શોધખોળ કરો

વસ્તીગણતરી માટે અમિત શાહે લોન્ચ કરી CRS એપ, જાણો ઘરે બેઠા કેવી રીતે કરી શકશો રજિસ્ટ્રેશન?

Civil Registration System: એપ અનુસાર, જો તમે 21 દિવસની અંદર રજિસ્ટ્રેશન ન કરાવી શકો તો વધારાની ફી ચૂકવવી પડશે

Civil Registration System: ગૃહમંત્રી અમિત શાહે આજે વસ્તીગણતરી ભવન ખાતે સિવિલ રજીસ્ટ્રેશન સિસ્ટમ(Civil Registration System ) CRS એપ લોન્ચ કરી હતી. આ એપ દ્વારા કોઈપણ સામાન્ય વ્યક્તિ કોઈપણ જગ્યાએથી જન્મ અને મૃત્યુની નોંધણી કરાવી શકે છે. એપની મદદથી હવે રજીસ્ટ્રેશનનું આ કામ ઘરે બેઠા સરળતાથી કરી શકાશે. આ એપ સામાન્ય માણસને સરકારી કચેરીઓમાં જવા અને લાંબી કતારોમાં ઉભા રહેવાથી મુક્ત કરવામાં અસરકારક સાબિત થશે.

આ માટે સેન્સસ ઈન્ડિયા 2021 (Census India 2021) ના સત્તાવાર હેન્ડલ પરથી કહેવામાં આવ્યું છે કે આ એપ્લિકેશન મારફતે જન્મ અને મૃત્યુનું રજિસ્ટ્રેશન સરળતાથી થઈ જશે. પ્રક્રિયા અનુસાર, કોઈપણ વ્યક્તિએ જન્મ અથવા મૃત્યુ સંબંધિત જાણકારી અને રજિસ્ટ્રેશન બર્થ અથવા ડેથના 21 દિવસની અંદર એપ પર કરાવવું પડશે.

એપ અનુસાર, જો તમે 21 દિવસની અંદર રજિસ્ટ્રેશન ન કરાવી શકો તો વધારાની ફી ચૂકવવી પડશે. આ માટે દેશના કોઈપણ સામાન્ય માણસે 22 થી 30 દિવસની અંદર 2 રૂપિયા અને 31 દિવસથી એક વર્ષની અંદર 5 રૂપિયા લેટ ફી ચૂકવવી પડશે. આ સાથે જૂના પ્રમાણપત્રો માટે 10 રૂપિયાની ફી નક્કી કરવામાં આવી છે એટલે કે મહત્તમ લેટ ફી 10 રૂપિયા હશે.

આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આ એપ્લિકેશન નાગરિકોને કોઈપણ સમયે, કોઈપણ જગ્યાએથી અને તેમના રાજ્યની સત્તાવાર ભાષામાં નોંધણી કરાવવાની મંજૂરી આપે છે. આ સાથે જન્મ અને મૃત્યુની નોંધણી સરળ અને મુશ્કેલી મુક્ત બનાવવામાં આવી રહી છે.

દેશમાં વસ્તી ગણતરીની તૈયારીઓ ઝડપી કરી દેવામાં આવી છે. વસ્તી ગણતરીમાં માહિતી એકત્ર કરવા માટે મોબાઈલ એપ્લિકેશનનો પણ ઉપયોગ કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (NPR) પ્રથમ વખત બનવા જઈ રહ્યું છે. જેના કારણે દેશની કાયદો અને વ્યવસ્થા સુધરશે અને દેશના વિકાસ માટે નવો માર્ગ મળશે.

જો કે વસ્તી ગણતરી ક્યારે શરૂ થશે અને તેનું ફોર્મેટ શું હશે તે અંગે હજુ સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી. તેમજ વિપક્ષી પાર્ટીઓ સતત જાતિ ગણતરીની માંગણી કરી રહી છે, સરકારે તેના પર શું પગલા લીધા છે, આ તમામ સવાલોના જવાબ હજુ સુધી આપવામાં આવ્યા નથી.

સાયબર ક્રાઈમને લઈ  સરકારે 4 આંકડાનો હેલ્પલાઈન નંબર જાહેર કર્યો  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવે દેશભરની સ્કૂલોમાં ભણાવાશે સેક્સ એજ્યુકેશન, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આપી જાણકારી
હવે દેશભરની સ્કૂલોમાં ભણાવાશે સેક્સ એજ્યુકેશન, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આપી જાણકારી
Weather Update Tomorrow: કાલે દેશના 21 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ 
Weather Update Tomorrow: કાલે દેશના 21 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ 
ચોમાસું કેમ અચાનક ધીમું પડી ગયું? વરસાદના બીજા રાઉન્ડ મુદ્દે હવામાન વિભાગે કરી મોટી આગાહી
ચોમાસું કેમ અચાનક ધીમું પડી ગયું? વરસાદના બીજા રાઉન્ડ મુદ્દે હવામાન વિભાગે કરી મોટી આગાહી
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પૈસા નહીં નામ કમાવવા રીલ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા મસાલા
Hun To Bolish : હું તો બોલીશ : આગાહી પર પૂર્ણવિરામ કેમ ?
Kumar Kanani : AAPના નેતા-કાર્યકરો ભાજપને બદનામ કરવાના કામ કરે છેઃ MLA કુમાર કાનાણી
Banaskantha news : બનાસકાંઠામાં 'અરવલ્લી ગ્રીનવોલ'ઊભી કરવા અભિયાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 
આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Car AC Tips: કાર સ્ટાર્ટ કર્યાના કેટલા મિનિટ પછી ચાલુ કરવું જોઈએ AC, શું છે યોગ્ય રીત?
Car AC Tips: કાર સ્ટાર્ટ કર્યાના કેટલા મિનિટ પછી ચાલુ કરવું જોઈએ AC, શું છે યોગ્ય રીત?
ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: રથયાત્રા ઉત્સવનો પ્રારંભ, મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ
ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: રથયાત્રા ઉત્સવનો પ્રારંભ, મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ
Rajkot: રાજકોટમાં ઋતુજન્ય રોગચાળો વકર્યો, એક સપ્તાહમાં શરદી-તાવના 1838 કેસ નોંધાતા હાહાકાર
Rajkot: રાજકોટમાં ઋતુજન્ય રોગચાળો વકર્યો, એક સપ્તાહમાં શરદી-તાવના 1838 કેસ નોંધાતા હાહાકાર
હોર્મુંઝમાં UAEના જહાજો પર ઈરાનનો મિસાઈલ હુમલો, એક ભારતીય નાવિકનું મોત, આઠ ઘાયલ
હોર્મુંઝમાં UAEના જહાજો પર ઈરાનનો મિસાઈલ હુમલો, એક ભારતીય નાવિકનું મોત, આઠ ઘાયલ
ITR Filing: ITRમાં ગરબડ કરી તો લાગશે 25000નો ફટકો, જાણી લો આ નિયમો
ITR Filing: ITRમાં ગરબડ કરી તો લાગશે 25000નો ફટકો, જાણી લો આ નિયમો
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
Embed widget