શોધખોળ કરો

Mahakumbh 2025: મહાકુંભમાં વસંત પંચમી પર અમૃત સ્નાન શરૂ, વાંચો નવી ગાઇડલાઇન્સ

Mahakumbh 2025: શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે વન વે રૂટ તૈયાર કરવામાં આવ્યો છે. ત્રિવેણી ઘાટ પર વધુ પડતા દબાણને રોકવા માટે વધારાના પોલીસ દળો તૈનાત કરવામાં આવી રહ્યા છે

Mahakumbh 2025: મહકુંભમાં વસંત પંચમીના અમૃત સ્નાનનો પ્રારંભ થઈ ગયો છે. આ પ્રસંગે ઓપરેશન 11 ચલાવીને ભીડ વ્યવસ્થાપન વિશેષ યોજના હેઠળ વ્યવસ્થા સંભાળવવામાં આવી રહી છે. આ યોજના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશ પર બનાવવામાં આવી છે. શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે વન વે રૂટ તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, મેળામાં આવતા લોકોને પાન્ટુન પુલ પર કોઈ મુશ્કેલી ન પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

સૌથી મહત્વની વાત એ છે કે ત્રિવેણી ઘાટ પર વધુ પડતા દબાણને રોકવા માટે વધારાના પોલીસ દળો તૈનાત કરવામાં આવી રહ્યા છે, જ્યાં વરિષ્ઠ અધિકારીઓ પણ તેમની ટીમો સાથે તૈનાત કરવામાં આવશે. આ સાથે બેરિકેડની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે.

મહાકુંભમાં વસંત પંચમીના અવસરે સન્યાસી, બૈરાગી અને ઉદાસીનના અખાડાઓ પૂર્વનિર્ધારિત ક્રમમાં સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી રહ્યા છે, જેમાં પહેલા જૂથે ગંગાના પવિત્ર સંગમમાં ડૂબકી લગાવી દીધી છે. અત્યાર સુધીમાં, ૩૩ કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ મહાકુંભમાં પવિત્ર ડૂબકી લગાવી છે અને ઉત્તર પ્રદેશ સરકાર સોમવારે જ લગભગ પાંચ કરોડ શ્રદ્ધાળુઓના આગમનની અપેક્ષા રાખી રહી છે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વસંત પંચમીના અવસર પર યોજાઈ રહેલા ત્રીજા અમૃત સ્નાન નિમિત્તે ભક્તોને અભિનંદન પાઠવ્યા છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે કહ્યું, " મહાકુંભ-2025 પ્રયાગરાજમાં વસંત પંચમીના શુભ અવસર પર પવિત્ર ત્રિવેણી સંગમમાં પવિત્ર અમૃત સ્નાન કરીને પુણ્યનો લાભ મેળવનારા પૂજ્ય સંતો, ધર્મચાર્યો, તમામ અખાડાઓ, કલ્પવાસીઓ અને ભક્તોને હાર્દિક અભિનંદન."

એડીજી ભાનુ ભાસ્કર મેળા ઓથોરિટી બિલ્ડિંગમાં સ્થિત ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (ICCC) પહોંચ્યા જ્યાં તેમણે સ્ક્રીન પર સમગ્ર મેળા વિસ્તાર, મેળાના પ્રવેશ સ્થળોનું નીરિક્ષણ કર્યું અને ઘાટ પરથી ભીડને ખાલી કરવા માટે જાતે જ લાઉડસ્પીકર પર નિર્દેશ આપ્યા હતા.

તેમણે ભક્તોને કહ્યું, “કૃપા કરીને ઘાટ પર સ્નાન કર્યા પછી બિનજરૂરી રીતે બેસો નહીં અને ઘાટ ખાલી કરો જેથી અન્ય ભક્તો સ્નાન કરી શકે. ઘાટ પર ખાવું-પીવું નહીં અને બીજી કોઇ જગ્યાએ જઇને જમશો. ભાનુ ભાસ્કરે સેન્ટરમાં પોલીસ અધિકારીઓને સૂચના આપી કે ભીડ ઘાટ પર ક્યાંય રોકાય નહીં અને સ્નાન કર્યા પછી તેઓ પોતપોતાના સ્થળોએ જવા રવાના થાય.

 નવી માર્ગદર્શિકા

4 ફેબ્રુઆરી સુધી મહાકુંભને લઈને એક નવી માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે, જેમાં ભક્તોએ 2 ફેબ્રુઆરીથી 4 ફેબ્રુઆરી સુધી શહેરની બહાર પોતાના વાહનો પાર્ક કરવાના રહેશે. પાર્કિંગથી તેઓ શટલ બસ દ્વારા અથવા પગપાળા ઘાટ સુધી પહોંચી શકશે. નાના અને મોટા વાહનો માટે અલગ અલગ પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે. બધા રેલવે સ્ટેશનો પર વન-વે સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. જો ભક્તો એક બાજુથી આવે છે તો બહાર નીકળવાનો રસ્તો બીજી બાજુથી હશે.

Vasant Panchami 2025 Upay: વસંત પંચમીના અવસરે આજે કરો આ ઉપાય, દરેક કાર્યમાં મળશે ઝળહળતી સફળતા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઓનલાઈન ઓર્ડરમાં કોણ કમાઈ છે રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ચાર પગનો આતંક
Hun To Bolish : હું તો બોલીશ : ઠાકોરની એકતા
PM Narendra Modi : PM મોદી અમદાવાદમાં પતંગ મહોત્સવમાં આપશે હાજરી, જુઓ અહેવાલ
Harsh Sanghavi In Surat : કુપોષિત બાળકો પર કામ કરવાની સુરતના તબીબોને હર્ષ સંઘવીએ આપી સલાહ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?
IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?
Embed widget