શોધખોળ કરો

Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત

Nalanda Stampede News: બિહારના નાલંદામાં મંગળવારે સવારે એક મંદિરમાં થયેલી ભાગદોડમાં આઠ મહિલા શ્રદ્ધાળુઓના મોત થયા હતા

Nalanda Stampede News: બિહારના નાલંદામાં મંગળવારે સવારે (31 માર્ચ, 2026) એક મંદિરમાં થયેલી ભાગદોડમાં આઠ મહિલા શ્રદ્ધાળુઓના મોત થયા હતા. અનેક લોકો ઘાયલ થયા હતા. મૃત્યુઆંક વધવાની શક્યતા છે. આ ઘટના દીપનગર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા મઘડા સ્થિત શીતળા માતાજીના મંદિરમાં બની હતી.

એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના ભીડભાડ અને અપૂરતી વ્યવસ્થાને કારણે બની હતી. રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. વહીવટીતંત્રે હજુ સુધી મૃત્યુ પામેલા શ્રદ્ધાળુઓની સંખ્યાની પુષ્ટી કરી નથી.

દર મંગળવારે હજારો શ્રદ્ધાળુઓ આવે છે

દર મંગળવારે હજારો શ્રદ્ધાળુઓ અહીં પૂજા કરવા આવે છે. આ મંગળવારે સુરક્ષા વ્યવસ્થા સંપૂર્ણપણે ખરાબ જોવા મળી હતી. પૂજામાં હાજર શ્રદ્ધાળુઓની મોટી ભીડને કારણે નાસભાગ મચી ગઈ હતી. ઘટનાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. માહિતી મળ્યા બાદ ઘણી એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. એસડીએમ પણ પહોંચ્યા છે.

સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા 

આ ઘટનામાં ઘાયલ શ્રદ્ધાળુઓની સંખ્યા 10 થી 12 જેટલી હોવાનો અંદાજ છે. ઘાયલોને સારવાર માટે સદર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. મંદિર પરિસરને સંપૂર્ણપણે ખાલી કરાવી દેવામાં આવ્યું છે. ઘટના બાદ મોટી પોલીસ ફોર્સ પહોંચી ગઈ છે.

રિપોર્ટ અનુસાર,  ચૈત્ર મહિનાના છેલ્લા મંગળવારે શીતળા માતા મંદિરમાં દર્શન અને પૂજા માટે મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા. મંદિરમાં પોલીસ અને વહીવટી વ્યવસ્થા ઓછી હતી. દરમિયાન, દર્શન કરવાની ઉતાવળમાં કેટલાક ભક્તો લાઈન તોડીને એકબીજા પર ચઢવા લાગ્યા હતા. જેના કારણે અરાજકતા સર્જાઈ હતી. પરિણામે મંદિરમાં ભાગદોડ મચી ગઈ, જેમાં લોકો પડી ગયા અને એકબીજા ઉપર થઈને દોડવા લાગ્યા હતા. નાસભાગની માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. પોલીસે એક ડઝનથી વધુ લોકોને હોસ્પિટલમાં ખસેડ્યા, જેમાંથી આઠ લોકોને ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા. 

આ ઘટના બાદ પોલીસ વહીવટીતંત્ર પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. પ્રત્યક્ષદર્શીઓ આ ઘટના માટે પોલીસ અને વહીવટીતંત્રની બેદરકારીને જવાબદાર ઠેરવે છે.

આજે નાલંદા યુનિવર્સિટી દીક્ષાંત સમારોહ

અહેવાલો અનુસાર, નાલંદા યુનિવર્સિટીનો દીક્ષાંત સમારોહ આજે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રાજગીરમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપવાના છે. મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ નાલંદા યુનિવર્સિટી દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે. નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી પણ તેમની સાથે રહેશે. આનાથી સવાલ ઉભા થાય છે કે શું આ કાર્યક્રમના કારણે મંદિરની સુરક્ષા વ્યવસ્થામાં બેદરકારી દાખવવામાં આવી હતી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારત-અમેરિકા ટ્રેડ ડીલમાં નવો વળાંક: પિયુષ ગોયલે મૂકી આકરી શરત, શું અમેરિકા માનશે ભારતની શરત?
ભારત-અમેરિકા ટ્રેડ ડીલમાં નવો વળાંક: પિયુષ ગોયલે મૂકી આકરી શરત, શું અમેરિકા માનશે ભારતની શરત?
પેપર લીક કરનારાઓની હવે ખેર નથી: 10 વર્ષની જેલ અને 50 લાખનો દંડ, જાણો નવા નિયમો
પેપર લીક કરનારાઓની હવે ખેર નથી: 10 વર્ષની જેલ અને 50 લાખનો દંડ, જાણો નવા નિયમો
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ

વિડિઓઝ

Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
Embed widget