શોધખોળ કરો

Atiq Ahmed Murder: અતીક-અશરફ હત્યાકાંડમાં સૌથી મોટી કાર્યવાહી, જાણો કોના પર લેવાઇ પહેલી એક્શન

ઘટનાસ્થળ પર સતર્કતા ના રાખવા અને બેદરકારી રાખવાના મુદ્દે આ કાર્યવાહી થઇ છે. આ પહેલા મંગળવારે એસીપી એનએન સિંહની પણ બદલી કરવામાં આવી હતી

Atiq Ahmed Murder Case: યુપીમાં સૌથી વધુ ચર્ચિત કેસ અતીક-અશરફ હત્યા કેસને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં અતીક અહેમદ અને અશરફની હત્યાકાંડ કેસના ચોથા દિવસે મોટી કાર્યવાહી થઇ છે. આ મામલામાં પાંચ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શાહગંજ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ, બે સબ ઈન્સ્પેક્ટર અને બે કૉન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શાહગંજના ઈન્સ્પેક્ટર અશ્વિની સિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મંગળવારે SITએ SO સહિત તમામ પોલીસ કર્મચારીઓની પૂછપરછ કરી હતી, ત્યારબાદ SITના રિપોર્ટના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.

ઘટનાસ્થળ પર સતર્કતા ના રાખવા અને બેદરકારી રાખવાના મુદ્દે આ કાર્યવાહી થઇ છે. આ પહેલા મંગળવારે એસીપી એનએન સિંહની પણ બદલી કરવામાં આવી હતી. એનએન સિંહ પર આરોપ હતો કે તેમણે કેટલાક લેન્ડ માફિયાઓ પાસેથી તેમના નજીકના લોકોના નામે બહુ ઓછા પૈસામાં જમીનની રજીસ્ટ્રી કરાવી હતી.

હત્યાકાંડ દરમિયાન ભારે પોલીસ ફૉર્સ તૈનાત હતી - 
ધૂમનગંજ વિસ્તારમાં 24 ફેબ્રુઆરીએ ઉમેશ પાલ અને તેની સુરક્ષામાં તૈનાત બે ગનરોની સરેઆમ ગોળીઓ મારીને હત્યા કરી દેવામાં આવી હતી, અને પછી 15 એપ્રિલે અતીક અહેમદ અને અશરફને જ્યારે પોલીસ કસ્ટડીમાં મેડિકલ ચેકઅપ માટે કૉલ્વિન હોસ્પિટલમાં લઇ જવાઇ રહ્યાં હતા તે સમયે, ત્રણ હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. હત્યારાઓએ બંનેને માથામાં ગોળી મારીને હત્યા કરી નાખી હતી. બાદમાં પોલીસે ત્રણેય હુમલાખોરોને પકડી લીધા હતા. ખાસ વાત છે કે, હત્યાકાંડ સમયે ભારે પોલીસ ફોર્સ તૈનાત હતુ. આ મામલે પોલીસની ભૂમિકાને લઈને અનેક સવાલો ઉભા થયા હતા, જે બાદ પોલીસ અધિકારીઓને સજા થશે તે નિશ્ચિત હતું.

પ્રયાગરાજના એસીપી નરસિંહ નારાયણ સિંહને પણ હટાવી દેવામાં આવ્યા છે. હવે તેને ડીજીપી હેડક્વાર્ટર સાથે જોડી દેવામાં આવ્યા છે. નરસિંહ નારાયણ સિંહ શાહગંજ અને ધુમનગંજ સ્ટેશનના એસીપી હતા. તેમની જગ્યાએ હવે 43મી કોર્પ્સ પીએસી કાનપુરના મહેન્દ્ર સિંહને પ્રયાગરાજ એસીપીના પદ પર મોકલવામાં આવ્યા છે.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget