શોધખોળ કરો

Ambedkar Jayanti 2025: રાષ્ટ્રપતિ, પીએમ મોદી અને રાહુલ ગાંધીએ બાબા સાહેબને અર્પિત કરી શ્રદ્ધાંજલિ

Ambedkar Jayanti 2025: બાબા સાહેબ આંબેડકર અનુસૂચિત જાતિના સશક્તિકરણ માટેના તેમના જીવનભરના સંઘર્ષ અને બંધારણના મુસદ્દામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા માટે જાણીતા છે

Ambedkar Jayanti 2025: બાબા સાહેબ આંબેડકરને તેમની જન્મજયંતિ પર દરેક વ્યક્તિ યાદ કરી રહ્યા છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ મુર્મુ, પીએમ મોદીથી લઈને રાહુલ ગાંધી સુધીના તમામ નેતાઓએ બાબા સાહેબને શ્રદ્ધાંજલિ આપી હતી. આંબેડકર જયંતિ નિમિત્તે, દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદ સંકુલમાં પ્રેરણા સ્થળ ખાતે ડૉ. બીઆર આંબેડકરને શ્રદ્ધાંજલિ આપી. ભીમ રાવ આંબેડકરને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કહ્યું કે બાબા સાહેબની પ્રેરણાને કારણે જ દેશ આજે સામાજિક ન્યાયના સ્વપ્નને સાકાર કરવા માટે સમર્પિત છે.

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર કહ્યું કે આંબેડકરના સિદ્ધાંતો અને વિચારો 'આત્મનિર્ભર' અને વિકસિત ભારતના નિર્માણને મજબૂત અને વેગ આપશે. પીએમ મોદીએ કહ્યું, "તમામ દેશવાસીઓ વતી, ભારત રત્ન પૂજ્ય બાબાસાહેબને તેમની જન્મજયંતિ પર કરોડો વંદન. તેમની પ્રેરણાને કારણે જ આજે દેશ સામાજિક ન્યાયના સ્વપ્નને સાકાર કરવામાં સમર્પિત છે. તેમના સિદ્ધાંતો અને આદર્શો આત્મનિર્ભર અને વિકસિત ભારતના નિર્માણને શક્તિ અને ગતિ આપશે."

-

લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ આંબેડકર જયંતિ નિમિત્તે સંસદ સંકુલમાં પ્રેરણા સ્થળ ખાતે ડૉ. બીઆર આંબેડકરને શ્રદ્ધાંજલિ આપી.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ જણાવ્યું હતું કે બાબા સાહેબ ડૉ. આંબેડકરે આપણને ભારતનું બંધારણ આપ્યું - જે ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના લોકશાહી મૂલ્યો પર આધારિત છે - જે સામાજિક ન્યાય અને સમાવેશી વિકાસ માટે સૌથી શક્તિશાળી સાધન છે. તેમણે દેશની પ્રગતિ અને એકતા માટે સમાવેશકતાને પોતાનું અંતિમ કર્તવ્ય ગણાવ્યું અને બધાના અધિકારોનું રક્ષણ કરવા પર ભાર મૂક્યો. તેમની 135 મી જન્મજયંતિ પર, અમે સામાજિક પરિવર્તન અને સામાજિક ન્યાયના તેમના વિચારો પ્રત્યેની અમારી અતૂટ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરીએ છીએ. કોંગ્રેસ પાર્ટી આ શપથ લે છે કે અમે હંમેશા બંધારણીય મૂલ્યોનું રક્ષણ અને લોકશાહીનું રક્ષણ કરવા માટે પ્રતિબદ્ધ રહીશું.

બાબા સાહેબ આંબેડકર અનુસૂચિત જાતિના સશક્તિકરણ માટેના તેમના જીવનભરના સંઘર્ષ અને બંધારણના મુસદ્દામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા માટે જાણીતા છે. 1891 માં દલિત પરિવારમાં જન્મેલા આંબેડકર એક તેજસ્વી વિદ્યાર્થી હતા જે વિદેશમાં અભ્યાસ કરવા ગયા હતા. ભારતીય સમાજમાં તેમને જે ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો, તેણે તેમને એક પ્રતિબદ્ધ સમાજ સુધારક બનાવ્યા. તેઓ ભારતના પ્રથમ કાયદા પ્રધાન હતા અને 1956 માં તેમનું અવસાન થયું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
Embed widget