Atiq Ahmad Son Encounter Live Updates: અતીક અહેમદના પુત્ર અસદ અહમદનું એન્કાઉન્ટર, યોગીએ કહી આ વાત
Asad Ahmed Encounter : ઉમેશ પાલ મર્ડર કેસમાં ફરાર માફિયા અતીકના પુત્ર અસદ અને તેના સાથી ગુલામને યુપી એસટીએફ દ્વારા એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા.
LIVE

Background
પુત્રના મોત બાદ અતીકે વ્યક્તિ કરી આવી ઇચ્છા
એન્કાઉન્ટરના સમાચાર સાંભળ્યા બાદ નૈની જેલમાં જતા અતીક અહેમદે કહ્યું હતું કે "આ બધું તેના કારણે થયું છે". તે અસદની ધરતી પર જવા માંગે છે, તેના માટે વ્યવસ્થા કરવી જોઈએ.” આ મુદ્દે યુપીમાં પણ રાજકારણ શરૂ થઈ ગયું છે. શાસક પક્ષ તેને પોતાની સૌથી મોટી ઉપલબ્ધિ ગણાવીને પ્રચાર કરી રહ્યો છે. બીજીબાજુ સપા પ્રમુખ અખિલેશ યાદવે અસદ અને ગુલામના એન્કાઉન્ટરને ખોટું એન્કાઉન્ટર ગણાવ્યું છે. તેમજ એન્કાઉન્ટરની તપાસની માંગણી કરી હતી.
કોર્ટ પરિસરમાં ચક્કર ખાઇને ઢળી પડ્યો અતીક
ઉમેશ પાલ મર્ડર કેસના આરોપી ગેન્ગસ્ટર અતીક અહેમદનો પુત્ર અસદ અહેમદ યુપીમાં એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. ઉત્તરપ્રદેશના ઝાંસીમાં એસટીએફએ તેની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. આ એન્કાઉન્ટરમાં શૂટર ગુલામ મોહમ્મદનું પણ મોત થયું હતું. પુત્ર અસદ એન્કાઉન્ટરમાં માર્યા ગયાના સમાચાર સાંભળીને કોર્ટ રૂમમાં જ અતીકની તબિયત બગડી ગઇ હતી અને આ સાંભળીને તે પહેલા તે ખુબ રડ્યો અને પછી ચક્કર ખાઇન કૉર્ટ પરિસરમાં ઢળી પડ્યો હતો.
એન્કાઉન્ટર નહીં કાયદાના ધજાગરા ઉડી રહ્યા છે - અસદુદ્દીન ઓવૈસી
અતીક અહેમદના પુત્ર અસદ અહેમદના એન્કાઉન્ટર પર એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, તમે (ભાજપ) જુનૈદ અને નસીરને મારનારનું પણ એન્કાઉન્ટર કરશો, તમે નહીં કરો. તમે તે નહીં કરશો કારણ કે તમે ધર્મના નામે એન્કાઉન્ટર કરો છો. આ એન્કાઉન્ટર નથી, કાયદાના ધજાગરા ઉડી રહ્યા હ્યા છે. જો તમે નક્કી કરો કે તમે ગોળીઓથી ન્યાય કરશો, તો અદાલતો બંધ કરો.
અખિલેશ યાદવે એન્કાઉન્ટર મુદ્દે શું કહ્યું
સપા પ્રમુખ અખિલેશ યાદવે આરોપ લગાવ્યો કે ખોટા એન્કાઉન્ટર કરીને ભાજપ સરકાર સાચા મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ કરી રહી છે. ભાજપને કોર્ટમાં બિલકુલ વિશ્વાસ નથી. આજના અને તાજેતરના એન્કાઉન્ટરની પણ સંપૂર્ણ તપાસ થવી જોઈએ અને ગુનેગારોને બક્ષવા જોઈએ નહીં. શું સાચું કે ખોટું તે નક્કી કરવાનો અધિકાર સત્તાને નથી. ભાજપ ભાઈચારાની વિરુદ્ધ છે.
ADG લો એન્ડ ઓર્ડરે એન્કાઉન્ટર મુદ્દે શું કહ્યું
ADG લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે કહ્યું કે STF અને સિવિલ પોલીસ ગુના અને ગુનેગારો પ્રત્યે સરકારની સૂચનાઓનું પાલન કરશે. હું અંગત રીતે અમારા STF સાથીદારોને અભિનંદન આપું છું. જેમણે પ્રતિકૂળ પરિસ્થિતિમાં ઓપરેશન પાર પાડ્યું હતું. આ કામગીરીમાં જોડાયેલા લોકોએ સરકારનો વખાણ કર્યો છે અને આભાર માન્યો છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
