શોધખોળ કરો

Katra Landslide: વૈષ્ણોદેવી યાત્રા રૂટ પર ભૂસ્ખલનથી તબાહી, અત્યાર સુધી 30 લોકોના મોત, આજે ભારે વરસાદનું એલર્ટ

Katra Landslide: જમ્મુ અને કાશ્મીરના કટરા સ્થિત વૈષ્ણોદેવી મંદિર પાસે ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનમાં 30 લોકોના મોત થયા છે

Katra Landslide: જમ્મુ અને કાશ્મીરના કટરા સ્થિત વૈષ્ણોદેવી મંદિર પાસે ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનમાં 30 લોકોના મોત થયા છે. ભૂસ્ખલન પછીના દિવસે આ મૃત્યુઆંક વધ્યો છે. આ વાતની પુષ્ટી રિયાસીના એસએસપી પરમવીર સિંહે કરી છે.

રિયાસીના એસએસપી પરમવીર સિંહે પુષ્ટી કરી હતી કે ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું હતું અને ઘણા શ્રદ્ધાળુઓ તેમાં ફસાઈ ગયા હતા. દુર્ઘટના બાદ તરત જ યાત્રા સ્થગિત કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે આ દુર્ઘટનામાં મૃત્યુઆંક 30 પર પહોંચી ગયો છે.

વાસ્તવમાં મંગળવારે (26 ઓગસ્ટ) બપોરે લગભગ 3.00 વાગ્યે કટરાના અર્ધકુંવારી સ્થિત ઇન્દ્રપ્રસ્થ ભોજનાલય પાસે ભૂસ્ખલનની મોટી ઘટના બની હતી. થોડી જ વારમાં 8 લોકોના મોતના સમાચાર આવ્યા જ્યારે 20 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. સમય પસાર થવા સાથે મૃત્યુઆંક 30 પર પહોંચી ગયો હતો.  

ભૂસ્ખલન પછી રાહત અને બચાવ કાર્ય મોટા પાયે ચાલી રહ્યું છે. કાટમાળ નીચેથી લોકોને શોધીને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. ભારતીય સેના, CRPF અને NDRF ના જવાનો લોકોને બચાવવા માટે અથાક મહેનત કરી રહ્યા છે. કાટમાળ નીચે વધુ લોકો ફસાયા હોવાની શક્યતા છે.

ઘણા પુલ તૂટી ગયા, વૈષ્ણો દેવી યાત્રા મુલતવી રાખવામાં આવી

ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં ત્રણ પુલને નુકસાન થયું છે. ભૂસ્ખલનને કારણે માતા વૈષ્ણો દેવીની યાત્રા અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે. જમ્મુમાં પઠાણકોટ નેશનલ હાઈવે પર ટ્રાફિક સંપૂર્ણપણે ઠપ્પ છે. ભારે વિનાશ વચ્ચે કઠુઆમાં રાવિ પુલનો એક ભાગ ધોવાઈ ગયો છે. સેનાના હેલિકોપ્ટર દ્વારા 22 CRPF સૈનિકો, 3 સ્થાનિક નાગરિકો અને CRPFના એક ડૉગને બચાવી લેવામાં આવ્યા છે.

જમ્મુમાંથી 5000 લોકોનું સ્થળાંતર

જમ્મુ વિભાગીય કમિશનર રમેશ કુમારના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં જમ્મુ વિભાગમાંથી 5000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ગઈકાલે રાત્રે વાદળ ફાટવાની કોઈ ઘટના નોંધાઈ નથી. વહીવટીતંત્ર, પોલીસ અને સેના એલર્ટ પર છે. ચિનાબ નદીનું પાણીનું સ્તર હજુ પણ વધુ છે. કેટલાક લોકો ચિનાબ નદીની આસપાસ ફસાયેલા છે, જેમના બચાવ માટે સેનાની મદદ લેવામાં આવી રહી છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાહત અને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. સેનાએ માહિતી આપી હતી કે તેના સૈનિકોને તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા અને રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. સેનાએ કહ્યું હતું કે, "અમે સતત જીવ બચાવવા, જરૂરિયાતમંદોને મદદ કરવા અને નાગરિકોને સલામત સ્થળોએ લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છીએ."

