શોધખોળ કરો

પહલગામ હુમલાને આજે એક મહિનો પુરો, તપાસથી લઇને પાકિસ્તાનને પાઠ ભણાવવા સુધી, જાણો અત્યાર સુધીના અપડેટ્સ

જમ્મુ અને કાશ્મીરના પહલગામ આતંકવાદી હુમલામાં એક વિદેશી સહિત 26 પ્રવાસીઓ માર્યા ગયા હતા

જમ્મુ અને કાશ્મીરના પહલગામ આતંકવાદી હુમલામાં એક વિદેશી સહિત 26 પ્રવાસીઓ માર્યા ગયા હતા. આ ક્રૂર ઘટના 22 એપ્રિલના રોજ બની હતી. આજે આ કાયર આતંકવાદી હુમલાને એક મહિનો પૂર્ણ થયો છે. આ એક મહિનામાં ઘણું બધું બન્યું હતું. ઝડપથી બદલાતી ઘટનામાં ભારતે સિંધુ જળ સંધિ રદ કરી હતી. પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. પાકિસ્તાન સાથે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ અને પછી યુદ્ધવિરામની પણ જાહેરાત કરવામાં આવી. પહલગામ હુમલાની તપાસથી લઈને ભારતના વૈશ્વિક મિશન સુધી આ એક મહિનામાં શું શું થયું?

પહલગામ હુમલાની તપાસ NIA કરી રહી છે

પહલગામ હુમલાના બીજા જ દિવસે રાષ્ટ્રીય તપાસ એજન્સીએ કેસની તપાસ પોતાના હાથમાં લીધી હતી. NIA ટીમે 23 એપ્રિલે આ આતંકવાદી હુમલાની તપાસ શરૂ કરી હતી. તપાસ ટીમ સતત બૈસરન ખીણમાં પહોંચી અને ગુનાના સ્થળનું નિરીક્ષણ કર્યું અને પૂછપરછ કરી હતી. વિદેશ મંત્રાલયે સંસદીય સ્થાયી સમિતિને જાણ કરી છે કે પહલગામ હુમલામાં સામેલ આતંકવાદીઓ અને પાકિસ્તાનમાં બેઠેલા તેમના આકાઓ વચ્ચે સંપર્ક હતો. આ હુમલો અગાઉના હુમલાઓ જેવો જ છે જેની જવાબદારી 'ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ' (TRF) એ લીધી હતી. લશ્કર-એ-તૌયબાનું બીજું નામ TRF છે.

સિંધુ જળ સંધિ સ્થગિત

પહલગામ આતંકવાદી હુમલાના બીજા જ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા પર કેબિનેટ સમિતિ (CCS) ની બેઠક યોજાઈ હતી. 23 એપ્રિલના રોજ યોજાયેલી આ બેઠકમાં પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ અંગે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. ભારતે સિંધુ જળ સંધિ રદ કરી હતી. આ માહિતી પાકિસ્તાનને પણ આપવામાં આવી હતી. ભારતે પાકિસ્તાનને સ્પષ્ટપણે કહ્યું હતું કે જ્યાં સુધી તે આતંકવાદને ટેકો આપવાનું બંધ ન કરે ત્યાં સુધી આ સંધિ સ્થગિત રહેશે. પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, વિદેશમંત્રી એસ જયશંકર, સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ તેમજ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ હાજર રહ્યા હતા.

અટારી બોર્ડર બંધ

ભારતે સીસીએસની બેઠકમાં જ બીજો મોટો નિર્ણય લીધો હતો. ભારત તરફથી પણ અટારી સરહદ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. અટારી ઇન્ટિગ્રેટેડ ચેક પોસ્ટને તાત્કાલિક અસરથી બંધ કરવાની જાહેરાત કરીને, ભારતે પાકિસ્તાની નાગરિકોને આપવામાં આવેલા વિઝા રદ કર્યા હતા. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ સાર્ક વિઝા છૂટ યોજના હેઠળ પાકિસ્તાની નાગરિકોને આપવામાં આવેલા વિઝા રદ કરવા અંગે માહિતી આપી અને કહ્યું કે આ વિઝા પર ભારત આવેલા લોકોએ 48 કલાકની અંદર દેશ છોડી દેવો જોઈએ. માન્ય દસ્તાવેજોના આધારે ભારત આવેલા પાકિસ્તાની નાગરિકોને 1 મે પહેલા દેશ છોડી દેવાનું કહેવામાં આવ્યું હતું.

