શોધખોળ કરો

Gujarat Election 2022 : ગુજરાતની આ બેઠકના ઉમેદવાર અને પરિવારનું પણ અપહરણ : AAPનો સનસની દાવો

મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે, હું ચૂંટણી પંચને ભલામણ કરીશ કે, આ અપહરણ માત્ર આમ આદમીના ઉમેદવારનું જ નથી થયું પણ આ લોકતંત્રનું અપહરણ છે.

Gujarat Election 2022 : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ માહોલ બરાબરનો ગરમાઈ રહ્યો છે. આરો-પ્રત્યારોપની રાજનીતિ પણ વેગીલી બની છે. હવે આમ આદમી પાર્ટીએ ગંભીર આરોપ લગાવ્યો છે કે,. સૂરતમાંથી આપના ઉમેદવાર કંચન જરીવાલાનું અપહરણ થઈ ગયું છે. પાર્ટીએ દાવો કર્યો છે કે,  જરીવાલાનું અપહરણ કરી લેવામાં આવ્યું છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું છે કે, મેં મુખ્ય ચૂંટણી પંચને મળવાનો સમય માંગ્યો છે. 

મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે, હું ચૂંટણી પંચને ભલામણ કરીશ કે, આ અપહરણ માત્ર આમ આદમીના ઉમેદવારનું  જ નથી થયું પણ આ લોકતંત્રનું અપહરણ છે. આપ નેતા સંજય સિંહ અને રાઘવ ચઢ્ઢાએ પણ ગંભીર આરોપ લગાવ્યા હતાં. 

આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે, ભાજપે સૂરત (પૂર્વ)થી અમારા ઉમેદવાર કંચન જરીવાલાનું અપહરણ કરી લીધું છે. જરીવાલા છેલ્લી વખત ગઈ કાલે આરઓ ઓફિસમાં  જોવા મળ્યાં હતાં.સિસોદિયાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે, જરીવાલાનું ઉમેદવારીપત્ર પણ રદ્દ્ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેમના પર ઉમેદવારીપત્ર પાછુ ખેંચવાનું દબાણ બનાવવામાં આવ્યું. આ બાબત ચૂંટણી પંચ પર જ સવાલ ઉભા કરે છે. 

સંજય સિંહે કહ્યું કે... 

આ અગાઉ રાજ્યસભાના સાંસદ અને આપ નેતા સંજય સિંહે પણ કંઈક આ પ્રકારનો જ દાવો કર્યો હતો. તેમને ટ્વિટ કરી કહ્યું હતું કે, ગુજરાતમાં ચૂંટણી યોજાઈ ર્હી છે કે પછી ખુલ્લેઆમ લોકતંત્રનું ગળું રૂંધવામાં આવી રહ્યું છે. સૂરત પૂર્વના આપના ઉમેદવાર કંચન જરીવાલા ગઈ કાલથી જ લાપતા છે. વીડિયોમાં દેખાઈ રહેલા લોકો ભાજપના છે. તેમના પર કાર્યવાહી કરવાથી લાપતા ઝરીવાલાની ભાળ મેળવી શકાય છે. ભાજપ ચૂંટણી પહેલા જ હાર માની ચુકી છે અને હવે ઉમેદવારોના અપહરણ પર ઉભરી આવી છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે, જ્યારે આપ ઉમેદવાર કંચન જરીવાલાનું ઉમેદવારી પત્ર રદ્દ ના થઈ શક્યું તો તેમનું અપહરણ કરી લેવામાં આવ્યું. તેમણે કહ્યું હતું કે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પોતાના  કામ ગણાવી રહ્યાં છે અને ભાજપ નેતાઓના અપહરણ કરી રહી છે.     

જરીવાલાનો ફોન સ્વિચ ઓફ : રાઘવ ચઢ્ઢા

આપ સાંસદ રાઘવ ચઢ્ઢાએ પણ આરોપ લગાવતા કહ્યું હતું કે, સૂરત પૂર્વ બેઠકના ઉમેદવાર કંચન જરીવાલાનું  ભાજપે અપહરણ કરી લીધું છે. પહેલા ભાજપે તેમનું ઉમેદવારીપત્ર રદ્દ થાય તેવા અનેક પ્રયાસ કર્યા અને ત્યાર બાદ જરીવાલાને ઉમેદવારીપત્ર પાછું ખેંચવા મજબુર કરવામાં આવ્યા. આખરે તેમનું અપહરણ કરવામાં આવ્યું. તેઓ ગઈ કાલે બપોરથી જ લાપતા છે. તેમનો ફોન સ્વિચ ઓફ આવી રહ્યો છે. 
  
ઈસુદાન ગઢવીના ગંભીર આરોપ

ગુજરાતમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઈસુદાન ગઢવીએ જરીવાલાના અપહરણનો દાવો કરી ભાજપ પર નિશાન તાક્યું છે. તેમણે કહ્યું હતું કે, ભાજપ આપથી એ હદે ડરી ગઈ છે કે, તે ગુંડાગર્દી પર ઉતરી આવી છે. સૂરત ઈસ્ટ પરથી ચૂંટણી લઈ રહેલા અમારા ઉમેદવાર કંચન જરીવાલા પાછળ ભાજપ છેલ્લા કેટલાક સમયથી પડી ગયું હતું અને આજે તેઓ ખરેખર ગાયબ છે. ભાજપના ગુંડા જ તેમને ઉઠાવી ગયા છે. ઈસુદાને ગંભીર આરોપ લગાવતા કહ્યું હતું કે,જરીવાલાની સાથો સાથ તેમનો પરિવાર પણ ગાયબ છે. ભાજપ હજી કેટલી હદો વટાવશે? 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget