શોધખોળ કરો

Aditya L1:ચંદ્રયાન-3ની સફળતા બાદ આદિત્ય L1 શા માટે કરાશે લોન્ચ, જાણો શું થશે ફાયદો

Aditya L-1: આદિત્ય L-1 સૂર્યનું અધ્યયન કરશે, ઇસરોએ આ મિશનને ભારતનું સૌર મિશન પણ ગણાવ્યું છે. સૂર્યનો વ્યવસ્થિત અભ્યાસ કરવા માટે આ અધ્યયન માટે સાત વૈજ્ઞાનિકોની પેલોડ સેટ લઇ જશે.

Aditya L-1:ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ ચંદ્રયાન-3નું ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક લેન્ડિંગ કરીને ઈતિહાસ રચ્યો છે. ઉત્સાહી રાષ્ટ્રીય અવકાશ એજન્સીનું મિશન અહીં અટકવાનું નથી. એજન્સી આવતા મહિને આદિત્ય-એલ1 મિશન શરૂ કરવાની તૈયારી કરી રહી છે. આ મિશનનો હેતુ સૂર્યનો અભ્યાસ કરવાનો છે.

ચંદ્રયાન-3ની ઐતિહાસિક સફળતા બાદ હવે દુનિયાની નજર આદિત્ય-એલ1 મિશન પર રહેશે. આદિત્ય-એલ1 શું છે? મિશનના ઉદ્દેશ્યો શું છે? મિશનના ઘટકો શું છે? તે ક્યારે લોન્ચ થશે? સૂર્યનો અભ્યાસ શા માટે મહત્વપૂર્ણ છે? ચાલો સમજીએ..

પહેલા જાણો આદિત્ય-એલ1 શું છે?

આદિત્ય L1 એ સૂર્યનો અભ્યાસ કરવાનું મિશન છે. આ સાથે ઈસરોએ તેને પ્રથમ અવકાશ-આધારિત ઓબ્ઝર્વેટરી શ્રેણી ભારતીય સૌર મિશન ગણાવ્યું છે. અવકાશયાનને સૂર્ય-પૃથ્વી પ્રણાલીના લેગ્રેંગિયન પોઈન્ટ 1 (L1) ની આસપાસ પ્રભામંડળની ભ્રમણકક્ષામાં મૂકવાની યોજના છે, જે પૃથ્વીથી આશરે 1.5 મિલિયન કિમી દૂર છે. વાસ્તવમાં, લેગ્રેન્જિયન બિંદુઓ એવા છે કે જ્યાં બે પદાર્થો વચ્ચે કામ કરતા તમામ ગુરુત્વાકર્ષણ બળો એકબીજાને રદ કરે છે. આ કારણે L1 પોઈન્ટનો ઉપયોગ અવકાશયાનના ટેક-ઓફ માટે થઈ શકે છે.

મિશનના ઉદ્દેશ્યો શું છે?

ભારતના મહત્વાકાંક્ષી સૌર મિશન આદિત્ય એલ-1 સૌર કોરોનાનું માળખું (સૂર્યના વાતાવરણનો સૌથી બહારનો ભાગ) અને તેની ગરમીની પ્રક્રિયા, તેનું તાપમાન, સૌર વિસ્ફોટ અને સૌર તોફાનના કારણો અને મૂળ, કોરોના અને કોરોનલ લૂપ પ્લાઝમાની રચના, વેગ અને ઘનતા, કોરોનાના ચુંબકીય ક્ષેત્રનું માપ, કોરોનલ માસ ઇજેક્શનની ઉત્પત્તિ, ઉત્ક્રાંતિ અને હિલચાલ,સૌર પવનો અને અવકાશના હવામાનને અસર કરતા પરિબળોનું અધ્યયન કરશે.

મિશન ક્યારે લોન્ચ  થશે?