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઓનલાઈન રેલવે ટિકિટ બુક કરતા સમયે ભૂલમાં ખોટી માહિતી આપી દિધી? જાણો કઈ રીતે ભૂલને સુધારશો  
ઓનલાઈન રેલવે ટિકિટ બુક કરતા સમયે ભૂલમાં ખોટી માહિતી આપી દિધી? જાણો કઈ રીતે ભૂલને સુધારશો  
શું ફ્લાઈટ ટિકિટ સસ્તી થશે? ક્રૂડ ઓઈલની કિંમતોમાં મોટા ઘટાડા બાદ સરકારે આપ્યા સંકેત
શું ફ્લાઈટ ટિકિટ સસ્તી થશે? ક્રૂડ ઓઈલની કિંમતોમાં મોટા ઘટાડા બાદ સરકારે આપ્યા સંકેત
Weather Update: 17 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ જાહેર, હવામાન વિભાગની ચેતવણી 
Weather Update: 17 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ જાહેર, હવામાન વિભાગની ચેતવણી 
પાસપોર્ટ, આધાર, વોટર ID નહીં... તો ક્યું ડોક્યુમેન્ટ છે ભારતીય નાગરિકતાનો અસલી પુરાવો? જાણો શું કહે છે કાયદો
પાસપોર્ટ, આધાર, વોટર ID નહીં... તો ક્યું ડોક્યુમેન્ટ છે ભારતીય નાગરિકતાનો અસલી પુરાવો? જાણો શું કહે છે કાયદો

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં હળવા વરસાદની આગાહી , ક્યાં ક્યાં પડશે વરસાદ?
Morbi Accident News: મોરબીના હળવદ નજીક વિદ્યાર્થીનીનું અકસ્માતમાં મોત
વેનેઝુએલામાં વિનાશકારી ભૂકંપ, રાજધાની કારાકાસમાં વ્યાપક નુકસાન
Rajkot | જસદણનું આલ્ફા ટ્રેનિંગ સેન્ટર આવ્યું વિવાદમાં, બેદરકારીના કારણે 9 વર્ષની બાળકીના મોતનો આરોપ
Venezuela Earthquake: વેનેઝુએલામાં ભયાનક ભૂકંપ, અનેક ઈમારતો ધ્વસ્ત, 10,000 મોતની આશંકા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
LPG Supply: સરકારે LPG પુરવઠા પરના તમામ નિયંત્રણો હટાવ્યા, જાણો શું થશે ફાયદો 
LPG Supply: સરકારે LPG પુરવઠા પરના તમામ નિયંત્રણો હટાવ્યા, જાણો શું થશે ફાયદો 
Gujarat Rain: કાલે રાજ્યના આ જિલ્લાઓમાં તૂટી પડશે ધોધમાર વરસાદ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Rain: કાલે રાજ્યના આ જિલ્લાઓમાં તૂટી પડશે ધોધમાર વરસાદ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Rain Alert: હવામાન પલટાયું, સાંજ સુધી ગુજરાતના આ વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી
Rain Alert: હવામાન પલટાયું, સાંજ સુધી ગુજરાતના આ વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી
PM મોદીને મળ્યા એમેઝોનના CEO એન્ડી જેસી, 2030 સુધી ભારતમાં 48 બિલિયન ડૉલરના રોકાણની કરી જાહેરાત
PM મોદીને મળ્યા એમેઝોનના CEO એન્ડી જેસી, 2030 સુધી ભારતમાં 48 બિલિયન ડૉલરના રોકાણની કરી જાહેરાત
જૂલાઈમાં સૂર્ય-શનિ સહિત 4 ગ્રહ બદલશે ચાલ, જાણો કઈ રાશિઓ માટે શુભ અને કોણે રહેવું પડશે સાવધાન 
જૂલાઈમાં સૂર્ય-શનિ સહિત 4 ગ્રહ બદલશે ચાલ, જાણો કઈ રાશિઓ માટે શુભ અને કોણે રહેવું પડશે સાવધાન 
સોશિયલ મીડિયા પર ન કરો આ ભૂલ, સરકારની નવી ચેતવણી, નફાના ચક્કરમાં થશે મોટું નુકસાન
સોશિયલ મીડિયા પર ન કરો આ ભૂલ, સરકારની નવી ચેતવણી, નફાના ચક્કરમાં થશે મોટું નુકસાન
Weather Update: 17 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ જાહેર, હવામાન વિભાગની ચેતવણી 
Weather Update: 17 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ જાહેર, હવામાન વિભાગની ચેતવણી 
EPFO યૂઝર્સ એલર્ટ! 3 દિવસ સુધી બંધ રહેશે ક્લેમ સબમિશન અને પ્રોસેસિંગ, જાણો ક્યારે શરુ થશે સર્વિસ?
EPFO યૂઝર્સ એલર્ટ! 3 દિવસ સુધી બંધ રહેશે ક્લેમ સબમિશન અને પ્રોસેસિંગ, જાણો ક્યારે શરુ થશે સર્વિસ?
Embed widget