શોધખોળ કરો

Delhi Dragged Case : દિલ્હી અકસ્માત મામલે ગૃહમંત્રી અમિત શાહ એક્શન મોડમાં, આપ્યા આ આદેશ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ કેસનો વિગતવાર રિપોર્ટ તાત્કાલિક તેમને સોંપવાને લઈને દિલ્હી પોલીસને સ્પષ્ટ સૂચના આપી છે.

Home Minister Amit Shah in Acton Mode : દિલ્હીના કાંઝાવાલામાં એક યુવતીનું જે રીતે મોત નિપજ્યું તેને લઈને આખો દેશ હચમચી ગયો છે. જે રીતે એક વાહન યુવતીને રસ્તા પર 10 થી 12 કિલોમીટર સુધી ઢસડી ગયું તે ઘટનાની જાણ થતા જ સૌકોઈ ચોંકી ઉઠ્યાં છે કે આખરે આ હદે કોઈ કેવી રીતે ક્રુર બની શકે. હવે આ મામલે ગૃહમંત્રી અમિત શાહે એક્શન મોડમાં આવ્યા છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ કેસનો વિગતવાર રિપોર્ટ તાત્કાલિક તેમને સોંપવાને લઈને દિલ્હી પોલીસને સ્પષ્ટ સૂચના આપી છે. સાથે જ આ મામલે રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે. આમ આદમી પાર્ટીએ એલજીની ઓફિસની બહાર આ મામલે વિરોધ પ્રદર્શનો કર્યા હતાં. 

ઉલ્લેખનીય છે કે, રવિવારે વહેલી સવારે દિલ્હીના કાંઝાવાલામાં એક યુવતીની નગ્ન લાશ મળી આવી હતી. શરીરના શરીરના લગભગ તમામ અંગો ક્ષત વિક્ષત થઈ ગયા હતા. પોલીસનો દાવો છે કે, કારમાં સવાર 5 યુવકોએ યુવતીને ટક્કર મારી હતી અને ત્યાર બાદ તેને 10થી 12 કિમી સુધી રસ્તા પર ઢસડવામાં આવી હતી. જેના કારણે તેનું મોત નિપજ્યું હતું. જ્યારે દિલ્હી પોલીસને મૃતદેહ મળ્યા બાદ તપાસ કરી તો પોલીસને ઘટનાસ્થળથી થોડે દૂર એક સ્કૂટી પણ પડેલી મળી હતી જે અકસ્માતનો ભોગ બની હતી. સ્કૂટીના નંબરના આધારે યુવતીની ઓળખ ટ્રેસ કરવામાં આવી હતી.

હવે પોલીસે આ મામલામાં તમામ આરોપીઓની ધરપકડ કરી લીધી છે, પરંતુ હજુ પણ અનેક મુદ્દે તપાસ ચાલી રહી છે. મામલાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખી ખુદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ મામલે સક્રિય થયા છે. તેમણે પોલીસ પાસેથી વિગતવાર રિપોર્ટ માંગ્યો છે. મહત્વની વાત એ છે કે, શાહે પણ આક્રમક રીત કહ્યું છે કે, પોલીસે તેમને તાત્કાલિક આ મામલાની સંપૂર્ણ માહિતી આપવી.

તેવી જ રીતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારી શાલિની સિંહને ટૂંક સમયમાં રિપોર્ટ તૈયાર કરવા અને કાંઝાવાલામાં એક યુવતીના મૃત્યુ અંગે યોગ્ય પગલાં લેવા નિર્દેશ આપ્યો છે.

દેશની રાજધાનીમાં નવા વર્ષના પ્રથમ દિવસે જ એક એવી ભયાનક ઘટના સામે આવી છે જેને લોકોના કાળજા કંપાવી નાખ્યા છે. એટલું જ નહીં, આ સમગ્ર ઘટના પર વિવિધ સવાલો પણ ઉઠી રહ્યા છે. એક તરફ આ મામલે પોલીસ કાર્યવાહી ચાલી રહી છે, ત્યારે આ મામલે રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. આમ આદમી પાર્ટીએ પણ નબળી પોલીસ વ્યવસ્થાના વિરોધમાં રાજભવનને ઘેરો ઘાલવાની જાહેરાત કરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણીDaman News । દમણથી દીવ જતું હેલિકોપ્ટર અટવાયુંWeather Forecast: સાયકલોની સિસ્ટમને કારણે ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી!Kalpesh Parmar | ખેડામાં સિંચાઈનું પાણી ન મળતા ધારાસભ્યે મંત્રી કુંવરજી બાવળિયાને લખ્યો પત્ર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Rajkot: મુખ્યમંત્રીની રાજકોટને મોટી ભેટ, 185 કરોડના ખર્ચે આ સ્થળે બનશે ચાર નવા ફ્લાયઓવર
Rajkot: મુખ્યમંત્રીની રાજકોટને મોટી ભેટ, 185 કરોડના ખર્ચે આ સ્થળે બનશે ચાર નવા ફ્લાયઓવર
આટલી કઠિન છતાં શ્રદ્ધાળુઓ કેમ કરે છે અમરનાથ યાત્રા? જાણો કેવી રીતે પ્રગટ થયા હતા બાબા બર્ફાની
આટલી કઠિન છતાં શ્રદ્ધાળુઓ કેમ કરે છે અમરનાથ યાત્રા? જાણો કેવી રીતે પ્રગટ થયા હતા બાબા બર્ફાની
Subsidy: માછલી ઉત્પાદન પર કેટલી સબસિડી આપે છે કેન્દ્ર સરકાર?
Subsidy: માછલી ઉત્પાદન પર કેટલી સબસિડી આપે છે કેન્દ્ર સરકાર?
Heart Attack: આ એક ટેસ્ટથી ખબર પડી જશે કે તમે હાર્ટના દર્દી છો કે નહી, આજે જ કરાવી લો
Heart Attack: આ એક ટેસ્ટથી ખબર પડી જશે કે તમે હાર્ટના દર્દી છો કે નહી, આજે જ કરાવી લો
Embed widget