ચંદ્રયાન-3 મિશનની ભવ્ય સફળતાના કલાકો બાદ બુધવારે ઈસરોના વડા એસ સોમનાથે જાહેરાત કરી હતી કે આદિત્ય એલ-1 મિશન સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં લોન્ચ કરવામાં આવશે. મિશનના પ્રક્ષેપણ અંગે ઈસરોના વડાએ કહ્યું કે બધું જ યોજના પ્રમાણે ચાલી રહ્યું છે અને સંભવતઃ સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં લોન્ચ કરવામાં આવશે.

સૂર્યનો અભ્યાસ શા માટે જરૂરી છે?

સૂર્ય સૌથી નજીકનો તારો છે અને તેથી અન્ય તારાઓ કરતાં તેનો વધુ વિગતવાર અભ્યાસ કરી શકાય છે. ઈસરોના જણાવ્યા મુજબ, સૂર્યનો અભ્યાસ કરીને, આપણે આપણી પોતાની આકાશગંગાના તારાઓ તેમજ અન્ય ઘણી આકાશગંગાના તારાઓ વિશે ઘણું જાણી શકીએ છીએ. સૂર્ય એક ખૂબ જ ગતિશીલ તારો છે જે આપણે જોઈએ છીએ તેના કરતા વધુ ફેલાયેલો છે. તેમાં ઘણી વિસ્ફોટક ઘટનાઓ છે, તેની સાથે તે સૂર્યમંડળમાં મોટી માત્રામાં ઉર્જા પણ છોડે છે.

આ સિવાય, જો કોઈ અવકાશયાત્રી આવી વિસ્ફોટક ઘટનાઓના સીધા સંપર્કમાં આવે છે તો તેને જોખમ થઈ શકે છે. સૂર્ય પર ઘણી થર્મલ અને ચુંબકીય ઘટનાઓ થાય છે જે હિંસક પ્રકૃતિની હોય છે. આમ સૂર્ય એ ઘટનાને સમજવા માટે સારી પ્રાકૃતિક પ્રયોગશાળા પણ પૂરી પાડે છે જેનો પ્રયોગશાળામાં સીધો અભ્યાસ કરી શકાતો નથી.

આ પણ વાંચો 

chandrayaan 3: VIDEOમાં જુઓ વિક્રમ લેન્ડરમાંથી કેવી રીતે બહાર આવ્યું હતું પ્રજ્ઞાન રોવર, ઇસરોએ પોસ્ટ બીજો વીડિયો

 PM Modi Greece visit: PM મોદી એક દિવસના પ્રવાસ પર ગ્રીસ પહોંચ્યા, ઢોલ નગારા સાથે પ્રવાસી ભારતીઓએ કર્યું સ્વાગત

 અમેરિકા અને ચીનની અર્થવ્યવસ્થામાં મંદી, આવી સ્થિતિમાં સોનું ખરીદવું ફાયદાનો સોદો સાબિત થઈ શકે છે, જાણો કારણ

 માત્ર એક કલાક કામ કરો અને વાર્ષિક 1.2 કરોડ રૂપિયાનો પગાર મેળવો, ગૂગલના કર્મચારીએ કર્યો ચોંકાવનારો ખુલાસો

