શોધખોળ કરો

YS Sharmila Visit Delhi: આંધ્રપ્રદેશમાં નવાજૂનીના એંધાણ! CM જગન મોહનને ઝટકો આપી શકે છે કોંગ્રેસ

YS Sharmila Visit Delhi: સૂત્રોએ એબીપી ન્યૂઝને જણાવ્યું હતું કે કોંગ્રેસે વાયએસ શર્મિલાને તેમના સ્વર્ગસ્થ પિતા અને ભૂતપૂર્વ સીએમ વાયએસ રાજશેખર રેડ્ડી (અવિભાજિત આંધ્ર પ્રદેશના સીએમ)ના ગૃહ રાજ્ય આંધ્રપ્રદેશ પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું હતું.

YS Sharmila Visit Delhi: YSR તેલંગાણા પાર્ટીના વડા વાયએસ શર્મિલા ગુરુવારે (10 ઓગસ્ટ) બે દિવસીય દિલ્હી પ્રવાસ પર આવી રહ્યા છે. ચર્ચા છે કે તે આ સમયગાળા દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને મહાસચિવ (સંગઠન) કેસી વેણુગોપાલને મળી શકે છે. આનાથી રાજકીય વર્તુળોમાં એવી અટકળો ચાલી રહી છે કે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીની બહેન વાયએસ શર્મિલાનો પક્ષ વાયએસઆર તેલંગાણા કોંગ્રેસ સાથે ગઠબંધન કરી શકે છે. આ એટલા માટે પણ છે કારણ કે મંગળવારે (8 ઓગસ્ટ) તેમણે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને તેમની લોકસભા સદસ્યતા પુનઃસ્થાપિત કરવા બદલ અભિનંદન આપ્યા હતા.

કોંગ્રેસ શું કહે છે?
સૂત્રોએ એબીપી ન્યૂઝને જણાવ્યું હતું કે કોંગ્રેસે વાયએસ શર્મિલાને તેમના સ્વર્ગસ્થ પિતા અને ભૂતપૂર્વ સીએમ વાયએસ રાજશેખર રેડ્ડી (અવિભાજિત આંધ્ર પ્રદેશના સીએમ)ના ગૃહ રાજ્ય આંધ્રપ્રદેશ પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું હતું.

YS શર્મિલાએ રાહુલ ગાંધી વિશે શું કહ્યું?
વાયએસ શર્મિલાએ ટ્વીટ કર્યું, સંસદની સદસ્યતા પુનઃસ્થાપિત કરવા બદલ શ્રી રાહુલ ગાંધીજીને ખૂબ ખૂબ અભિનંદન. તમારી અતૂટ હિંમત દેશભરના લાખો લોકોમાં આશા જગાડી રહી છે. ન્યાયે પોતાનું કામ કર્યું અને એવો ચુકાદો આપ્યો જેનાથી ઘણાના દિલ ખુશ થઈ ગયા. તેમણે કહ્યું કે, હવે મને ખાતરી છે કે સંસદીય પ્રક્રિયામાં તમારી ભાગીદારી ફરી એકવાર દેશના લોકોની ચિંતાઓને ઉઠાવવામાં ઘણી મદદરૂપ સાબિત થશે. આ સંદર્ભે હું તમામ નેતાઓને અપીલ કરું છું કે તેઓ આપણા દેશમાં લોકશાહી અને ધર્મનિરપેક્ષતાને જાળવી રાખવા માટે સાથે આવે.

વાયએસ જગન મોહન રેડ્ડી સતત ભાજપને સમર્થન આપી રહ્યા છે
તો બીજી તરફ વાયએસ જગન મોહન રેડ્ડી સતત ભાજપને સમર્થન આપી રહ્યા છે. રેડ્ડીની પાર્ટી YSR કોંગ્રેસ પાર્ટીએ વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર કેન્દ્ર સરકારને સમર્થન આપ્યું હતું. તાજેતરમાં, YSR કોંગ્રેસ પાર્ટીએ દિલ્હીના અધિકારીઓની બદલી અને પોસ્ટિંગ સંબંધિત વટહુકમને બદલવાના બિલ પર પણ કેન્દ્રને સમર્થન આપ્યું હતું.

