શોધખોળ કરો

Arvind Kejriwal: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ મહારાષ્ટ્ર પહોંચ્યા, કહ્યુ- આવો વ્યક્તિ દેશ ચલાવી શકતો નથી જે...

આજે દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રી તેમના મહારાષ્ટ્ર પ્રવાસ પર છે

Arvind Kejriwal in Maharashtra:  આજે દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રી તેમના મહારાષ્ટ્ર પ્રવાસ પર છે. આ દરમિયાન તેઓ શિવસેના (UBT)ના વરિષ્ઠ નેતા ઉદ્ધવ ઠાકરેને મળ્યા હતા. આ પછી સીએમ અરવિંદ કેજરીવાલ અને ઉદ્ધવ ઠાકરેએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં ઉદ્ધવ ઠાકરે, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન એક સાથે જોવા મળ્યા હતા.

ઉદ્ધવ ઠાકરેએ શું કહ્યું?

પ્રેસ કોન્ફરન્સમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે અમે સંબંધો કમાનારા લોકો છીએ, રાજનીતિ પોતાની જગ્યાએ છે. અમે લોકશાહી બચાવવા માટે સાથે આવ્યા છીએ.

CM કેજરીવાલ અને ભગવંત માને શું કહ્યું?

આ પછી દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે  8 વર્ષ પછી દિલ્હીને અધિકાર મળ્યો છે. લોકશાહીમાં ચૂંટાયેલી સરકારને સત્તાની જરૂર હોય છે. ભાજપના લોકો જજ વિરુદ્ધ અભિયાન ચલાવે છે. ઇડી અને સીબીઆઇ દ્વારા શિવસેનાની સરકાર પડી હતી. દિલ્હીમાં પણ અમારા ધારાસભ્યને ખરીદવા માટે ‘ઓપરેશન લોટસ’ ચલાવવામાં આવ્યું હતું.

કેજરીવાલે કહ્યું હતું કે આવી વ્યક્તિ દેશને ચલાવી શકે નહીં જે આટલા ઘમંડમાં જીવે છે. પંજાબના રાજ્યપાલે આ વખતે બજેટ સત્ર થવા દીધું ન હતું. જો રાજ્યસભામાં બિલ નિષ્ફળ જશે તો 2024 પછી આ સરકાર ફરી નહીં આવે. પંજાબના સીએમ અને AAPના વરિષ્ઠ નેતા ભગવંત માને કહ્યું કે, લોકશાહી ખતરામાં છે. ચૂંટાયેલી સરકારને હેરાન કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે આગામી વર્ષે દેશમાં લોકસભા ચૂંટણી 2024 યોજાવા જઈ રહી છે, જેના માટે વિપક્ષ એક થઈ રહ્યા છે.

New Parliament Inauguration: કોંગ્રેસ સહિત 19 પક્ષો નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનનો બહિષ્કાર કરશે, નિવેદન જાહેર કરીને આપ્યું આ કારણ

Opposition Boycott New Parliament Building Inauguration: કોંગ્રેસ સહિત 19 વિપક્ષી દળોએ નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. આ તમામે સંયુક્ત નિવેદન જાહેર કર્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે લોકશાહીની આત્માને સંસદમાંથી હાંકી કાઢવામાં આવી છે. અમને આ મકાનમાં કોઈ મૂલ્ય દેખાતું નથી. એટલા માટે અમે નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. અમે આ નિરંકુશ વડાપ્રધાન અને તેમની સરકાર સામે લડતા રહીશું.

સંસદ ભવનનાં ઉદ્ઘાટનને મહત્ત્વપૂર્ણ અવસર ગણાવતાં કહેવામાં આવ્યું છે કે સરકાર લોકશાહીને જોખમમાં મૂકી રહી છે અને નવી સંસદનું નિર્માણ નિરંકુશ રીતે કરવામાં આવ્યું હતું. આ હોવા છતાં, અમે આ મહત્વપૂર્ણ પ્રસંગે અમારા મતભેદોને બાજુ પર રાખવા તૈયાર હતા. પરંતુ જે રીતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સંપૂર્ણપણે બાયપાસ કરીને વડાપ્રધાન સાથે નવી સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો તે માત્ર રાષ્ટ્રપતિપદનું અપમાન જ નહીં પરંતુ લોકશાહી પર સીધો હુમલો છે.

