વસ્તીગણતરી માટે અમિત શાહે લોન્ચ કરી CRS એપ, જાણો ઘરે બેઠા કેવી રીતે કરી શકશો રજિસ્ટ્રેશન?
Civil Registration System: એપ અનુસાર, જો તમે 21 દિવસની અંદર રજિસ્ટ્રેશન ન કરાવી શકો તો વધારાની ફી ચૂકવવી પડશે
![વસ્તીગણતરી માટે અમિત શાહે લોન્ચ કરી CRS એપ, જાણો ઘરે બેઠા કેવી રીતે કરી શકશો રજિસ્ટ્રેશન? Amit Shah Launches Mobile App for Seamless Birth and Death Registration વસ્તીગણતરી માટે અમિત શાહે લોન્ચ કરી CRS એપ, જાણો ઘરે બેઠા કેવી રીતે કરી શકશો રજિસ્ટ્રેશન?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/25/1fc973e4526686ca585e261240570b891727270593102736_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Civil Registration System: ગૃહમંત્રી અમિત શાહે આજે વસ્તીગણતરી ભવન ખાતે સિવિલ રજીસ્ટ્રેશન સિસ્ટમ(Civil Registration System ) CRS એપ લોન્ચ કરી હતી. આ એપ દ્વારા કોઈપણ સામાન્ય વ્યક્તિ કોઈપણ જગ્યાએથી જન્મ અને મૃત્યુની નોંધણી કરાવી શકે છે. એપની મદદથી હવે રજીસ્ટ્રેશનનું આ કામ ઘરે બેઠા સરળતાથી કરી શકાશે. આ એપ સામાન્ય માણસને સરકારી કચેરીઓમાં જવા અને લાંબી કતારોમાં ઉભા રહેવાથી મુક્ત કરવામાં અસરકારક સાબિત થશે.
આ માટે સેન્સસ ઈન્ડિયા 2021 (Census India 2021) ના સત્તાવાર હેન્ડલ પરથી કહેવામાં આવ્યું છે કે આ એપ્લિકેશન મારફતે જન્મ અને મૃત્યુનું રજિસ્ટ્રેશન સરળતાથી થઈ જશે. પ્રક્રિયા અનુસાર, કોઈપણ વ્યક્તિએ જન્મ અથવા મૃત્યુ સંબંધિત જાણકારી અને રજિસ્ટ્રેશન બર્થ અથવા ડેથના 21 દિવસની અંદર એપ પર કરાવવું પડશે.
એપ અનુસાર, જો તમે 21 દિવસની અંદર રજિસ્ટ્રેશન ન કરાવી શકો તો વધારાની ફી ચૂકવવી પડશે. આ માટે દેશના કોઈપણ સામાન્ય માણસે 22 થી 30 દિવસની અંદર 2 રૂપિયા અને 31 દિવસથી એક વર્ષની અંદર 5 રૂપિયા લેટ ફી ચૂકવવી પડશે. આ સાથે જૂના પ્રમાણપત્રો માટે 10 રૂપિયાની ફી નક્કી કરવામાં આવી છે એટલે કે મહત્તમ લેટ ફી 10 રૂપિયા હશે.
આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આ એપ્લિકેશન નાગરિકોને કોઈપણ સમયે, કોઈપણ જગ્યાએથી અને તેમના રાજ્યની સત્તાવાર ભાષામાં નોંધણી કરાવવાની મંજૂરી આપે છે. આ સાથે જન્મ અને મૃત્યુની નોંધણી સરળ અને મુશ્કેલી મુક્ત બનાવવામાં આવી રહી છે.
દેશમાં વસ્તી ગણતરીની તૈયારીઓ ઝડપી કરી દેવામાં આવી છે. વસ્તી ગણતરીમાં માહિતી એકત્ર કરવા માટે મોબાઈલ એપ્લિકેશનનો પણ ઉપયોગ કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (NPR) પ્રથમ વખત બનવા જઈ રહ્યું છે. જેના કારણે દેશની કાયદો અને વ્યવસ્થા સુધરશે અને દેશના વિકાસ માટે નવો માર્ગ મળશે.
જો કે વસ્તી ગણતરી ક્યારે શરૂ થશે અને તેનું ફોર્મેટ શું હશે તે અંગે હજુ સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી. તેમજ વિપક્ષી પાર્ટીઓ સતત જાતિ ગણતરીની માંગણી કરી રહી છે, સરકારે તેના પર શું પગલા લીધા છે, આ તમામ સવાલોના જવાબ હજુ સુધી આપવામાં આવ્યા નથી.
સાયબર ક્રાઈમને લઈ સરકારે 4 આંકડાનો હેલ્પલાઈન નંબર જાહેર કર્યો
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)