શોધખોળ કરો

બિહાર ચૂંટણી એક્ઝિટ પોલ 2025

(Source:  Poll of Polls)

'ઉત્તર ભારતીય મહિલા કરી શકે છે 10 પુરુષો સાથે લગ્ન', સ્ટાલિનના મંત્રીનું વિવાદીત નિવેદન

મુરુગને એવી પણ ધમકી આપી હતી કે જો કોઈ તમિલ સંસ્કૃતિનું અપમાન કરશે તો અમે તેમની જીભ કાપી નાખીશું.

MK Stalin Minister Remarks: તમિલનાડુના જળ સંસાધન મંત્રી દુરઈ મુરુગને ઉત્તર ભારતની સંસ્કૃતિ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરીને ઉત્તર-દક્ષિણ વિભાજનને વધુ ઊંડું બનાવ્યું છે. તેમણે કહ્યું કે ઉત્તર ભારતમાં સ્ત્રીઓ પાંચ કે દસ પુરુષો સાથે લગ્ન કરી શકે છે.

મુરુગને એવી પણ ધમકી આપી હતી કે જો કોઈ તમિલ સંસ્કૃતિનું અપમાન કરશે તો અમે તેમની જીભ કાપી નાખીશું. તેમના નિવેદનથી ઉત્તર અને દક્ષિણ ભારત વચ્ચેના સાંસ્કૃતિક તફાવતો અંગેના વિવાદને વધુ ગાઢ બનાવ્યો છે.

તમિલનાડુના મંત્રીનું નિવેદન

એક જાહેર સભાને સંબોધતા દુરઈ મુરુગને કહ્યું કે ઉત્તર ભારતીય પરંપરાઓમાં બહુપત્નીત્વ અને બહુશાસનની પ્રથા રહી છે. તેમણે કહ્યું હતું કે, "આપણી સંસ્કૃતિમાં એક પુરુષ ફક્ત એક જ સ્ત્રી સાથે લગ્ન કરે છે. પરંતુ ઉત્તર ભારતમાં એક સ્ત્રીને ઘણા પતિ હોઈ શકે છે - ક્યારેક પાંચ કે દસ પણ. તેવી જ રીતે ઘણા પુરુષો એક સ્ત્રી સાથે લગ્ન કરી શકે છે. આ તેમની પરંપરા છે."

તેમણે મહાભારતની દ્રૌપદીનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે"જો એક જાય છે તો બીજું તેનું સ્થાન લે છે," તેમનું નિવેદન સીમાંકન વિવાદના સંદર્ભમાં આવ્યું છે, જેમાં તમિલનાડુ સરકારને ડર છે કે નવી વસ્તી ગણતરીના આધારે સંસદીય બેઠકોમાં ઘટાડો થઈ શકે છે.

સીમાંકન વિવાદ અને વસ્તી નિયંત્રણ મુદ્દો

સીમાંકનના મુદ્દા પર બોલતા મંત્રી મુરુગને કહ્યું કે કોંગ્રેસ અને અન્ય કેન્દ્ર સરકારોએ દક્ષિણ ભારતીય રાજ્યોને વસ્તી નિયંત્રણનું પાલન કરવા કહ્યું હતું, જેનો તેમણે સફળતાપૂર્વક અમલ કર્યો. પરંતુ ઉત્તર ભારતમાં વસ્તી ઝડપથી વધી છે. તેમણે આરોપ લગાવ્યો કે "ઉત્તર ભારતના પરિવારોમાં 17, 18 કે 19 બાળકો હોય છે જાણે તેમની પાસે બીજી કોઈ જવાબદારીઓ જ ન હોય."

તેમણે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની ડીએમકે સાંસદો પરની ટિપ્પણી પર પણ પ્રતિક્રિયા આપી અને કહ્યું, "આ દુર્ગંધયુક્ત સંસ્કૃતિમાંથી આવતા તમે અમને અસંસ્કારી કહી રહ્યા છો? અમે તમારી જીભ કાપી નાખીશું. સાવચેત રહો."