પહલગામ હુમલાના બીજા જ દિવસે ભારતે પાકિસ્તાની દૂતાવાસના સંરક્ષણ અથવા લશ્કરી, નૌકાદળ અને વાયુસેના સલાહકારોને પર્સોના નોન ગ્રેટા જાહેર કર્યા હતા. આ અધિકારીઓને સાત દિવસની અંદર ભારત છોડી દેવાનું કહેવામાં આવ્યું હતું. પાકિસ્તાની દૂતાવાસના અધિકારી અહસાન-ઉર-રહીમ ઉર્ફે દાનિશને 13 મેના રોજ સરકારે પર્સોના નોન ગ્રેટા જાહેર કર્યો હતો અને ભારત છોડવાનું કહેવામાં આવ્યું હતું. પહલગામ હુમલાના એક મહિના પહેલા 21 મેના રોજ ભારતે એક પાકિસ્તાની અધિકારીને પર્સોના નોન ગ્રેટા જાહેર કર્યો હતો અને તેને 24 કલાકની અંદર દેશ છોડી દેવાનું કહ્યું હતું.

સેનાએ પાકિસ્તાનને પાઠ ભણાવ્યો

ભારત સરકારે આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવા માટે સેનાને છૂટ આપી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રણેય સશસ્ત્ર દળોના વડાઓ, સંરક્ષણ સ્ટાફના વડા અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સાથે સતત બેઠકો કરી. સેનાએ 6 અને 7 મેની રાત્રે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સહિત સરહદ પાર સ્થિત નવ આતંકવાદી કેમ્પોનો નાશ કર્યો હતો

7 મેની રાત્રે પાકિસ્તાનના વળતા હુમલાના પ્રયાસને નિષ્ફળ બનાવતા ભારતીય સેનાએ પડોશી દેશના લશ્કરી ઠેકાણાઓ પર મિસાઇલો છોડી હતી. ભારતીય સેનાના હુમલામાં પાકિસ્તાનના અડધો ડઝન એરબેઝને નષ્ટ કર્યા હતા. સેનાનું ઓપરેશન સિંદૂર ચાર દિવસ સુધી ચાલ્યું. બંને દેશો વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ વધુ ઘેરી બનતી ગઈ, ત્યારે પાકિસ્તાની ડીજીએમઓએ તેમના ભારતીય સમકક્ષને ફોન કર્યો અને યુદ્ધવિરામ પર સંમતિ સધાઈ હતી

ભારતનું વૈશ્વિક મિશન, પ્રતિનિધિમંડળ મોકલ્યા

પાકિસ્તાન સાથે યુદ્ધવિરામ જાહેર કરવામાં આવ્યો છે પરંતુ ભારત હવે વૈશ્વિક સ્તરે પાકિસ્તાનને બેનકાબ કરવા માટે વૈશ્વિક મિશનમાં વ્યસ્ત છે. ભારતે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ દ્વારા પાકિસ્તાનને આપવામાં આવેલી લોનનો વિરોધ કર્યો, નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ એશિયન વિકાસ બેન્કને પાકિસ્તાનને ભંડોળ બંધ કરવાની અપીલ કરી. હવે ભારત આતંકવાદના મુદ્દા પર પાકિસ્તાનને બેનકાબ કરવા માટે સાત સર્વપક્ષીય પ્રતિનિધિમંડળો મોકલી રહ્યું છે. પ્રથમ બેચના પ્રતિનિધિમંડળો પણ વિદેશ પહોંચી ગયા છે.

