શોધખોળ કરો

India ICC Membership: આઝાદી પછી ટીમ ઈન્ડિયા પર ICCનું સભ્ય ગુમાવવાનો હતો ખતરો, નેહરુના આ નિર્ણયે બચાવી લીધુ

India ICC Membership: આજે ક્રિકેટ જગતમાં ભારતની સ્થિતિ એક સુપર પાવરની છે. ભારત પાસે સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે. ભારતીય ક્રિકેટ ટીમ વિશ્વની સૌથી મજબૂત ટીમોમાંની એક છે જે હવે ક્રિકેટ વર્લ્ડ કપ 2023 જીતવાની આરે છે.

India ICC Membership: આજે ક્રિકેટ જગતમાં ભારતની સ્થિતિ એક સુપર પાવરની છે. ભારત પાસે સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે. ભારતીય ક્રિકેટ ટીમ વિશ્વની સૌથી મજબૂત ટીમોમાંની એક છે જે હવે ક્રિકેટ વર્લ્ડ કપ 2023 જીતવાની આરે છે.

દેશમાં તહેવારની જેમ મનાવવામાં આવતી આ રમતની સફર અત્યાર સુધી ખૂબ જ રસપ્રદ અને રોમાંચક રહી છે, પરંતુ શું તમે જાણો છો કે 1947માં ભારતને બ્રિટિશ શાસનથી આઝાદી મળ્યા બાદ ભારતીય ક્રિકેટને ICC સભ્યપદ ગુમાવવાનો ખતરો શરૂ થયો હતો અને ભૂતપૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નેહરુના નિર્ણયને કારણે સભ્યપદ અકબંધ રહ્યું. તો બીજી તરફ, વૈશ્વિક ક્રિકેટ સંસ્થા ICC એ ઈમ્પિરિયલ ક્રિકેટ કોન્ફરન્સ તરીકે જાણીતી હતી, જે તે સમયે બ્રિટિશ રાજાશાહીના આશ્રય હેઠળ હતી. હવે ICC આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ તરીકે ઓળખાય છે.

કોમનવેલ્થ સભ્યપદે ભારતીય ક્રિકેટમાં ભૂમિકા ભજવી હતી

કોમનવેલ્થની સદસ્યતાએ ભારત માટે વૈશ્વિક સંસ્થાના સભ્ય રહેવા માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. વાસ્તવમાં, 1947માં ભારતને બ્રિટિશ શાસનથી આઝાદી મળી તે પછી પણ, નવી સરકારે બ્રિટિશ રાજાને ત્યાં સુધી સ્વીકાર્યું જ્યાં સુધી તે પ્રજાસત્તાક ન બન્યું, એટલે કે દેશમાં બંધારણ અપનાવવામાં આવ્યું ત્યાં સુધી.

તે જ સમયે, કોંગ્રેસ પાર્ટી ઇચ્છતી હતી કે ભારત એક પ્રજાસત્તાક બને અને બ્રિટિશ રાજાશાહી સાથેના તમામ સંબંધો તોડી નાખે. તે દરમિયાન તત્કાલિન બ્રિટિશ વડાપ્રધાન ક્લેમેન્ટ એટલી અને વિપક્ષી નેતા વિન્સ્ટન ચર્ચિલે ભારતને કોમનવેલ્થનો હિસ્સો બનવાની ઓફર કરી હતી. સરદાર વલ્લભભાઈ પટેલ સહિત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ ભારતના કોમનવેલ્થનો ભાગ હોવાના વિચારનો વિરોધ કરતા હતા અને માનતા હતા કે સ્વતંત્રતા મળ્યા પછી બ્રિટિશ તાજ સાથે કોઈ રાજકીય અથવા બંધારણીય સંબંધો જાળવવા જોઈએ નહીં.

નેહરુ ભારતને કોમનવેલ્થમાં રાખવા સંમત થયા હતા

તેમના પુસ્તક 'નાઈન વેવ્સઃ ધ એક્સ્ટ્રાઓર્ડિનરી સ્ટોરી ઓફ ઈન્ડિયન ક્રિકેટ'માં બ્રિટિશ-ભારતીય પત્રકાર મિહિર બોઝ લખે છે કે ચર્ચિલે સૂચવ્યું હતું કે, ભારત ભલે પ્રજાસત્તાક બની જાય તો પણ દેશ કોમનવેલ્થની અંદર પ્રજાસત્તાક રહી શકે છે અને રાજાને સ્વીકારી શકે છે. અંગ્રેજ રાજાને પણ આ વિચાર ગમ્યો. નેહરુ ભારતને કોમનવેલ્થમાં રાખવા સંમત થયા.

આ રીતે ભારત બન્યું ICCનું કાયમી સભ્ય 

માહિર બોસે પુસ્તકમાં લખ્યું છે કે જ્યારે 19 જુલાઈ 1948ના રોજ લોર્ડ્સમાં ઈમ્પિરિયલ ક્રિકેટ કોન્ફરન્સ (ICC)ની બેઠક મળી ત્યારે નક્કી કરવામાં આવ્યું હતું કે ભારત ICCનું સભ્ય રહેશે પરંતુ તે માત્ર અસ્થાયી ધોરણે સભ્ય રહેશે. ભારતની ICC સદસ્યતા બે વર્ષ પછી ફરીથી સંશોધિત કરવામાં આવશે. ICCના નિયમ 5માં જણાવવામાં આવ્યું છે કે જો કોઈ દેશ બ્રિટિશ કોમનવેલ્થનો સભ્ય નથી, તો તેનું સભ્યપદ બંધ થઈ જશે.

જૂન 1950માં આઈસીસીની આગામી બેઠક યોજાઈ ત્યાં સુધીમાં ભારતે પોતાનું બંધારણ અપનાવી લીધું હતું પરંતુ દેશ સરકાર પર બ્રિટિશ રાજાશાહીના કોઈ પણ અધિકાર વિના કોમનવેલ્થનો સભ્ય પણ રહ્યો હતો. આખરે, ભારતની કોમનવેલ્થ સભ્યપદને ધ્યાનમાં રાખીને, ICC એ ભારતને કાયમી સભ્ય બનાવ્યું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
WhatsAppની ભારતીય એકાઉન્ટ્સ પર મોટી કાર્યવાહી, 66 લાખથી વધુ એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ
WhatsAppની ભારતીય એકાઉન્ટ્સ પર મોટી કાર્યવાહી, 66 લાખથી વધુ એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
WhatsAppની ભારતીય એકાઉન્ટ્સ પર મોટી કાર્યવાહી, 66 લાખથી વધુ એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ
WhatsAppની ભારતીય એકાઉન્ટ્સ પર મોટી કાર્યવાહી, 66 લાખથી વધુ એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Embed widget