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ગાડી ટ્રાન્સફર કરવું બનશે સરળ! સરકાર કરવા જઈ રહી છે મોટો બદલાવ
એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ગાડી ટ્રાન્સફર કરવું બનશે સરળ! સરકાર કરવા જઈ રહી છે મોટો બદલાવ
રિફાઈનરીઓને LPG ઉત્પાદન વધારવા સરકારનો આદેશ, રેસ્ટોરન્ટ્સ-હોટલમાં સપ્લાય માટે બનાવી કમિટી
રિફાઈનરીઓને LPG ઉત્પાદન વધારવા સરકારનો આદેશ, રેસ્ટોરન્ટ્સ-હોટલમાં સપ્લાય માટે બનાવી કમિટી
યુદ્ધની અસર: ગેસના બાટલાની અછતથી બેંગલુરુમાં હાહાકાર, આવતીકાલથી તમામ ખાણીપીણીની હોટલ બંધ રહેશે!
યુદ્ધની અસર: ગેસના બાટલાની અછતથી આ શહેરમાં હાહાકાર, આવતીકાલથી તમામ ખાણીપીણીની હોટલ બંધ રહેશે!
S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર
S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોને મળશે કેટલો ગેસ?
PM Modi : યુદ્ધની અસર સામાન્ય લોકો પર ન પડવી જોઇએ, મિડલ ઇસ્ટમાં તણાવ પર બોલ્યા PM મોદી
Gujarat Politics : દિલ્લીમાં પ્રધાનમંત્રી આવાસ પર PM સાથે મુખ્યમંત્રીએ કરી બેઠક
Hun To Bolish : હું તો બોલીશ : માર્ચમાં તાપનું ટોર્ચર
Hun To Bolish : હું તો બોલીશ : મેચની ટિકિટ ના મળતા ધારાસભ્યો દુઃખી!

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી સરકારનો મોટો નિર્ણય: ચીન હવે ભારતમાં કરી શકશે મોટું રોકાણ, નિયમો થયા હળવા
મોદી સરકારનો મોટો નિર્ણય: ચીન હવે ભારતમાં કરી શકશે મોટું રોકાણ, નિયમો થયા હળવા
ઈરાન યુદ્ધમાં અમેરિકાના અબજો સ્વાહા, યુદ્ધથી રશિયાને લાગી લોટરી, જાણો પુતિને કેવી રીતે મારી બાજી!
ઈરાન યુદ્ધમાં અમેરિકાના અબજો સ્વાહા, યુદ્ધથી રશિયાને લાગી લોટરી, જાણો પુતિને કેવી રીતે મારી બાજી!
સરકારી નોકરીની મોટી તક! પંચાયત વિભાગમાં 6000 ખાલી જગ્યાઓ ભરાશે, જાણો સંપૂર્ણ વિગત
સરકારી નોકરીની મોટી તક! પંચાયત વિભાગમાં 6000 ખાલી જગ્યાઓ ભરાશે, જાણો સંપૂર્ણ વિગત
2029 સુધીમાં ગુજરાત બનશે ફાટક મુક્ત: વાહનવ્યવહારની ભીડમાંથી મળશે છુટકારો, જાણો યોજના
2029 સુધીમાં ગુજરાત બનશે ફાટક મુક્ત: વાહનવ્યવહારની ભીડમાંથી મળશે છુટકારો, જાણો યોજના
ગુજરાત સ્થાનિક ચૂંટણીને લઈ કોંગ્રેસની મોટી જાહેરાત, આ લોકોને મળશે સૌથી વધુ ટિકિટ
ગુજરાત સ્થાનિક ચૂંટણીને લઈ કોંગ્રેસની મોટી જાહેરાત, આ લોકોને મળશે સૌથી વધુ ટિકિટ
ગોધરા, સુરત અને રાજકોટ સહિતના શહેરોમાં બોમ્બની ધમકથી અફરાતફરી, પોલીસ દોડતી થઈ
ગોધરા, સુરત અને રાજકોટ સહિતના શહેરોમાં બોમ્બની ધમકથી અફરાતફરી, પોલીસ દોડતી થઈ
વર્લ્ડ કપ જીત્યા બાદ અર્શદીપ સિંહને ફટકારાયો દંડ! ફાઈનલમાં કઈ ભૂલ પડી ભારે?
વર્લ્ડ કપ જીત્યા બાદ અર્શદીપ સિંહને ફટકારાયો દંડ! ફાઈનલમાં કઈ ભૂલ પડી ભારે?
Share Market Rebound: મોટા કડાકા બાદ શેર બજારમાં ફરી રોનક, જાણો બજારમાં તેજીના કારણો  
Share Market Rebound: મોટા કડાકા બાદ શેર બજારમાં ફરી રોનક, જાણો બજારમાં તેજીના કારણો  
Embed widget