શોધખોળ કરો

AAP: આમ આદમી પાર્ટીની માન્યતા રદ કરાવવા માટે થઈ અરજી, જાણો કયો ગંભીર મુદ્દો ઉઠાવાયો

AAP: આમ આદમી પાર્ટીના નેશનલ કન્વિનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને એક નિવેદન આપવું ભારે પડી શકે છે.

AAP: આમ આદમી પાર્ટીના નેશનલ કન્વિનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને એક નિવેદન આપવું ભારે પડી શકે છે. કેજરીવાલના એ નિવેદન પછી હવે 57 નિવૃત સનદી અધિકારીઓએ ચૂંટણી પંચને રજૂઆત કરી છે કે, આમ આદમી પાર્ટીની માન્યતા પાછી ખેંચી લેવામાં આવે. પૂર્વ સનદી અધિકારીઓએ ચૂંટણી પ્રતીકો (આરક્ષણ અને ફાળવણી) ઓર્ડર, 1968 ના ઓર્ડર 16A હેઠળ આમ આદમી પાર્ટી (AAP)ની માન્યતા પાછી ખેંચી લેવા રજૂઆત કરી છે. આ 57 પૂર્વ અમલદારો અને રાજદ્વારીઓ દ્વારા લખાયેલો પત્ર ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરને મોકલવામાં આવ્યો છે.

શું હતો સમગ્ર મામલો...

57 પૂર્વ સનદી અધિકારીઓએ ચૂંટણી પંચને રજૂઆત કરતાં લખેલા પત્રમાં જણાવ્યું છે કે, 3 સપ્ટેમ્બરના રોજ રાજકોટમાં આમ આદમી પાર્ટી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં આપના નેશનલ કન્વિનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક નિવેદન આપ્યું હતું. કેજરીવાલે કહ્યું હતું કે, 'ગુજરાતના સનદી અધિકારીઓ આવનારી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી માટે કામ કરે અને ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આપની જીતને સુનિશ્ચિત કરે.' 

આ સાથે અરવિંદ કેજરીવાલે, સરકારી નોકરી કરતા કર્મચારીઓ જેવા કે, પોલીસ કર્મી, હોમ ગાર્ડ, આંગણવાડી કાર્યકર્તા, એસટીના ડ્રાઈવર અને કંડક્ટર અને પોલીંગ બુથ પરના અધિકારીઓને પણ આમ આદમી પાર્ટીને મદદ કરવા માટે કહ્યું હતું. 

પૂર્વ અધિકારીઓએ શું કહ્યું?

હવે અરવિંદ કેજરીવાલના આ નિવેદનને ટાંકીને જ 57 નિવૃત અધિકારીઓ અને રાજદ્વારીઓ દ્વારા ચૂંટણી પંચને પત્ર લખવામાં આવ્યો છે. આ પત્રમાં પૂર્વ અધિકારીઓએ કહ્યું છે કે, "આમ આદમી પાર્ટી દ્વારા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને રાજકીય રંગ આપવાનો પ્રયત્ન થયો છે તેની સાથે અમે સહમત નથી. અમે માનીયે છીએ કે, સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ સંસદમાં બનાવાયેલ કાયદાઓ અને યોજનાઓના અમલ માટે જનતાના સેવક તરીકે કામ કરે છે.'' 

Sabarkantha: સાબરકાંઠામાં ભાજપના કોર્પોરેટરની દાદાગીરી, AAPનો ગેરન્ટી કાર્ડ કેમ્પ કરાવ્યો બંધ

