શોધખોળ કરો

Gaganyaan Mission: અવકાશયાત્રી 3 દિવસ સુધી રહેશે અવકાશમાં, જાણો કેમ ખાસ છે ભારત માટે ઇસરોનું ગગનયાન મિશન

ISROના જણાવ્યા અનુસાર ગગનયાન મિશન હેઠળ 3 અવકાશયાત્રીઓને 3 દિવસ માટે અવકાશમાં મોકલવામાં આવશે અને તેમને સમુદ્રમાં લેન્ડ કરીને પાછા લાવવામાં આવશે. જાણો, શું છે ગગનયાન મિશન

Gaganyaan Mission: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) તેનું ગગનયાન મિશન 2024માં લોન્ચ કરશે. તેની તૈયારીઓ ચાલી રહી છે. ગુરુવારે, ISROએ આ મિશનમાં ઉપયોગમાં લેવાતી પ્રોપલ્શન સિસ્ટમ સંબંધિત બે પરીક્ષણો કર્યા, જે સફળ રહ્યા. આ મિશનમાં ભાગ લેનારા અવકાશયાત્રીઓને ગગનૌટ કહેવામાં આવશે. ઈસરોની સત્તાવાર વેબસાઈટ અનુસાર ગગનયાન મિશન હેઠળ, 3 ગગનૌતને 3 દિવસ માટે અવકાશમાં મોકલવામાં આવશે અને સમુદ્રમાં ઉતરાણ દ્વારા પાછા લાવવામાં આવશે.

ગગનયાનનું લક્ષ્ય અંતરિક્ષમાં પૃથ્વીથી 400 કિમી ઉપર પહોંચવાનું છે. આ મિશન માટે અવકાશયાત્રીઓની પસંદગી કરવાનું કામ ભારતીય વાયુસેનાને આપવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ માટે 10 હજાર કરોડ રૂપિયા બહાર પાડવામાં આવ્યા હતા.ચંદ્રયાન-3 પછી ISROનું ગગનયાન મિશન ઘણી રીતે ભારત માટે ખાસ હશે, જાણો શું છે ગગનયાન મિશન, તેની તૈયારી કેવી છે અને શું છે અને ચંદ્રયાન-3 સાથે શું છે જોડાણ

ગગનયાન મિશન શું છે?

આ મિશન દ્વારા, ISRO પૃથ્વીની નીચલા ભ્રમણકક્ષા (LEO)માં માનવયુક્ત અવકાશયાન મોકલશે. ISROનો ઉદ્દેશ્ય મનુષ્યોને પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં મોકલવાનો અને આમ કરવા માટે સ્વદેશી ક્ષમતા વિકસાવવાનો છે.

આ માટે મોટા પાયે તૈયારીઓ કરવામાં આવી છે. ઈસરોનો દાવો છે કે સુરક્ષાની દૃષ્ટિએ આ મિશન માટે જઈ રહેલા અવકાશયાત્રીઓને પૃથ્વી પર મળે તેવી લાઈફ સપોર્ટ સિસ્ટમ આપવામાં આવશે. તેમની સુરક્ષા માટે ખાસ કાળજી લેવામાં આવી છે. મિશન શરૂ કરતા પહેલા અનેક ટેસ્ટ કરીને તેમની સુરક્ષાની ચકાસણી કરવામાં આવશે. આમાં એર ડ્રોપ ટેસ્ટ (IADT), પેડ એબોર્ટ ટેસ્ટ (PAT) અને ટેસ્ટ વ્હીકલ (TV) ફ્લાઇટનો સમાવેશ થાય છે. આ પરીક્ષણોના પરિણામો જ જણાવશે કે આ મિશન અવકાશયાત્રીઓને લઈ જવા માટે કેટલું સક્ષમ છે.

ઈસરોએ ટ્વીટ કરીને સફળ પરીક્ષણની માહિતી આપી

મિશન માટે તૈયારી કેવી છે?

આ મિશન માટે અવકાશયાત્રીઓની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. તેની તૈયારીમાં ઈસરોના ચંદ્રયાન-3ની મહત્વની ભૂમિકા છે. ગગનયાન કેપ્સ્યુલને અવકાશમાં મોકલવાની તૈયારી ચાલી રહી છે. ચંદ્રયાન-3ને લોન્ચ વ્હીકલ મોડ્યુલ એટલે કે LVM-3 (LVM-3)માંથી છોડવામાં આવ્યું છે.

હવે LVM-3 ના સંશોધિત સંસ્કરણનો ઉપયોગ ગગનયાન લોન્ચ કરવા માટે કરવામાં આવશે. તેની પાછળ પણ એક ખાસ કારણ છે. ગગનયાનને અવકાશયાત્રીઓ સાથે છોડવા માટે ભારે રોકેટની જરૂર પડશે, હાલમાં દેશ પાસે LVM-3 કરતાં વધુ ભરોસાપાત્ર અને ભારે રોકેટ અન્ય કોઈ નથી.

