શોધખોળ કરો

Aditya L1:ચંદ્રયાન-3ની સફળતા બાદ આદિત્ય L1 શા માટે કરાશે લોન્ચ, જાણો શું થશે ફાયદો

Aditya L-1: આદિત્ય L-1 સૂર્યનું અધ્યયન કરશે, ઇસરોએ આ મિશનને ભારતનું સૌર મિશન પણ ગણાવ્યું છે. સૂર્યનો વ્યવસ્થિત અભ્યાસ કરવા માટે આ અધ્યયન માટે સાત વૈજ્ઞાનિકોની પેલોડ સેટ લઇ જશે.

Aditya L-1:ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ ચંદ્રયાન-3નું ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક લેન્ડિંગ કરીને ઈતિહાસ રચ્યો છે. ઉત્સાહી રાષ્ટ્રીય અવકાશ એજન્સીનું મિશન અહીં અટકવાનું નથી. એજન્સી આવતા મહિને આદિત્ય-એલ1 મિશન શરૂ કરવાની તૈયારી કરી રહી છે. આ મિશનનો હેતુ સૂર્યનો અભ્યાસ કરવાનો છે.

ચંદ્રયાન-3ની ઐતિહાસિક સફળતા બાદ હવે દુનિયાની નજર આદિત્ય-એલ1 મિશન પર રહેશે. આદિત્ય-એલ1 શું છે? મિશનના ઉદ્દેશ્યો શું છે? મિશનના ઘટકો શું છે? તે ક્યારે લોન્ચ થશે? સૂર્યનો અભ્યાસ શા માટે મહત્વપૂર્ણ છે? ચાલો સમજીએ..

પહેલા જાણો આદિત્ય-એલ1 શું છે?

આદિત્ય L1 એ સૂર્યનો અભ્યાસ કરવાનું મિશન છે. આ સાથે ઈસરોએ તેને પ્રથમ અવકાશ-આધારિત ઓબ્ઝર્વેટરી શ્રેણી ભારતીય સૌર મિશન ગણાવ્યું છે. અવકાશયાનને સૂર્ય-પૃથ્વી પ્રણાલીના લેગ્રેંગિયન પોઈન્ટ 1 (L1) ની આસપાસ પ્રભામંડળની ભ્રમણકક્ષામાં મૂકવાની યોજના છે, જે પૃથ્વીથી આશરે 1.5 મિલિયન કિમી દૂર છે. વાસ્તવમાં, લેગ્રેન્જિયન બિંદુઓ એવા છે કે જ્યાં બે પદાર્થો વચ્ચે કામ કરતા તમામ ગુરુત્વાકર્ષણ બળો એકબીજાને રદ કરે છે. આ કારણે L1 પોઈન્ટનો ઉપયોગ અવકાશયાનના ટેક-ઓફ માટે થઈ શકે છે.

મિશનના ઉદ્દેશ્યો શું છે?

ભારતના મહત્વાકાંક્ષી સૌર મિશન આદિત્ય એલ-1 સૌર કોરોનાનું માળખું (સૂર્યના વાતાવરણનો સૌથી બહારનો ભાગ) અને તેની ગરમીની પ્રક્રિયા, તેનું તાપમાન, સૌર વિસ્ફોટ અને સૌર તોફાનના કારણો અને મૂળ, કોરોના અને કોરોનલ લૂપ પ્લાઝમાની રચના, વેગ અને ઘનતા, કોરોનાના ચુંબકીય ક્ષેત્રનું માપ, કોરોનલ માસ ઇજેક્શનની ઉત્પત્તિ, ઉત્ક્રાંતિ અને હિલચાલ,સૌર પવનો અને અવકાશના હવામાનને અસર કરતા પરિબળોનું અધ્યયન કરશે.

મિશન ક્યારે લોન્ચ  થશે?

ચંદ્રયાન-3 મિશનની ભવ્ય સફળતાના કલાકો બાદ બુધવારે ઈસરોના વડા એસ સોમનાથે જાહેરાત કરી હતી કે આદિત્ય એલ-1 મિશન સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં લોન્ચ કરવામાં આવશે. મિશનના પ્રક્ષેપણ અંગે ઈસરોના વડાએ કહ્યું કે બધું જ યોજના પ્રમાણે ચાલી રહ્યું છે અને સંભવતઃ સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં લોન્ચ કરવામાં આવશે.

સૂર્યનો અભ્યાસ શા માટે જરૂરી છે?

સૂર્ય સૌથી નજીકનો તારો છે અને તેથી અન્ય તારાઓ કરતાં તેનો વધુ વિગતવાર અભ્યાસ કરી શકાય છે. ઈસરોના જણાવ્યા મુજબ, સૂર્યનો અભ્યાસ કરીને, આપણે આપણી પોતાની આકાશગંગાના તારાઓ તેમજ અન્ય ઘણી આકાશગંગાના તારાઓ વિશે ઘણું જાણી શકીએ છીએ. સૂર્ય એક ખૂબ જ ગતિશીલ તારો છે જે આપણે જોઈએ છીએ તેના કરતા વધુ ફેલાયેલો છે. તેમાં ઘણી વિસ્ફોટક ઘટનાઓ છે, તેની સાથે તે સૂર્યમંડળમાં મોટી માત્રામાં ઉર્જા પણ છોડે છે.

આ સિવાય, જો કોઈ અવકાશયાત્રી આવી વિસ્ફોટક ઘટનાઓના સીધા સંપર્કમાં આવે છે તો તેને જોખમ થઈ શકે છે. સૂર્ય પર ઘણી થર્મલ અને ચુંબકીય ઘટનાઓ થાય છે જે હિંસક પ્રકૃતિની હોય છે. આમ સૂર્ય એ ઘટનાને સમજવા માટે સારી પ્રાકૃતિક પ્રયોગશાળા પણ પૂરી પાડે છે જેનો પ્રયોગશાળામાં સીધો અભ્યાસ કરી શકાતો નથી.

આ પણ વાંચો 

chandrayaan 3: VIDEOમાં જુઓ વિક્રમ લેન્ડરમાંથી કેવી રીતે બહાર આવ્યું હતું પ્રજ્ઞાન રોવર, ઇસરોએ પોસ્ટ બીજો વીડિયો

 PM Modi Greece visit: PM મોદી એક દિવસના પ્રવાસ પર ગ્રીસ પહોંચ્યા, ઢોલ નગારા સાથે પ્રવાસી ભારતીઓએ કર્યું સ્વાગત

 અમેરિકા અને ચીનની અર્થવ્યવસ્થામાં મંદી, આવી સ્થિતિમાં સોનું ખરીદવું ફાયદાનો સોદો સાબિત થઈ શકે છે, જાણો કારણ

 માત્ર એક કલાક કામ કરો અને વાર્ષિક 1.2 કરોડ રૂપિયાનો પગાર મેળવો, ગૂગલના કર્મચારીએ કર્યો ચોંકાવનારો ખુલાસો

 

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget