શોધખોળ કરો

Amarnath Yatra 2022 Suspended: બાલતાલ અને પહેલગામમાં અમરનાથ યાત્રા કામચલાઉ રોકવામાં આવી, જાણો વહીવટીતંત્રે શું આપ્યું કારણ

અગાઉ, કડક સુરક્ષા વચ્ચે, મંગળવારે 6,300 થી વધુ શ્રદ્ધાળુઓની છઠ્ઠી ટુકડી દક્ષિણ કાશ્મીરમાં 3,880 મીટરની ઉંચાઈ પર સ્થિત પવિત્ર અમરનાથ ગુફા માટે રવાના થઈ હતી.

Amarnath Yatra 2022 Suspended: જમ્મુ અને કાશ્મીરમાં સ્થિત પવિત્ર અમરનાથ ગુફામાં બાબા બર્ફાનીના દર્શન કામચલાઉ ધોરણે રોકવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, હવામાનના કારણે યાત્રા રોકવામાં આવી છે. પ્રશાસને કહ્યું કે ખરાબ હવામાનને કારણે બાલતાલ અને પહેલગામમાં યાત્રાને કામચલાઊ ધોરણે રોકી દેવામાં આવી છે. હવામાન સ્વચ્છ થયા બાદ જ જવાની પરવાનગી આપવામાં આપવાનું જણાવાયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, આગામી 24 થી 36 કલાક સુધી કાશ્મીર ઘાટીમાં વરસાદનું એલર્ટ છે. ઘાટીમાં મોડી રાતથી વરસાદ પડી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં અમરનાથ યાત્રા 2022ના પહેલા ચાર દિવસમાં કુલ 40,233 શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફા મંદિરની મુલાકાત લીધી હતી. અધિકારીઓએ રવિવારે આ જાણકારી આપી. અધિકારીઓએ જણાવ્યું હતું કે 30 જૂને યાત્રા શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં 40,233 શ્રદ્ધાળુઓએ ગુફા મંદિરની મુલાકાત લીધી છે.

6,300 થી વધુ યાત્રાળુઓની છઠ્ઠી ટુકડી નીકળી હતી

અગાઉ, કડક સુરક્ષા વચ્ચે, મંગળવારે 6,300 થી વધુ શ્રદ્ધાળુઓની છઠ્ઠી ટુકડી દક્ષિણ કાશ્મીરમાં 3,880 મીટરની ઉંચાઈ પર સ્થિત પવિત્ર અમરનાથ ગુફા માટે રવાના થઈ હતી. અધિકારીઓએ આ માહિતી આપી હતી. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની કડક સુરક્ષા વચ્ચે ભગવતી નગર યાત્રી નિવાસથી 239 વાહનોમાં કુલ 6,351 યાત્રાળુઓ રવાના થયા હતા, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. જેમાં 4,864 પુરૂષો, 1,284 મહિલાઓ, 56 બાળકો, 127 સાધુઓ, 19 સાધ્વીઓ અને એક ટ્રાન્સજેન્ડરનો સમાવેશ થાય છે.

તેમણે કહ્યું કે બાલટાલ બેઝ કેમ્પ માટે 2,028 તીર્થયાત્રીઓ સવારે 3.35 વાગ્યે 88 વાહનોમાં પ્રથમ રવાના થયા, ત્યારબાદ 151 વાહનોનો બીજો કાફલો 4,323 યાત્રાળુઓને લઈને કાશ્મીરના પહેલગામ કેમ્પ માટે ગયો. બાબા બર્ફાનીના દર્શન માટે 43-દિવસીય વાર્ષિક તીર્થયાત્રા 30 જૂનના રોજ દક્ષિણ કાશ્મીરના પહેલગામમાં પરંપરાગત 48-km નુનવાન માર્ગ અને મધ્ય કાશ્મીરના ગાંદરબલમાં 14-km-બાલતાલ માર્ગ દ્વારા શરૂ થઈ હતી.

અધિકારીઓએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 72,000 થી વધુ શ્રદ્ધાળુઓ પવિત્ર ગુફામાં બરફથી બનેલા શિવલિંગના દર્શન કરી ચુક્યા છે. રક્ષાબંધનના અવસર પર અમરનાથ યાત્રા 11 ઓગસ્ટે સમાપ્ત થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જથી અન્ના હજારે દુઃખી: PM મોદીને પત્ર લખીને આંદોલનની કરી જાહેરાત
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જથી અન્ના હજારે દુઃખી: PM મોદીને પત્ર લખીને આંદોલનની કરી જાહેરાત
આવતીકાલનું હવામાનઃ ગુજરાત અને રાજસ્થાન સહિત 11 રાજ્યો માટે IMD નું રેડ એલર્ટ: 23 જુલાઈએ હવામાન કેવું રહેશે?
આવતીકાલનું હવામાનઃ ગુજરાત અને રાજસ્થાન સહિત 11 રાજ્યો માટે IMD નું રેડ એલર્ટ: 23 જુલાઈએ હવામાન કેવું રહેશે?
સોનમ વાંગચુક અનશન તોડશે? જેપી નડ્ડા સાથેની મુલાકાત બાદ સરકાર સામે મૂકી આ મોટી શરતો
સોનમ વાંગચુક અનશન તોડશે? જેપી નડ્ડા સાથેની મુલાકાત બાદ સરકાર સામે મૂકી આ મોટી શરતો

વિડિઓઝ

South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ માખી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંક જળબંબાકાર, ક્યાંક સુકુભઠ્ઠ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Forecast: રાજ્યમાં આગામી 4 દિવસ આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, આજે 3 જિલ્લામાં રેડ એલર્ટ
Weather Forecast: રાજ્યમાં આગામી 4 દિવસ આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, આજે 3 જિલ્લામાં રેડ એલર્ટ
IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર
IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર
શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
Commonwealth Games 2026: ભારતનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો TV પર ફ્રીમાં ક્યાંથી લાઈવ જોવું
Commonwealth Games 2026: ભારતનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો TV પર ફ્રીમાં ક્યાંથી લાઈવ જોવું
Rain Update: છેલ્લા 24 કલાકમાં 213 તાલુકાઓમાં મુશળધાર વરસાદ, ઉમરગામમાં 35.67 ઇંચ વરસતા જળબંબાકાર
Rain Update: છેલ્લા 24 કલાકમાં 213 તાલુકાઓમાં મુશળધાર વરસાદ, ઉમરગામમાં 35.67 ઇંચ વરસતા જળબંબાકાર
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ
Embed widget