસકર્મીની ઉદ્ધતાઇ, એક્ટિવ પર જતી મહિલાને માર્યો લાફો, ઘટના કેમરામાં કેદ
અમદાવાદ પોલીસકર્મીની ઉદ્ધતાઇ, એક્ટિવ પર જતી મહિલાને માર્યો લાફો, ઘટના કેમરામાં કેદ
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
આ 5 દિગ્ગજ ખેલાડીઓ T20 World Cup નહીં રમે! BCCI ના નિર્ણયથી સૌ ચોંક્યા, જુઓ કોનો નંબર લાગ્યો?
આ 5 દિગ્ગજ ખેલાડીઓ T20 World Cup નહીં રમે! BCCI ના નિર્ણયથી સૌ ચોંક્યા, જુઓ કોનો નંબર લાગ્યો?

વિડિઓઝ

Mahisagar Jaundice outbreak: મહીસાગરના બાલાસિનોરમાં કમળાનો હાહાકાર, 18 દિવસમાં 243 કેસ
RRP Semiconductor Ltd : RRP સેમીકંડક્ટરની તેજી પર સવાલો, 20 મહિનામાં 55 હજાર ટકા રિટર્ન
Surat News: સુરતના માંડવીમાં ધર્માંતરણના કેસમાં વધુ બે આરોપીની ધરપકડ
Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ પોલીસકર્મીની ઉદ્ધતાઇ, એક્ટિવ પર જતી મહિલાને માર્યો લાફો, ઘટના કેમરામાં કેદ
અમદાવાદ પોલીસકર્મીની ઉદ્ધતાઇ, એક્ટિવ પર જતી મહિલાને માર્યો લાફો, ઘટના કેમરામાં કેદ
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
આ 5 દિગ્ગજ ખેલાડીઓ T20 World Cup નહીં રમે! BCCI ના નિર્ણયથી સૌ ચોંક્યા, જુઓ કોનો નંબર લાગ્યો?
આ 5 દિગ્ગજ ખેલાડીઓ T20 World Cup નહીં રમે! BCCI ના નિર્ણયથી સૌ ચોંક્યા, જુઓ કોનો નંબર લાગ્યો?
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Delhi Pollution: દિલ્લીમાં પેટ્રોલ, ડીઝલ કે CNGની કઇ ગાડીને મળશે એન્ટ્રી? શું છે, GRAP સ્ટેજ 4?
Delhi Pollution: દિલ્લીમાં પેટ્રોલ, ડીઝલ કે CNGની કઇ ગાડીને મળશે એન્ટ્રી? શું છે, GRAP સ્ટેજ 4?
 Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની મોબ લિંચિંગ 7 અરેસ્ટ, જાણો અપડેટ્સ
 Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની મોબ લિંચિંગ 7 અરેસ્ટ, જાણો અપડેટ્સ
Embed widget