ટોપ સ્ટોરી

Delhi Building Collapse: દિલ્હીમાં 5 માળની ઇમારત ધરાશાયી; અનેક વિદ્યાર્થીઓ ફસાયા હોવાની આશંકા
Delhi Building Collapse: દિલ્હીમાં 5 માળની ઇમારત ધરાશાયી; અનેક વિદ્યાર્થીઓ ફસાયા હોવાની આશંકા
ભારતીય અને ચીનના કોર્પ્સ કમાન્ડરની પહેલી મોટી બેઠક અરુણાચલ પ્રદેશમાં યોજાશે. એજન્ડા શું છે?
ભારતીય અને ચીનના કોર્પ્સ કમાન્ડરની પહેલી મોટી બેઠક અરુણાચલ પ્રદેશમાં યોજાશે. એજન્ડા શું છે?
ગુજરાત બાદ MP માં ઝેરી દારૂનો કહેર, 9 ના મોત, CM મોહન યાદવે આપ્યો કડક કાર્યવાહીનો આદેશ
ગુજરાત બાદ MP માં ઝેરી દારૂનો કહેર, 9 ના મોત, CM મોહન યાદવે આપ્યો કડક કાર્યવાહીનો આદેશ
કન્ફર્મ ટિકિટ બાદ પણ રેલવે વસૂલશે પેનલ્ટી! જાણો રેલવેનો નવો લગેજ નિયમ
કન્ફર્મ ટિકિટ બાદ પણ રેલવે વસૂલશે પેનલ્ટી! જાણો રેલવેનો નવો લગેજ નિયમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મરણ પથારી પર આયોજન
Hun To Bolish : હું તો બોલીશ : અંધશ્રદ્ધાનું ઓપરેશન ક્યારે ?
Gujarat Assembly Monsoon Session: ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રને લઈને મોટા સમાચાર! સોમવારે મળશે મહત્વની બેઠક
Abp Asmita Impact: 'ભૂતિયા વિદ્યાર્થીઓ' વાળી શાળાઓ સામે હવે થશે કાર્યવાહી! શિક્ષણમંત્રીની મોટી ખાતરી
Ahmedabad Bomb Threat : કોર્ટને બોમ્બની ધમકી મળતા અફરાતફરી! પોલીસ અને બોમ્બ સ્ક્વોડની તપાસ શરૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Building Collapse: દિલ્હીમાં 5 માળની ઇમારત ધરાશાયી; અનેક વિદ્યાર્થીઓ ફસાયા હોવાની આશંકા
Delhi Building Collapse: દિલ્હીમાં 5 માળની ઇમારત ધરાશાયી; અનેક વિદ્યાર્થીઓ ફસાયા હોવાની આશંકા
રાજકોટના દહીસરામાં કરૂણાંતિકા: ચેકડેમમાં ડૂબી જતા 4 બાળકોનાં કમકમાટીભર્યાં મોત
રાજકોટના દહીસરામાં કરૂણાંતિકા: ચેકડેમમાં ડૂબી જતા 4 બાળકોનાં કમકમાટીભર્યાં મોત
Patan: રાધનપુર-વારાહી હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3 લોકોના ઘટનાસ્થળે જ મોત
Patan: રાધનપુર-વારાહી હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3 લોકોના ઘટનાસ્થળે જ મોત
Today Weather: આજે 14 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, 65 કિમની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: આજે 14 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, 65 કિમની ઝડપે ફૂંકાશે પવન
Miss World 2026: જોહેરી મોલ બની મિસ વર્લ્ડ,ટોપ 20 માંથી બહાર થઈ ભારતની નિકિતા પોરવાલ
Miss World 2026: જોહેરી મોલ બની મિસ વર્લ્ડ,ટોપ 20 માંથી બહાર થઈ ભારતની નિકિતા પોરવાલ
Football: ઈતિહાસમાં પહેલીવાર એકસાથે રમશે રોનાલ્ડો અને મેસી? જાણો ક્યારે રમાશે મેચ
Football: ઈતિહાસમાં પહેલીવાર એકસાથે રમશે રોનાલ્ડો અને મેસી? જાણો ક્યારે રમાશે મેચ
Morbi: મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાંથી નેપાળી યુવકનો લટકતી હાલતમાં મૃતદેહ મળી આવતા ખળભળાટ
Morbi: મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાંથી નેપાળી યુવકનો લટકતી હાલતમાં મૃતદેહ મળી આવતા ખળભળાટ
ડ્રગ્સના દૂષણને દૂર કરવા ગુજરાત પોલીસનો મહત્વનો નિર્ણય, એન્ટી નાર્કોટિક્સ વિંગ સંભાળશે કમાન
ડ્રગ્સના દૂષણને દૂર કરવા ગુજરાત પોલીસનો મહત્વનો નિર્ણય, એન્ટી નાર્કોટિક્સ વિંગ સંભાળશે કમાન
Embed widget