હાલમાં LVM-3નો સફળતા દર 100 ટકા છે. તે ઘણી માનવ રેટેડ સિસ્ટમ્સથી સજ્જ છે. જો સરળ ભાષામાં સમજીએ તો તેનો અર્થ એ છે કે માણસને અંતરિક્ષમાં લઈ જતી વખતે રોકેટ કેટલી હદે તૈયાર હોવું જોઈએ અને કેવું હોવું જોઈએ. તે કેટલી હદે સુરક્ષિત હોવી જોઈએ? કોઈપણ સમસ્યાના કિસ્સામાં, રોકેટે તરત જ મિશનને ત્યાં રોકવું જોઈએ.

ઈસરોના વડા ડૉ. એસ. સોમનાથે પુષ્ટિ કરી છે કે ગગનયાનના પ્રક્ષેપણ વાહનનું રેટિંગ પૂર્ણ થઈ ગયું છે. આમાં વપરાતા પ્રોપલ્શન મોડ્યુલ, સોલિડ, લિક્વિડ અને ક્રાયોજેનિક મોડ્યુલની તપાસ કરવામાં આવી છે. હવે રોકેટના બીજા ભાગનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

આ મિશન ત્રણ તબક્કામાં પૂર્ણ થશે

ગગનયાન મિશન ત્રણ તબક્કામાં પૂર્ણ થશે. પ્રથમ તબક્કો માનવરહિત હશે. બીજા તબક્કામાં રોબોટને મિશન પર મોકલવામાં આવશે. પરિણામો અને સુરક્ષાના પાસાઓ પર નજર રાખીને, જો બધું બરાબર રહેશે તો ત્રીજા તબક્કામાં ત્રણ અવકાશયાત્રીઓને મોકલવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
અમદાવાદ પોલીસકર્મીની ઉદ્ધતાઇ, એક્ટિવ પર જતી મહિલાને માર્યો લાફો, ઘટના કેમરામાં કેદ
અમદાવાદ પોલીસકર્મીની ઉદ્ધતાઇ, એક્ટિવ પર જતી મહિલાને માર્યો લાફો, ઘટના કેમરામાં કેદ
આ 5 દિગ્ગજ ખેલાડીઓ T20 World Cup નહીં રમે! BCCI ના નિર્ણયથી સૌ ચોંક્યા, જુઓ કોનો નંબર લાગ્યો?
આ 5 દિગ્ગજ ખેલાડીઓ T20 World Cup નહીં રમે! BCCI ના નિર્ણયથી સૌ ચોંક્યા, જુઓ કોનો નંબર લાગ્યો?

વિડિઓઝ

Mahisagar Jaundice outbreak: મહીસાગરના બાલાસિનોરમાં કમળાનો હાહાકાર, 18 દિવસમાં 243 કેસ
RRP Semiconductor Ltd : RRP સેમીકંડક્ટરની તેજી પર સવાલો, 20 મહિનામાં 55 હજાર ટકા રિટર્ન
Surat News: સુરતના માંડવીમાં ધર્માંતરણના કેસમાં વધુ બે આરોપીની ધરપકડ
Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
અમદાવાદ પોલીસકર્મીની ઉદ્ધતાઇ, એક્ટિવ પર જતી મહિલાને માર્યો લાફો, ઘટના કેમરામાં કેદ
અમદાવાદ પોલીસકર્મીની ઉદ્ધતાઇ, એક્ટિવ પર જતી મહિલાને માર્યો લાફો, ઘટના કેમરામાં કેદ
આ 5 દિગ્ગજ ખેલાડીઓ T20 World Cup નહીં રમે! BCCI ના નિર્ણયથી સૌ ચોંક્યા, જુઓ કોનો નંબર લાગ્યો?
આ 5 દિગ્ગજ ખેલાડીઓ T20 World Cup નહીં રમે! BCCI ના નિર્ણયથી સૌ ચોંક્યા, જુઓ કોનો નંબર લાગ્યો?
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Delhi Pollution: દિલ્લીમાં પેટ્રોલ, ડીઝલ કે CNGની કઇ ગાડીને મળશે એન્ટ્રી? શું છે, GRAP સ્ટેજ 4?
Delhi Pollution: દિલ્લીમાં પેટ્રોલ, ડીઝલ કે CNGની કઇ ગાડીને મળશે એન્ટ્રી? શું છે, GRAP સ્ટેજ 4?
 Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની મોબ લિંચિંગ 7 અરેસ્ટ, જાણો અપડેટ્સ
 Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની મોબ લિંચિંગ 7 અરેસ્ટ, જાણો અપડેટ્સ
Embed widget