શોધખોળ કરો

શિવસેના સાથે ગઠબંધન તુટવા મુદ્દે અમિત શાહે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું

શાહે શિવસેના સાથે ગઠબંધન તૂટવા મુદ્દે કહ્યું કે, ચૂંટણી પહેલા પીએમ અને હું ઘણી વખત કહી ચુક્યા હતા કે જો અમારું ગઠબંધન જીતશે તો દેવેન્દ્ર ફડણવીસ સીએમ હશે. તે સમયે કોઇએ વાંધો ઉઠાવ્યો નહોતો. હવે તેઓ નવી ડિમાન્ડ સાથે આવ્યા છે, જે હવે અમે સ્વીકારી શકીએ તેમ નથી.

નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામ બાદ 19 દિવસના નાટકીય ઘટનાક્રમ પછી રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવાયું હતું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાનસની ભલામણને મંજૂરી આપી હતી. આ પહેલા રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ રાજ્યની વર્તમાન સ્થિતિનો રિપોર્ટ કેન્દ્રને મોકલ્યો હતો. રિપોર્ટમાં કહ્યું હતું કે, બંધારણ મુજબ રાજ્યમાં સરકાર બની શકે તેમ નથી. જે બાદ તેમણે રિપોર્ટમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની ભલામણ કરી હતી. મોદી કેબિનેટે આ ભલામણને મંજૂરી આપી દીધી હતી, જે બાદ ગૃહમંત્રાલયે આ ફાઇલ રાષ્ટ્રપતિને મોકલી હતી. રાષ્ટ્રપતિએ રાજ્યમાં બંધારણની કલમ 356 અંતર્ગત રાષ્ટ્રપતિ શાસન લાગુ કર્યુ છે. રાજ્યમાં ભાજપ, શિવસેના, એનસીપી, કોંગ્રેસ એમ કોઇપણ પક્ષ સરકાર રચી શક્યા નથી. જે બાદ આજે ગૃહમંત્રી અમિત શાહે ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે આ મુદ્દે વાત કરી હતી. શાહે કહ્યું, આ પહેલા કોઇપણ રાજ્યમાં સરકાર બનાવવા માટે 18 દિવસનો સમય આપવામાં આવ્યો નથી. રાજ્યપાલે પક્ષોને વિધાનસભા કાર્યકાળ પૂરો  થયા બાદ આમંત્રણ આપ્યું હતું. શિવસેના, કોંગ્રેસ, એનસીપી કે અમે કોઈએ દાવો કર્યો નહોતો. શાહે શિવસેના સાથે ગઠબંધન તૂટવા મુદ્દે કહ્યું કે, ચૂંટણી પહેલા પીએમ અને હું ઘણી વખત કહી ચુક્યા હતા કે જો અમારું ગઠબંધન જીતશે તો દેવેન્દ્ર ફડણવીસ સીએમ હશે. તે સમયે કોઇએ વાંધો ઉઠાવ્યો નહોતો. હવે તેઓ નવી ડિમાન્ડ સાથે આવ્યા છે, જે હવે અમે સ્વીકારી શકીએ તેમ નથી. ગૃહમંત્રીએ કહ્યું, રાજ્યપાલે યોગ્ય પગલું ભર્યું છે. આજે જેની પાસે બહુમત છે તેઓ રાજ્યપાલ પાસે જઈ શકે છે. બધા પાસે સમય છે અને કોઈપણ જઈ શકે છે. રાષ્ટ્રપતિ શાસનથી માત્ર ભાજપને જ નુકસાન થયું છે. શિવસેનાની શરતો અમને મંજૂર નથી. અમે રાજ્યમાં ફરી ચૂંટણી થાય તેમ નથી ઈચ્છતા. અમિત શાહે કહ્યું કે, કપિલ સિબ્બલ જેવા વકીલ આરોપ લગાવે છે કે તેમની પાસેથી મોકો છીનવી લેવામાં આવ્યો. જે ખોટી વાત છે. અમે સૌથી મોટી પાર્ટી છીએ. અમે એકલા સરકાર બનાવી શકતા નહોતો તેથી અમે ના પાડી દીધી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mansukh Vasava | ‘જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી લારી ગલ્લા ન હટાવશો..’ MP વસાવાએ લખ્યો પત્રPune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024Nitin Patel | ‘મે ક્યાં કરુંગા સમજલો....’ નીતિન પટેલની ધમકી | Abp Asmita | 2-10-2024Israel-Iran war| ઈરાન પર મિસાઈલ અટેક, ઈઝરાયલએ વરસાવી 200થી વધુ મિસાઈલ | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...
ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...
Diabetes શું તમે ડાયાબિટીસના દર્દી છો? રાત્રે દૂધમાં મિક્સ કરીને પીવો આ મસાલો, બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં
Diabetes શું તમે ડાયાબિટીસના દર્દી છો? રાત્રે દૂધમાં મિક્સ કરીને પીવો આ મસાલો, બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં
Mahatma Gandhi: એક શાનદાર ઓલરાઉન્ડર હતા મહાત્મા ગાંધી, જાણો બોલિંગ અને બેટિંગમાં કેવું હતું પ્રદર્શન
Mahatma Gandhi: એક શાનદાર ઓલરાઉન્ડર હતા મહાત્મા ગાંધી, જાણો બોલિંગ અને બેટિંગમાં કેવું હતું પ્રદર્શન
7th Pay Commission: નવરાત્રિ-દિવાળી પર કેન્દ્રિય કર્મચારીઓને મળશે ભેટ, જાણો ક્યારે લેવાઇ શકે છે મોંઘવારી ભથ્થામાં વધારાનો નિર્ણય
7th Pay Commission: નવરાત્રિ-દિવાળી પર કેન્દ્રિય કર્મચારીઓને મળશે ભેટ, જાણો ક્યારે લેવાઇ શકે છે મોંઘવારી ભથ્થામાં વધારાનો નિર્ણય
Embed widget