શોધખોળ કરો

I.N.D.I.A Rally: જેલમાંથી કેજરીવાલે આપી 6 ગેરંટી, દેશમાં 24 કલાક વિજળી, એક સમાન શિક્ષણ 

એક્સાઈઝ પોલિસી ભ્રષ્ટાચાર કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં રામલીલા મેદાન ખાતે ઈન્ડિયા ગઠબંધનની મેગા રેલી યોજાઈ હતી.

I.N.D.I.A Rally In Delhi Ramlila Maidan: એક્સાઈઝ પોલિસી ભ્રષ્ટાચાર કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં રામલીલા મેદાન ખાતે ઈન્ડિયા ગઠબંધનની મેગા રેલી યોજાઈ હતી.  અહીં અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતાએ મંચ પરથી અરવિંદ કેજરીવાલનો પત્ર વાંચીને ભાજપ પર પ્રહારો કર્યા હતા.

સુનીતા કેજરીવાલે કહ્યું કે કેજરીવાલજીની કેન્દ્ર સરકારે ધરપકડ કરી છે, પરંતુ કેજરીવાલજી સિંહ છે. કેજરીવાલે જેલમાંથી તમારા માટે સંદેશ મોકલ્યો છે. તેમણે કહ્યું છે કે હું તમારી પાસે વોટ નથી માંગી રહ્યો, હું તમને કોઈને હરાવવા કે જીતવા માટે નથી કહી રહ્યો. જ્યારે કેટલાક નેતાઓ સવાર-સાંજ ઉમળકાભેર ભાષણો આપે છે અને દેશને લૂંટવામાં લાગેલા હોય છે ત્યારે ભારત માતા ખૂબ ગુસ્સે થાય છે. આવા લોકોને ભારત માતા પ્રત્યે સખત નફરત હોય છે. ચાલો એક નવું ભારત બનાવીએ. જ્યાં દરેકને ભોજન, રોજગાર મળશે, કોઈ ગરીબ નહીં રહે. દરેકને સારું શિક્ષણ મળશે. દરેક બીમાર વ્યક્તિને સારી સારવાર મળશે. ભલે તે અમીર હોય કે ગરીબ.

કેજરીવાલે દેશવાસીઓને આપી 6 ગેરંટી

અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલે વાંચેલા પત્રમાં દિલ્હીના મુખ્યમંત્રીએ દેશવાસીઓને છ ગેરંટી આપી છે.

1. અમે આખા દેશમાં 24 કલાક વીજળીની વ્યવસ્થા કરીશું, ક્યાંય વીજ કાપ નહીં આવે.
2. દેશભરમાં ગરીબોને મફત વીજળી મળશે.
3. સમાન શિક્ષણ મળશે
4. અમે દરેક ગામ અને વિસ્તારમાં મોહલ્લા ક્લિનિકની સ્થાપના કરીશું અને દરેક વ્યક્તિ માટે મફત સારવારની વ્યવસ્થા કરીશું.
5. સ્વામીનાથન કમિશન મુજબ ખેડૂતોને તેમના પાકના વાજબી ભાવ આપવામાં આવશે.
6. દિલ્હીના લોકોને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપશે

અરવિંદ કેજરીવાલે પત્રમાં બીજું શું કહ્યું ?

