વધુ 487 ભારતીયોને અમેરિકા તગેડી મૂકશે, દેશનિકાલની તૈયારીઓ વચ્ચે વિદેશ મંત્રાલયે કહી આ વાત....
વિદેશ મંત્રાલયે આપી માહિતી, ગેરકાયદેસર ઇમિગ્રેશન સામે કાર્યવાહી ચાલુ.

US deportation: અમેરિકામાં ગેરકાયદેસર વસવાટ કરી રહેલા 487 ભારતીય નાગરિકોને દેશનિકાલનો સામનો કરવો પડશે. અમેરિકાએ આ સંદર્ભમાં 'ફાઇનલ રિમૂવલ ઓર્ડર' બહાર પાડ્યો છે અને આ યાદી ભારત સરકારને મોકલી છે. ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ શુક્રવારે આ માહિતી આપી હતી.
વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું હતું કે, અમેરિકાએ ગેરકાયદેસર ઘૂસણખોરીના આરોપસર 487 ભારતીય નાગરિકોની યાદી ભારત સરકારને સોંપી છે, જેમને ટૂંક સમયમાં દેશનિકાલ કરવામાં આવશે. ભારત સરકાર આ નાગરિકોની સુરક્ષિત વાપસી સુનિશ્ચિત કરવા માટે અમેરિકી વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં છે. બંને દેશોના અધિકારીઓ આ મુદ્દે નિયમિત રીતે વાતચીત કરી રહ્યા છે.
ભારત સરકારની પ્રાથમિકતા એ સુનિશ્ચિત કરવાની છે કે દેશનિકાલ પામતા આ ભારતીય નાગરિકો સાથે માનવીય અને કાયદેસર રીતે વર્તન કરવામાં આવે. વિદેશ મંત્રાલયે અમેરિકાને ખાસ વિનંતી કરી છે કે દેશનિકાલની પ્રક્રિયા દરમિયાન કોઈપણ ભારતીય નાગરિક સાથે દુર્વ્યવહાર ન થવો જોઈએ.
ગેરકાયદેસર વસાહતીઓના પરત ફરવા અંગે વિદેશ સચિવે વધુમાં જણાવ્યું હતું કે, અમેરિકી અધિકારીઓએ ભારતને ખાતરી આપી છે કે ભારતીય નાગરિકોને પરત મોકલવાની કાર્યવાહી આંતરરાષ્ટ્રીય નિયમો અને માનવ અધિકારોનું પાલન કરીને કરવામાં આવશે. મિસરીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, "અમેરિકાને એ બાબત સ્પષ્ટપણે જણાવી દેવામાં આવી છે કે કોઈ પણ ભારતીય નાગરિક સાથે ગેરવર્તણૂકને ભારત સરકાર સાંખી નહીં લે. જો દુર્વ્યવહારના કોઈપણ સમાચાર મળશે, તો ભારત તાત્કાલિક ધોરણે યોગ્ય પગલાં લેશે."
#WATCH | Delhi: On the issue of illegal immigrants in the United States, Foreign Secretary Vikram Misri says, "...The process of deportation is not new. it is something that the External Affairs Minister (EAM) also emphasised in the Parliament yesterday...I would not accept the… pic.twitter.com/Vrk07ib7Rt
— ANI (@ANI) February 7, 2025
આ સાથે, ભારત સરકાર ગેરકાયદેસર ઇમિગ્રેશનને પ્રોત્સાહન આપતી ગેંગ વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરી રહી છે. વિદેશ સચિવે ગેરકાયદેસર ઇમિગ્રેશનના નેટવર્કને તોડવા માટે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
દેશનિકાલ દરમિયાન ભારતીયો સાથે દુર્વ્યવહાર થવાની સંભાવના અંગે પૂછવામાં આવતા મિસરીએ જણાવ્યું હતું કે, સરકાર આ મુદ્દાને ગંભીરતાથી લઈ રહી છે. તેમણે કહ્યું કે, "જો કોઈ પણ ભારતીય નાગરિક સાથે ખરાબ વ્યવહાર થશે તો તે એક ગંભીર મુદ્દો બનશે અને ભારત સરકાર તેને અમેરિકા સાથે ઉઠાવશે અને યોગ્ય પગલાં લેવાની માંગ કરશે."
આમ, ભારત સરકાર 487 ભારતીય નાગરિકોની સુરક્ષિત વાપસી માટે પ્રતિબદ્ધ છે અને આ માટે અમેરિકી સરકાર સાથે સતત સંપર્કમાં છે.
આ પણ વાંચો....
દિલ્હીમાં ચૂંટણી… બિહારમાં રાજકીય ભૂકંપ? નીતિશ કુમારને લઈને આરજેડીનો મોટો દાવો





















