Amanatullah Khan Gets Bail: AAP ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનને જામીન મળ્યા, જાણો તેમના પર શું છે આરોપ?
દિલ્હીની એક અદાલતે આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનને દિલ્હી વક્ફ બોર્ડમાં કથિત અનિયમિતતા સંબંધિત કેસમાં જામીન મંજૂર કર્યા છે.
![Amanatullah Khan Gets Bail: AAP ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનને જામીન મળ્યા, જાણો તેમના પર શું છે આરોપ? AAP MLA Amanatullah Khan gets bail in Delhi Waqf Board graft case Amanatullah Khan Gets Bail: AAP ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનને જામીન મળ્યા, જાણો તેમના પર શું છે આરોપ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/17/36bc1f72c177bbba6d0c4ea2a27ba6391663416542331555_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Amanatullah Khan Gets Bail: દિલ્હીની એક અદાલતે આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનને દિલ્હી વક્ફ બોર્ડમાં કથિત અનિયમિતતા સંબંધિત કેસમાં જામીન મંજૂર કર્યા છે. અગાઉ મંગળવારે (27 સપ્ટેમ્બર) વિશેષ ન્યાયાધીશ વિકાસ ઢુલેએ ચુકાદો અનામત રાખ્યો હતો. જામીન મળ્યા બાદ ખાને તેને સત્યની જીત ગણાવી હતી.
सच की जीत हुई...
— Amanatullah Khan AAP (@KhanAmanatullah) September 28, 2022
Team AK pic.twitter.com/SQU6m9ySmu
રાઉઝ એવન્યુ કોર્ટમાં અમાનતુલ્લા ખાન તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ રાહુલ મહેરાએ કહ્યું હતું કે કોઈ નિયમનું ઉલ્લંઘન કરવામાં આવ્યું નથી અને આરોપ પ્રક્રિયાગત ભૂલ છે. તેમણે કહ્યું કે ભંડોળનો કોઈ દુરુપયોગ થયો નથી અને તેનો કોઈ પ્રથમદર્શી પુરાવો નથી. ભંડોળના કથિત દુરુપયોગના સંદર્ભમાં વકીલે કહ્યું કે દરેક પૈસાનો હિસાબ હતો.
Delhi's Rouse Avenue Court grants bail to AAP MLA Amanatullah Khan on Rs one lakh bail bond and one like amount surety.
— ANI (@ANI) September 28, 2022
અમાનતુલ્લા ખાન સામે શું આરોપ છે?
આ દલીલોનો વિરોધ કરતાં અધિક સરકારી વકીલ અતુલ શ્રીવાસ્તવે કહ્યું હતું કે મામલો હજુ જામીન આપવાના તબક્કે પહોંચ્યો નથી. તેમણે એમ પણ કહ્યું કે ખાને એજન્સીને ખોટું કહ્યું હતું કે તેનો મોબાઈલ ફોન ખોવાઈ ગયો હતો.ન્યાયાધીશે તેમને પૂછ્યું કે ખાનના ભંડોળના કથિત દુરુપયોગથી સરકારી તિજોરીને કેવી રીતે નુકસાન થયું અને જો કોઈ હોય તો કેટલું નુકસાન થયું તે પણ પૂછ્યું.
દરમિયાન, કોર્ટે ખાનના કથિત સહાયક અને સહ-આરોપી લદ્દાનને બે દિવસની એસીબી કસ્ટડીમાં મોકલી દીધો છે.આ પહેલા સોમવારે કોર્ટે AAP ધારાસભ્ય અમાનતુલ્લા ખાનને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા. ખાનની એસીબીએ 16 સપ્ટેમ્બરે તેના પરિસરમાં દરોડા પાડીને ધરપકડ કરી હતી. FIR અનુસાર, ખાને દિલ્હી વક્ફ બોર્ડના અધ્યક્ષ તરીકેના કાર્યકાળ દરમિયાન તમામ નિયમો અને સરકારી માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરીને કથિત રીતે 32 લોકોની ભરતી કરી હતી.
Congress President Election: શશિ થરુરની સાથે આ દિગ્ગજ નેતા પણ લડી શકે છે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી, ગેહલોત પણ દિલ્હી પહોંચ્યા
New CDS of India: દેશને મળ્યા નવા CDS, રી. લેફ્ટિનેન્ટ જનરલ અનિલ ચૌહાણની બીજા સીડીએસ તરીકે કરાઈ નિયુક્તિ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)