દિલ્હી સર્વિસ બિલ રાજ્યસભામાં થયું પાસ

 રાજ્યસભામાં કેન્દ્ર તરફથી લાવવામાં આવેલું દિલ્હી સર્વિસ બિલ પાસ થઈ ગયું છે. બિલના પક્ષમાં 131 અને વિરુદ્ધમાં 102 વોટ પડ્યા હતા.  કેન્દ્ર સરકાર 19 મેના રોજ દિલ્હી સરકારમાં કાર્યરત અધિકારીઓની ટ્રાન્સફર-પોસ્ટિંગથી સંબંધિત એક વટહુકમ લાવી હતી. સુપ્રીમ કોર્ટે આ વટહુકમના તે નિર્ણયને પલટી નાખ્યો, જેમાં અધિકારીઓની ટ્રાન્સફર-પોસ્ટિંગનો અધિકારી દિલ્હી સરકારને અપાયો હતો. આ વિધેયકને લોકસભામાં મંજુરી મળી ગઈ છે અને  તેને રાજ્યસભામાં રજુ કરાયું હતું. રાજ્યસભામાં વિપક્ષના તમામ સુધારા પ્રસ્તાવોનો પરાજય થયો હતો. બિલ પર ચર્ચા દરમિયાન અમિત શાહ અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વચ્ચે ઉગ્ર દલીલ જોવા મળી હતી. અમિત શાહે રાજ્યસભામાં કહ્યું કે આ બિલનો હેતુ દિલ્હીમાં ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ સુનિશ્ચિત કરવાનો છે. બિલની એક પણ જોગવાઈથી અગાઉ જે સિસ્ટમ હતી તેમાં એક ઈંચ પણ ફેરફાર થઈ રહ્યો નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
MI vs GG WPL 2025:  મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
MI vs GG WPL 2025: મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
સીઝફાયર માટે તૈયાર થયુ રશિયા, પરંતુ પુતિને ટ્રમ્પ સામે રાખી આ શરત!
સીઝફાયર માટે તૈયાર થયુ રશિયા, પરંતુ પુતિને ટ્રમ્પ સામે રાખી આ શરત!
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ -2Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ - 1Corruption in MGNREGA: ભાજપ નેતાનો ધડાકો! અમરેલીના મનરેગા કામોમાં 8 કરોડના ભ્રષ્ટાચારનો આરોપGujarat Cabinet Reshuffle : હોળી પછી રાજ્ય મંત્રીમંડળમાં વિસ્તરણ? પૂર્વ મંત્રી રમણભાઈ વોરાએ આપ્યા સંકેત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
MI vs GG WPL 2025:  મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
MI vs GG WPL 2025: મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
સીઝફાયર માટે તૈયાર થયુ રશિયા, પરંતુ પુતિને ટ્રમ્પ સામે રાખી આ શરત!
સીઝફાયર માટે તૈયાર થયુ રશિયા, પરંતુ પુતિને ટ્રમ્પ સામે રાખી આ શરત!
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
Most Runs in IPL History: IPL ઇતિહાસમાં સૌથી વધુ રન ફટકારનારા ટૉપ-5 બેટ્સમેન, પ્રથમ નંબર પર છે આ ખેલાડી
Most Runs in IPL History: IPL ઇતિહાસમાં સૌથી વધુ રન ફટકારનારા ટૉપ-5 બેટ્સમેન, પ્રથમ નંબર પર છે આ ખેલાડી
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
NDLS Stampede: ભાગદોડની ઘટનાના દિવસે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર કેટલી જનરલ ટિકિટ વેચાઇ હતી? રેલવે મંત્રીનો સંસદમાં જવાબ
NDLS Stampede: ભાગદોડની ઘટનાના દિવસે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર કેટલી જનરલ ટિકિટ વેચાઇ હતી? રેલવે મંત્રીનો સંસદમાં જવાબ
'ઉત્તર ભારતીય મહિલા કરી શકે છે 10 પુરુષો સાથે લગ્ન', સ્ટાલિનના મંત્રીનું વિવાદીત નિવેદન
'ઉત્તર ભારતીય મહિલા કરી શકે છે 10 પુરુષો સાથે લગ્ન', સ્ટાલિનના મંત્રીનું વિવાદીત નિવેદન
Embed widget