સુનીતા કેજરીવાલે અરવિંદ કેજરીવાલનો પત્ર વાંચતા કહ્યું, "તમારા પુત્ર કેજરીવાલે જેલમાંથી સંદેશો મોકલ્યો છે. આ બીજેપી લોકો કહે છે કે કેજરીવાલે રાજીનામું આપી દેવું જોઈએ. તમારા કેજરીવાલ સિંહ છે. કેજરીવાલ કરોડો લોકોના દિલમાં વસે છે. પત્રમાં લખવામાં આવ્યું હતું કે, મારા પ્રિય ભારતીયો, કૃપા કરીને તમારા આ ભાઈની જેલમાંથી શુભેચ્છાઓ સ્વીકારો. હું તમારો મત માંગતો નથી. હું 140 કરોડ ભારતીયોને નવા ભારતના નિર્માણ માટે આમંત્રણ આપું છું. ભારત એક મહાન દેશ છે. એક મહાન સંસ્કૃતિ છે. આપણા લોકો શા માટે અભણ છે, તેઓ ગરીબ કેમ છે ? હું જેલમાં છું, અહીં મને વિચારવાનો મોકો મળે છે. ભારત માતા દુઃખમાં છે, દુઃખી છે.  જ્યારે ભારત માતાના બાળકોને સારુ શિક્ષણ નથી મળતુ, જ્યાં સુધી દેશના ઘણા ભાગોમાં  સારી તબીબી સારવાર ન મળતા તેઓ દુઃખી છે. ભારત માતા દેશને લૂંટનારા આવા લોકોને સખત નફરત કરે છે. ભારત 140 કરોડ લોકોનું સપનું છે, દરેક હાથને કામ મળશે. દરેક બાળકને સારું શિક્ષણ મળશે. અમીર હોય કે ગરીબ, જ્યાં દુનિયાભરના યુવાનો ભણવા આવશે. આપણે ભારતની આધ્યાત્મિકતાને દુનિયામાં ફેલાવીશું. આજે હું દેશના 140 કરોડ લોકોને આહ્વાન  કરું છું. પત્રના અંતમાં અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે, "હું જેલમાં સ્વસ્થ છું અને ઉર્જાથી ભરપૂર છું. ભગવાન મારી સાથે છે. હું જલ્દી બહાર આવીશ અને તમને મળીશ."

આ નેતાઓએ રેલીમાં ભાગ લીધો છે

તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણી પહેલા I.N.D.I.A. બ્લોકની 27 પાર્ટીઓ રવિવારે દિલ્હીના રામલીલા મેદાનમાં લોકશાહી બચાવો રેલી કરી રહી છે. રાહુલ અને પ્રિયંકા ગાંધી ઉપરાંત શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને સમાજવાદી પ્રમુખ અખિલેશ યાદવ પણ પહોંચ્યા છે. તેમની સાથે શિવસેના (UBT) સંજય રાઉત, CPI(M)ના મહાસચિવ સીતારામ યેચુરી, આદિત્ય ઠાકરે, NCP-SCPના વડા શરદ પવાર, AAPના નેતાઓ આતિશી, ગોપાલ રાય, PDP વડા મહેબૂબા મુફ્તી અને નેશનલ કોન્ફરન્સના નેતાઓ પહોંચ્યા છે. ફારૂક અબ્દુલ્લા પણ હાજર છે. જમીન વેચાણ ભ્રષ્ટાચાર કેસમાં ધરપકડ બાદ જેલમાં રહેલા ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની પત્ની કલ્પના સોરેન પણ આ રેલીમાં ભાગ લેવા પહોંચ્યા છે. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

તમિલનાડુમાં મંત્રીઓને ફાળવવામાં આવેલા વિભાગો; CM વિજય પાસે રહેશે ગૃહ વિભાગ, જુઓ સંપૂર્ણ લીસ્ટ
તમિલનાડુમાં મંત્રીઓને ફાળવવામાં આવેલા વિભાગો; CM વિજય પાસે રહેશે ગૃહ વિભાગ, જુઓ સંપૂર્ણ લીસ્ટ
આ સરકારે લીધો ચોંકાવનારો નિર્ણય: ત્રીજા બાળક પર ₹30,000 અને ચોથા બાળક પર મળશે ₹40,000
આ સરકારે લીધો ચોંકાવનારો નિર્ણય: ત્રીજા બાળક પર ₹30,000 અને ચોથા બાળક પર મળશે ₹40,000
જો સ્થિતિ નહીં સુધરે તો બધું જ ખતમ થઈ જશે! ઉર્જા સંકટ પર પીએમ મોદીએ આપી ચેતવણી
જો સ્થિતિ નહીં સુધરે તો બધું જ ખતમ થઈ જશે! ઉર્જા સંકટ પર પીએમ મોદીએ આપી ચેતવણી
'વિશ્વના નકશા પર રહેવા માંગો છો કે ઇતિહાસમાં?', ભારતીય આર્મી ચીફે પાકિસ્તાનને આપી વોર્નિંગ!
'વિશ્વના નકશા પર રહેવા માંગો છો કે ઇતિહાસમાં?', ભારતીય આર્મી ચીફે પાકિસ્તાનને આપી વોર્નિંગ!