સાબરકાંઠાઃસાબરકાંઠામાં ભાજપના કોર્પોરેટરની દાદાગીરીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. મળતી જાણકારી અનુસાર, સાબરકાંઠામાં ભાજપ કોર્પોરેટર શશીકાંત સોલંકીએ દાદાગીરી કરી હતી. શશીકાંત સોલંકીએ આમ આદમી પાર્ટીનો ગેરંટી કાર્ડ કેમ્પ બંધ કરાવ્યો હતો. આમ આદમી પાર્ટીએ હિંમતનગર શહેરના વોર્ડ નંબર 5 માં આપનો ગેર્ંટી કાર્ડ બંધ કરાવ્યો હતો. શહેરના આપના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Delhi-Agra Expressway:ગાઢ ધુમ્મસના કારણે ભયંકર અકસ્માત, 7 બસો ટકરાઇ, 4નાં મૃતદેહ મળ્યાં, 25 ઘાયલ
Delhi-Agra Expressway:ગાઢ ધુમ્મસના કારણે ભયંકર અકસ્માત, 7 બસો ટકરાઇ, 4નાં મૃતદેહ મળ્યાં, 25 ઘાયલ
Mexico Plane Crash: મેક્સિકોમાં પ્લેન ક્રેશ, બિલ્ડિંગથી ટકરાયું પ્રાઇવેટ જેટ, 7 લોકોના મોત
Mexico Plane Crash: મેક્સિકોમાં પ્લેન ક્રેશ, બિલ્ડિંગથી ટકરાયું પ્રાઇવેટ જેટ, 7 લોકોના મોત
Viksit Bharat Ji Ram Ji Scheme: મનરેગાનું બદલાશે નામ, આ યોજનાના લાભ સંદર્ભે શું થશે ફેરફાર
Viksit Bharat Ji Ram Ji Scheme: મનરેગાનું બદલાશે નામ, આ યોજનાના લાભ સંદર્ભે શું થશે ફેરફાર
Morning Dreams: સવારના સપનામાં આ પાંચ વસ્તુઓ જોવા મળે તો સમજી જજો લાગવાની છે લૉટરી
Morning Dreams: સવારના સપનામાં આ પાંચ વસ્તુઓ જોવા મળે તો સમજી જજો લાગવાની છે લૉટરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અનલિમિટેડ ભ્રષ્ટાચાર!
Hun To Bolish : હું તો બોલીશ : આ ગોગોને બંધ કરાવો !
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નાત નક્કી કરશે કે નિયતિ?
Operation Gogo In Surat : ગોગોનું ઓનલાઇન વેચાણ , રિયાલિટી ચેકમાં ધડાકો
Gold Price All Time High : સોનામાં તોફાની તેજી, 10 ગ્રામ સોનાનો ભાવ પહોંચ્યો 1.33 લાખ પર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi-Agra Expressway:ગાઢ ધુમ્મસના કારણે ભયંકર અકસ્માત, 7 બસો ટકરાઇ, 4નાં મૃતદેહ મળ્યાં, 25 ઘાયલ
Delhi-Agra Expressway:ગાઢ ધુમ્મસના કારણે ભયંકર અકસ્માત, 7 બસો ટકરાઇ, 4નાં મૃતદેહ મળ્યાં, 25 ઘાયલ
Mexico Plane Crash: મેક્સિકોમાં પ્લેન ક્રેશ, બિલ્ડિંગથી ટકરાયું પ્રાઇવેટ જેટ, 7 લોકોના મોત
Mexico Plane Crash: મેક્સિકોમાં પ્લેન ક્રેશ, બિલ્ડિંગથી ટકરાયું પ્રાઇવેટ જેટ, 7 લોકોના મોત
Viksit Bharat Ji Ram Ji Scheme: મનરેગાનું બદલાશે નામ, આ યોજનાના લાભ સંદર્ભે શું થશે ફેરફાર
Viksit Bharat Ji Ram Ji Scheme: મનરેગાનું બદલાશે નામ, આ યોજનાના લાભ સંદર્ભે શું થશે ફેરફાર
Morning Dreams: સવારના સપનામાં આ પાંચ વસ્તુઓ જોવા મળે તો સમજી જજો લાગવાની છે લૉટરી
Morning Dreams: સવારના સપનામાં આ પાંચ વસ્તુઓ જોવા મળે તો સમજી જજો લાગવાની છે લૉટરી
IIT મદ્રાસનો મોટો નિર્ણય, BTech અધુરુ હશે તો પણ મળશે BScની ડિગ્રી
IIT મદ્રાસનો મોટો નિર્ણય, BTech અધુરુ હશે તો પણ મળશે BScની ડિગ્રી
350થી વધુ ખેલાડી, 77 સ્લૉટ, CSK અને KKR પાસે સૌથી વધુ રૂપિયા, જાણો IPL મિની ઓક્શનની પાંચ મોટી વાતો
350થી વધુ ખેલાડી, 77 સ્લૉટ, CSK અને KKR પાસે સૌથી વધુ રૂપિયા, જાણો IPL મિની ઓક્શનની પાંચ મોટી વાતો
Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?
Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?
ભારતીય રેલવે કર્મચારીઓ માટે સારા સમાચાર, આઠમા વેતન આયોગ બાદ સેલેરી-પેન્શનમાં આટલો વધારો થવાની સંભાવના
ભારતીય રેલવે કર્મચારીઓ માટે સારા સમાચાર, આઠમા વેતન આયોગ બાદ સેલેરી-પેન્શનમાં આટલો વધારો થવાની સંભાવના
Embed widget