શોધખોળ કરો
Advertisement
પુણેમાં દિવાલ ધરાશાયી થતાં 15 લોકોનાં મોત, બચાવ કામગીરી શરૂ, જાણો વિગત
કોંઘવા વિસ્તારમાં ફ્લેટની બાજુની દીવાલ ધરાશાયી થતાં 15 લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. કાટમાળમાં હજુ ઘણાં લોકો ફસાયા હોવાની આશંકા છે.
પુણે: શનિવાર એટલે કે આજે સવારે પુણેમાં મોટી ઘટના સર્જાઈ છે. પુણેના કોંઘવા વિસ્તારમાં ફ્લેટની બાજુની દીવાલ ધરાશાયી થતાં 15 લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. કાટમાળમાં હજુ ઘણાં લોકો ફસાયા હોવાની આશંકા છે. ઘટનાસ્થળે એનડીઆરએફની ટીમ પણ પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી પણ શરૂ કરી દીધી છે. અત્યાર સુધી બે લોકોને સુરક્ષિત કાઢવામાં આવ્યા છે.
પુણેના કોંઘવા વિસ્તારમાં અચાનક ફ્લેટની દીવાલ ધરાશાયી થઈ ગઈ હતી. આ ઘટના સર્જાયા બાદ 15 લોકોનાં મોત નિપજ્યાં છે જ્યારે હાલ કાટમાળમાં 3 લોકો ફસાયેલા છે જેમને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. કુલ 15 લોકોથી વધારે લોકો અંદર ફસાયેલા હોવાની આશંકા છે. આ ઘટના પુણેનાં તાલાબ મસ્ઝિદ વિસ્તારની છે. આ દુર્ઘટનાનું કારણ અતિભારે વરસાદ જણાવવામાં આવી રહ્યું છે. અહીં એક સોસાયટી બની રહી હતી. જેની પાસે મજૂરોને રહેવા માટે કાચા મકાન બનાવવામાં આવ્યાં હતાં. આ બિલ્ડીંગની દીવાલ મજૂરોનાં રહેતા હતાં ત્યાં જ પડી છે.Pune: 14 people have died in Kondhwa wall collapse incident. Rescue operations are underway. #Maharashtra pic.twitter.com/5XdHinkjCu
— ANI (@ANI) June 29, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion