શોધખોળ કરો

કામની વાતઃ ઉંમર નક્કી કરવા માટે આધાર કાર્ડ માન્ય દસ્તાવેજ નથી, સુપ્રીમ કોર્ટે આપ્યો આ મહત્વપૂર્ણ ચુકાદો

સુપ્રીમ કોર્ટે પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટના એ આદેશને રદ કરી દીધો જેમાં વળતર આપવા માટે રોડ અકસ્માતમાં જીવ ગુમાવનાર વ્યક્તિની ઉંમર નક્કી કરવા માટે આધાર કાર્ડને સ્વીકારી લેવામાં આવ્યું હતું.

Aadhaar card not valid for age determination: આધાર કાર્ડ ભલે ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે, પરંતુ જ્યારે કોઈ ખાસ પરિસ્થિતિમાં ઉંમર નક્કી કરવાની વાત આવે ત્યારે આધાર કાર્ડ તેના માટે માન્ય દસ્તાવેજ નથી. સુપ્રીમ કોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન આ ચુકાદો આપ્યો છે. સમાચાર મુજબ, સુપ્રીમ કોર્ટે ગુરુવારે પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટના એ આદેશને રદ કરી દીધો જેમાં વળતર આપવા માટે રોડ અકસ્માતમાં જીવ ગુમાવનાર વ્યક્તિની ઉંમર નક્કી કરવા માટે આધાર કાર્ડને સ્વીકારી લેવામાં આવ્યું હતું.

સમાચાર મુજબ, જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાંની બેન્ચે કહ્યું કે મૃતકની ઉંમર કિશોર ન્યાય (બાળકોની સંભાળ અને સંરક્ષણ) અધિનિયમ, 2015ની કલમ 94 હેઠળ શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં દર્શાવેલ જન્મતારીખ પરથી નક્કી કરવી જોઈએ. બેન્ચે નોંધ્યું કે ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણે તેના પરિપત્ર નંબર 8/2023 દ્વારા, ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય દ્વારા 20 ડિસેમ્બર, 2018ના રોજ જારી કરાયેલા કાર્યાલય જ્ઞાપનના સંદર્ભમાં કહ્યું છે કે આધાર કાર્ડનો ઉપયોગ ઓળખ સ્થાપિત કરવા માટે થઈ શકે છે, પરંતુ તે જન્મતારીખનો પુરાવો નથી.

સુપ્રીમ કોર્ટે દાવેદાર અપીલકર્તાઓની દલીલ સ્વીકારી અને મોટર અકસ્માત દાવા ન્યાયાધિકરણ (MACT)ના નિર્ણયને કાયમ રાખ્યો, જેણે મૃતકની ઉંમરની ગણતરી તેના શાળા છોડ્યાના પ્રમાણપત્રના આધારે કરી હતી. સર્વોચ્ચ અદાલત 2015માં એક રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારજનો દ્વારા દાખલ કરાયેલી અપીલ પર સુનાવણી કરી રહી હતી. MACT, રોહતકે 19.35 લાખ રૂપિયાના વળતરનો આદેશ આપ્યો હતો જેને હાઈ કોર્ટે વળતર નક્કી કરતી વખતે ઉંમર ગુણાંકનો ખોટી રીતે ઉપયોગ કરાયો હોવાનું જોયા બાદ ઘટાડીને 9.22 લાખ રૂપિયા કરી દીધો હતો.

હાઈ કોર્ટે મૃતકના આધાર કાર્ડ પર વિશ્વાસ રાખીને તેની ઉંમર 47 વર્ષ આંકી હતી. પરિવારે દલીલ કરી કે હાઈ કોર્ટે આધાર કાર્ડના આધારે મૃતકની ઉંમર નક્કી કરવામાં ભૂલ કરી છે કારણ કે જો તેના શાળા છોડ્યાના પ્રમાણપત્ર મુજબ તેની ઉંમરની ગણતરી કરવામાં આવે તો મૃત્યુ સમયે તેની ઉંમર 45 વર્ષ હતી.

આ પણ વાંચોઃ

મોંઘવારીનો 'ડબલ ડોઝ', મોબાઇલ રિચાર્જ બાદ હવે TV જોવું પણ થશે મોંઘું?

સતત 4 દિવસ બંધ રહેશે શેર બજાર? દિવાળી પર માર્કેટમાં રજાઓ ક્યારે છે?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
Jagannath Rath Yatra 2026: રવિ યોગમાં પુરીમાં જગન્નાથ મહાપ્રભુની રથયાત્રાનું પ્રસ્થાન, જાણો પુરેપુરૂ શિડ્યૂલ
Jagannath Rath Yatra 2026: રવિ યોગમાં પુરીમાં જગન્નાથ મહાપ્રભુની રથયાત્રાનું પ્રસ્થાન, જાણો પુરેપુરૂ શિડ્યૂલ
"તમે ઇચ્છો છો કે મને હાર્ટ એટેક આવે, પણ..." ભાજપ પર મમતા બેનર્જીનો સૌથી મોટો પ્રહાર!
Weather Update: દેશના 22 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, આ રાજ્યમાં રેડ એલર્ટ જાહેર
Weather Update: દેશના 22 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, આ રાજ્યમાં રેડ એલર્ટ જાહેર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતા ઇમ્પેક્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરપીડિતોને સરકારની સહાય
Hun To Bolish : હું તો બોલીશ : વર્દીની લાજ તો રાખો
Gujarat Rain Breaking : ગુજરાતમાં સાંજ સુધીમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Vadodara Rain : વડોદરા શહેરમાં વરસાદનો પ્રારંભ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
ખેડૂતો માટે મોટા સમાચાર, આ ત્રણ કામ નહીં કરો તો અટકી જશે પીએમ કિસાન યોજનાના પૈસા
ખેડૂતો માટે મોટા સમાચાર, આ ત્રણ કામ નહીં કરો તો અટકી જશે પીએમ કિસાન યોજનાના પૈસા
Ahmedabad Jagannath Rath Yatra 2026 live: ભાઈ બલરામ, બહેન સુભદ્રાજી સાથે જગતના નાથ નીકળ્યા નગરચર્ચાએ, ભક્તોમાં અનેરો ઉત્સાહ
Ahmedabad Jagannath Rath Yatra 2026 live: ભાઈ બલરામ, બહેન સુભદ્રાજી સાથે જગતના નાથ નીકળ્યા નગરચર્ચાએ, ભક્તોમાં અનેરો ઉત્સાહ
Ahmedabad Rath Yatra: અમદાવાદમાં 149મી રથયાત્રાનો પ્રારંભ, પહિંદ વિધિ બાદ CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યું પ્રસ્થાન
Ahmedabad Rath Yatra: અમદાવાદમાં 149મી રથયાત્રાનો પ્રારંભ, પહિંદ વિધિ બાદ CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યું પ્રસ્થાન
IND vs ENG: ફક્ત એક ખેલાડીની થશે એન્ટ્રી! બીજી વન-ડેમાં આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
IND vs ENG: ફક્ત એક ખેલાડીની થશે એન્ટ્રી! બીજી વન-ડેમાં આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
અમેરિકાએ સતત પાંચમા દિવસે ઈરાન પર કર્યો હુમલો, એક જહાજ નષ્ટ, બંદર અબ્બાસ, ચાબહારમાં વિસ્ફોટ
અમેરિકાએ સતત પાંચમા દિવસે ઈરાન પર કર્યો હુમલો, એક જહાજ નષ્ટ, બંદર અબ્બાસ, ચાબહારમાં વિસ્ફોટ
FIFA World Cup 2026: સાતમી વખત વર્લ્ડકપ ફાઈનલમાં મેસ્સીની ટીમ આર્જેન્ટિના, સેમિફાઈનલમાં ઈગ્લેન્ડને હરાવ્યું
FIFA World Cup 2026: સાતમી વખત વર્લ્ડકપ ફાઈનલમાં મેસ્સીની ટીમ આર્જેન્ટિના, સેમિફાઈનલમાં ઈગ્લેન્ડને હરાવ્યું
Embed widget