રાષ્ટ્રપતિને સંસદનું અભિન્ન અંગ કહ્યું

બંધારણના અનુચ્છેદ 19ને ટાંકીને નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ ભારતમાં માત્ર રાજ્યના વડા જ નથી, પરંતુ તે સંસદનો અભિન્ન અંગ પણ છે. તે સંસદને બોલાવે છે, અટકાવે છે અને સંબોધન કરે છે. ટૂંકમાં, રાષ્ટ્રપતિ વિના સંસદ ચાલી શકતી નથી. તેમ છતાં વડા પ્રધાને તેમના વિના નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવાનો નિર્ણય લીધો છે. આ અયોગ્ય કૃત્ય રાષ્ટ્રપતિના ઉચ્ચ પદનું અપમાન છે અને બંધારણના અક્ષર અને ભાવનાનું ઉલ્લંઘન છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાન, 28 મે: આગામી 15 કલાકમાં 11 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ
આવતીકાલનું હવામાન, 28 મે: આગામી 15 કલાકમાં 11 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ
પુત્રવધૂને સાસરીમાં 'એડજસ્ટ' થવાનું કહેવું ક્રૂરતા નથી: સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો
પુત્રવધૂને સાસરીમાં 'એડજસ્ટ' થવાનું કહેવું ક્રૂરતા નથી: સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો
હવે રાશનની દુકાનો પર નહીં થાય કોઈ કૌભાંડ! મોદી સરકારે ગરીબો માટે બદલી નાખ્યા આ નિયમો
હવે રાશનની દુકાનો પર નહીં થાય કોઈ કૌભાંડ! મોદી સરકારે ગરીબો માટે બદલી નાખ્યા આ નિયમો
મોદી કેબિનેટનો રાશનને લઈ મોટો નિર્ણય, 80 કરોડ લોકો પર પડશે સીધી અસર 
મોદી કેબિનેટનો રાશનને લઈ મોટો નિર્ણય, 80 કરોડ લોકો પર પડશે સીધી અસર 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તથ્યને જામીન
Hun To Bolish : હું તો બોલીશ : કથા પહેલા કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : આવો ખેલ ના ચાલે!
Ebola Virus : ઈબોલાને લઈ સરકાર એક્શનમાં, કોંગોથી આવેલા વ્યક્તિને લઈ આરોગ્યમંત્રીએ શું કર્યો ખુલાસો?
Gujarat Rain Forecast : વીજળીના કડાકા-ભડાકા સાથે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વૈભવના તોફાનમાં હૈદરાબાદનો સફાયો: રાજસ્થાન 47 રને જીતી ક્વોલિફાયર 2માં પહોંચ્યું, SRH બહાર
વૈભવના તોફાનમાં હૈદરાબાદનો સફાયો: રાજસ્થાન 47 રને જીતી ક્વોલિફાયર 2માં પહોંચ્યું, SRH બહાર
આવતીકાલનું હવામાન, 28 મે: આગામી 15 કલાકમાં 11 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ
આવતીકાલનું હવામાન, 28 મે: આગામી 15 કલાકમાં 11 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ
રાજકોટ મનપાને આવતીકાલે મળશે નવા મેયર; જુઓ રેસમાં ચાલી રહેલા આ 7 દિગ્ગજ નામો
રાજકોટ મનપાને આવતીકાલે મળશે નવા મેયર; જુઓ રેસમાં ચાલી રહેલા આ 7 દિગ્ગજ નામો
આગામી 4 દિવસ ગુજરાતના આ 12 જિલ્લાઓમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ; હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 4 દિવસ ગુજરાતના આ 12 જિલ્લાઓમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ; હવામાન વિભાગની મોટી આગાહી
વિશ્વ બેંકે અત્યાર સુધીમાં દુનિયાભરના દેશોને કેટલી લોન આપી છે? રકમ જાણીને માથું પકડી લેશો
વિશ્વ બેંકે અત્યાર સુધીમાં દુનિયાભરના દેશોને કેટલી લોન આપી છે? રકમ જાણીને માથું પકડી લેશો
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો વધુ એક ખેડૂતહિતલક્ષી નિર્ણય, આ સહાયમાં કર્યો વધારો, ચોમાસા પહેલાં કરી લો આ કામ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો વધુ એક ખેડૂતહિતલક્ષી નિર્ણય, આ સહાયમાં કર્યો વધારો, ચોમાસા પહેલાં કરી લો આ કામ
IPL 2026: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ એલિમિનેટરમાં 5 રેકોર્ડ તોડ્યા, તમામ દિગ્ગજોને છોડ્યા પાછળ
IPL 2026: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ એલિમિનેટરમાં 5 રેકોર્ડ તોડ્યા, તમામ દિગ્ગજોને છોડ્યા પાછળ
IPL 2026માં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીનો ધમાકો: પંત અને ક્રિસ ગેઈલનો મોટો રેકોર્ડ તોડ્યો
IPL 2026માં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીનો ધમાકો: પંત અને ક્રિસ ગેઈલનો મોટો રેકોર્ડ તોડ્યો
Embed widget