વિડિઓઝ

Rajkot news: રાજકોટમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર 2 વેપારીઓને કોર્ટે ફટકારી સજા
Ambalal Patel Prediction: ગરમીથી આંશિક રાહત મળવાની અંબાલાલ પટેલની આગાહી
Rajkot Congress Protest: રાજકોટમાં મંદિરોના ડિમોલિશનને લઈ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
CNG Price Hike: CNGમાં ભાવ વધારો થતા અમદાવાદમાં રિક્ષા ચાલકોમાં રોષ
Amit Shah Gujarat Visit: અમિત શાહ આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે, જુઓ પળેપળની અપડેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જો સ્થિતિ નહીં સુધરે તો બધું જ ખતમ થઈ જશે! ઉર્જા સંકટ પર પીએમ મોદીએ આપી ચેતવણી
જો સ્થિતિ નહીં સુધરે તો બધું જ ખતમ થઈ જશે! ઉર્જા સંકટ પર પીએમ મોદીએ આપી ચેતવણી
પ્રજા પર મોંઘવારીનો ડબલ માર! અદાણી બાદ ગુજરાત ગેસે પણ CNGના ભાવમાં કર્યો વધારો
પ્રજા પર મોંઘવારીનો ડબલ માર! અદાણી બાદ ગુજરાત ગેસે પણ CNGના ભાવમાં કર્યો વધારો
સરકારનો મોટો નિર્ણય: પેટ્રોલ પર પહેલીવાર લાગ્યો નવો ટેક્સ, સામાન્ય પ્રજા પર શું અસર થશે?
સરકારનો મોટો નિર્ણય: પેટ્રોલ પર પહેલીવાર લાગ્યો નવો ટેક્સ, સામાન્ય પ્રજા પર શું અસર થશે?
તમિલનાડુમાં મંત્રીઓને ફાળવવામાં આવેલા વિભાગો; CM વિજય પાસે રહેશે ગૃહ વિભાગ, જુઓ સંપૂર્ણ લીસ્ટ
તમિલનાડુમાં મંત્રીઓને ફાળવવામાં આવેલા વિભાગો; CM વિજય પાસે રહેશે ગૃહ વિભાગ, જુઓ સંપૂર્ણ લીસ્ટ
2027 વર્લ્ડ કપ માટે વિરાટ કોહલીનું BCCI ને સીધું અલ્ટીમેટમ: 'મારી જરૂર ના હોય તો કહી દો'
2027 વર્લ્ડ કપ માટે વિરાટ કોહલીનું BCCI ને સીધું અલ્ટીમેટમ: 'મારી જરૂર ના હોય તો કહી દો'
સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે ગુડ ન્યૂઝ: GPSSB વર્ગ-3ની પરીક્ષાની તારીખો જાહેર
સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે ગુડ ન્યૂઝ: GPSSB વર્ગ-3ની પરીક્ષાની તારીખો જાહેર
ટાટા, મારુતિ અને મહિન્દ્રાની આ 7 કાર સુરક્ષિત છે કે અસુરક્ષિત? RTI તપાસમાં થયો મોટો ખુલાસો
ટાટા, મારુતિ અને મહિન્દ્રાની આ 7 કાર સુરક્ષિત છે કે અસુરક્ષિત? RTI તપાસમાં થયો મોટો ખુલાસો
Monsoon: કેરળમાં ક્યારે પહોંચશે ચોમાસું? હવામાન વિભાગે કહ્યું- તોડી શકે છે 35 વર્ષ જુનો રેકોર્ડ
Monsoon: કેરળમાં ક્યારે પહોંચશે ચોમાસું? હવામાન વિભાગે કહ્યું- તોડી શકે છે 35 વર્ષ જુનો રેકોર્ડ
Embed widget