Monkeypox Guidelines: 21 દિવસનું આઇસોલેશન, મંકીપૉક્સ માટે સરકારે જાહેર કરી ગાઇડલાઇન્સ
વૈશ્વિક સ્તરે 75 દેશોમાંથી મંકીપોક્સના 16,000 થી વધુ કેસ નોંધાયા છે અને તેના કારણે પાંચ લોકો મૃત્યુ પામ્યા છે

Monkeypox guideline in India: મંકીપોક્સના દર્દીઓ અને તેમના સંપર્કમાં આવેલા લોકો માટે કેન્દ્ર સરકાર દ્વારા માર્ગદર્શિકા અગાઉથી જાહેર કરી દેવામાં આવી છે. આ ગાઇડલાઇનમાં 21 દિવસનું આઇસોલેશન, , માસ્ક પહેરવા, હાથ સાફ રાખવા, ઘાને સંપૂર્ણપણે ઢાંકવા અને તેમના સંપૂર્ણ સ્વસ્થ થવાની રાહ જોવાનો સમાવેશ થાય છે. માર્ગદર્શિકા મેમાં જાહેર કરવામાં આવી હતી અને દિલ્હી સરકારે તેની હોસ્પિટલોમાં તેનું પાલન કરવાનો નિર્દેશ આપ્યો હતો.
રાષ્ટ્રીય રાજધાનીમાં 24 જૂલાઈના રોજ મંકીપોક્સનો એક કેસ નોંધાયો હતો, જેનાથી દેશમાં આવા દર્દીઓની કુલ સંખ્યા ચાર થઈ ગઈ હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં દિલ્હીના પ્રથમ મંકીપોક્સ દર્દીના સંપર્કમાં આવેલા 14 લોકોની ઓળખ કરવામાં આવી છે અને તેમાંથી કોઈનામાં કોઇ લક્ષણો જોવા મળ્યા નથી. તેમણે કહ્યું કે સંપર્કમાં આવેલા એક વ્યક્તિએ શરીરમાં દુખાવાની ફરિયાદ કરી હતી, પરંતુ તે હવે ઠીક છે અને તેનામાં કોઈ લક્ષણો નથી.
LNJP હોસ્પિટલમાં શંકાસ્પદ દર્દી દાખલ
બીજી બાજુ, મંકીપોક્સના અન્ય એક શંકાસ્પદ દર્દીને દિલ્હીની લોક નાયક જયપ્રકાશ (LNJP) હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને નમૂનાઓ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી, પુણેમાં મોકલવામાં આવ્યા છે. જો કે અધિકારીઓએ કહ્યું કે ગભરાવાની જરૂર નથી. તેમણે કહ્યું કે મંકીપોક્સના દર્દીને અથવા ચેપગ્રસ્ત સામગ્રીના છેલ્લા સંપર્કથી 21 દિવસ સુધી આઇસોલેશનમાં રહેવું પડે છે. મંકીપોક્સ એ વાયરસથી થતો ચેપી રોગ છે. જે પ્રાણીઓમાંથી મનુષ્યમાં ફેલાય છે. તેના લક્ષણો શીતળા જેવા જ છે, જોકે તબીબી રીતે તે એટલું ગંભીર નથી.
ફરજિયાત માસ્ક પહેરવું
માર્ગદર્શિકા અનુસાર, ચેપગ્રસ્ત વ્યક્તિએ ત્રણ લેયરવાળુ માસ્ક પહેરવું જોઈએ, જ્યારે શક્ય હોય ત્યાં સુધી ત્વચાના ઘાને ઢાંકીને અન્ય લોકોના સંપર્કમાં આવવાનું જોખમ ઓછું કરવું જોઈએ. કેન્દ્રએ જણાવ્યું હતું કે જ્યાં સુધી તમામ ઘા રૂઝાઈ ન જાય અને સ્કેબ્સ સંપૂર્ણપણે ઉતરી ન જાય ત્યાં સુધી દર્દીઓએ એકલતામાં રહેવું જોઈએ.
મંકીપોક્સ દર્દીઓ માટે કેન્દ્ર માર્ગદર્શિકા
પ્રાથમિક રીતે સંપર્કમાં રહેલા લોકોએ પોતાને અલગ રૂમમાં રાખવા જોઈએ, પરંતુ તેઓ એક જ રૂમમાં પણ રહી શકે છે. તેઓએ માસ્ક પહેરવા જોઈએ અને હાથની સ્વચ્છતા અને સોશિયલ ડિસ્ટન્સના ધોરણોનું પાલન કરવું જોઈએ. અધિકારીએ એમ પણ કહ્યું હતું કે જે લોકો સંપર્કમાં આવ્યા છે તેઓએ દેખરેખ દરમિયાન રક્ત, કોષો, પેશીઓ, અંગો અથવા વીર્યનું દાન ન કરવું જોઈએ. જે સામાન્ય રીતે તાવની શરૂઆત પછી એક થી ત્રણ દિવસમાં દેખાય છે અને લગભગ બે થી ચાર અઠવાડિયા સુધી રહે છે.
વૈશ્વિક સ્તરે 75 દેશોમાંથી મંકીપોક્સના 16,000 થી વધુ કેસ નોંધાયા છે અને તેના કારણે પાંચ લોકો મૃત્યુ પામ્યા છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ મંકીપોક્સને આંતરરાષ્ટ્રીય ચિંતાની વૈશ્વિક જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