દક્ષિણ ભારતમાં સીમાંકન અંગે વધતી ચિંતા

તમિલનાડુ સહિત દક્ષિણ ભારતીય રાજ્યોને ડર છે કે જો નવી વસ્તી ગણતરીના આધારે સંસદીય બેઠકોનું પુનર્વિતરણ કરવામાં આવશે, તો તેમનું પ્રતિનિધિત્વ ઘટી શકે છે. હાલમાં, સંસદમાં બેઠકોની ફાળવણી 1971ની વસ્તી ગણતરીના આધારે કરવામાં આવે છે. દક્ષિણ ભારતીય રાજ્ય માને છે કે તેમણે કેન્દ્રની વસ્તી નિયંત્રણ નીતિઓનો કડક અમલ કર્યો, જેના કારણે તેમનો વસ્તી વૃદ્ધિ દર ઓછો રહ્યો. તેનાથી વિપરીત ઉત્તર ભારતીય રાજ્યોની વસ્તી ઝડપથી વધી છે. આવી સ્થિતિમાં જો સીમાંકન થાય છે તો દક્ષિણના રાજ્યોને બેઠકોમાં ઘટાડોનો સામનો કરવો પડી શકે છે જેનાથી તેમનો રાજકીય પ્રભાવ ઓછો થઈ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar Exit Poll 2025 IANS Matrize: બિહારમાં કોની બનશે સરકાર ? એક્ઝિટ પોલના ચોંકાવનારા આંકડા સામે આવ્યા
Bihar Exit Poll 2025 IANS Matrize: બિહારમાં કોની બનશે સરકાર ? એક્ઝિટ પોલના ચોંકાવનારા આંકડા સામે આવ્યા
બિહારમાં ફરી એક વખત નીતિશ સરકાર, મોટાભાગના એક્ઝિટ પોલમાં NDA ને બહુમતી, મહાગઠબંધન પાછળ, જાણો કોને કેટલી સીટ મળશે?
બિહારમાં ફરી એક વખત નીતિશ સરકાર, મોટાભાગના એક્ઝિટ પોલમાં NDA ને બહુમતી, મહાગઠબંધન પાછળ, જાણો કોને કેટલી સીટ મળશે?
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
RJD, JDU કે BJP, બિહારમાં કોણ બનશે સૌથી મોટી પાર્ટી ? એક્ઝિટ પોલે તમામને ચોંકાવ્યા
RJD, JDU કે BJP, બિહારમાં કોણ બનશે સૌથી મોટી પાર્ટી ? એક્ઝિટ પોલે તમામને ચોંકાવ્યા
Advertisement

વિડિઓઝ

Delhi Blast : દિલ્લી બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત, 2 લોકોની થઈ ઓળખ
Hun To Bolish : હું તો બોલીશ : દિલ્લીમાં બ્લાસ્ટ
Delhi Red Fort Blast: Amit Shah : દિલ્લી બ્લાસ્ટને લઈ અમિત શાહનું મોટું નિવેદન
Delhi Car Blast : PM Modi : બ્લાસ્ટમાં મૃત્યુ પામનારા લોકો પ્રત્યે મોદીએ વ્યક્ત કરી સંવેદના
Gir Somnath Demolition : 1 ધાર્મિક સહિત 11 દબાણો પર ફરી વળ્યું બુલડોઝર, જુઓ અહેવાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Exit Poll 2025 IANS Matrize: બિહારમાં કોની બનશે સરકાર ? એક્ઝિટ પોલના ચોંકાવનારા આંકડા સામે આવ્યા
Bihar Exit Poll 2025 IANS Matrize: બિહારમાં કોની બનશે સરકાર ? એક્ઝિટ પોલના ચોંકાવનારા આંકડા સામે આવ્યા
બિહારમાં ફરી એક વખત નીતિશ સરકાર, મોટાભાગના એક્ઝિટ પોલમાં NDA ને બહુમતી, મહાગઠબંધન પાછળ, જાણો કોને કેટલી સીટ મળશે?
બિહારમાં ફરી એક વખત નીતિશ સરકાર, મોટાભાગના એક્ઝિટ પોલમાં NDA ને બહુમતી, મહાગઠબંધન પાછળ, જાણો કોને કેટલી સીટ મળશે?
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
RJD, JDU કે BJP, બિહારમાં કોણ બનશે સૌથી મોટી પાર્ટી ? એક્ઝિટ પોલે તમામને ચોંકાવ્યા
RJD, JDU કે BJP, બિહારમાં કોણ બનશે સૌથી મોટી પાર્ટી ? એક્ઝિટ પોલે તમામને ચોંકાવ્યા
સુરતમાં 'ધીમા ઝેર'ના નેટવર્કનો પર્દાફાશ: 'સુરભિ ડેરી'ના 2 યુનિટમાંથી ₹3 લાખનું 955 કિલો શંકાસ્પદ પનીર જપ્ત
સુરતમાં 'ધીમા ઝેર'ના નેટવર્કનો પર્દાફાશ: 'સુરભિ ડેરી'ના 2 યુનિટમાંથી ₹3 લાખનું 955 કિલો શંકાસ્પદ પનીર જપ્ત
SIP Calculator: રોજ માત્ર 150 રુપિયા બચાવી બનો કરોડપતિ! કેટલા વર્ષમાં બનશો ધનવાન, જાણો SIP કેલક્યુલેશન 
SIP Calculator: રોજ માત્ર 150 રુપિયા બચાવી બનો કરોડપતિ! કેટલા વર્ષમાં બનશો ધનવાન, જાણો SIP કેલક્યુલેશન 
Delhi Red Fort Blast: દિલ્હી બ્લાસ્ટ પર મોટું અપડેટ, એક્શનમાં ગૃહ મંત્રાલય, NIA ને સોંપી તપાસ  
Delhi Red Fort Blast: દિલ્હી બ્લાસ્ટ પર મોટું અપડેટ, એક્શનમાં ગૃહ મંત્રાલય, NIA ને સોંપી તપાસ  
Gem Astrology: લગ્ન જીવન દરમિયાન સંબંધોમાં આવેલી તિરાડો દૂર કરે છે આ રત્ન! ધારણ કરવાથી થશે આ લાભ
Gem Astrology: લગ્ન જીવન દરમિયાન સંબંધોમાં આવેલી તિરાડો દૂર કરે છે આ રત્ન! ધારણ કરવાથી થશે આ લાભ
Embed widget