![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
BBC Issue : BBC વિરૂદ્ધ BJPએ સંભાળ્યો મોરચો, ગણાવ્યા ભારત વિરોધી એકે એક પુરાવા
ભાજપના પ્રવકતા ગૌરવ ભાટિયાએ કહ્યું હતું કે, બીબીસી વાસ્તવમાં 'ભ્રષ્ટ બકવાસ કોર્પોરેશન' છે. કોંગ્રેસ અને વિરોધ પક્ષોને નિશાન બનાવવા માટે તેમણે ખુલ્લેઆમ બીબીસીને ભારત વિરોધી બીબીસી ગણાવી હતી.
![BBC Issue : BBC વિરૂદ્ધ BJPએ સંભાળ્યો મોરચો, ગણાવ્યા ભારત વિરોધી એકે એક પુરાવા BBC Issue : BBC Has Black History Against India : Bjp BBC Issue : BBC વિરૂદ્ધ BJPએ સંભાળ્યો મોરચો, ગણાવ્યા ભારત વિરોધી એકે એક પુરાવા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/14/bb64128d604bd2e1420b842a360337d3167637711614381_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
BJP Against BBC : કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (BJP)એ બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (BBC)સામે હવે ખુલ્લેઆમ મોરચો ખોલી દીધો છે. પાર્ટી હવે ખુલ્લેઆમ BBC સામે આવી છે. BBC પર ભારત વિરુદ્ધ ઝેરીલા એજન્ડા ચલાવવાનો આરોપ લગાવતા પાર્ટીએ કહ્યું હતું કે, જે લોકો ઈન્કમ ટેક્સ એક્શન (BBC વિરુદ્ધ આઈટી એક્શન)નો વિરોધ કરી રહ્યા છે તેઓ પણ આ એજન્ડામાં BBCની સાથે છે. બીજેપીના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયાએ દિલ્હી અને મુંબઈમાં બીબીસીની ઓફિસોના આવકવેરા સર્વેક્ષણ પછી પત્રકાર પરિષદમાં બીબીસીના 'કાળા ઇતિહાસ'ના ઘણા ઉદાહરણો ટાંક્યા હતાં. બીબીસીએ પણ આ મામલે પોતાનું નિવેદન આપ્યું હતું.
ભાજપના પ્રવકતા ગૌરવ ભાટિયાએ કહ્યું હતું કે, બીબીસી વાસ્તવમાં 'ભ્રષ્ટ બકવાસ કોર્પોરેશન' છે. કોંગ્રેસ અને વિરોધ પક્ષોને નિશાન બનાવવા માટે તેમણે ખુલ્લેઆમ બીબીસીને ભારત વિરોધી બીબીસી ગણાવી હતી. જ્યારે બીબીસીએ તેના નિવેદનમાં કહ્યું હતું કે તે તપાસમાં એજન્સીને સંપૂર્ણ મદદ કરી રહ્યું છે.
કોંગ્રેસ દેશ વિરોધીઓ સાથે શા માટે? : ભાજપ
ભાજપના પ્રવક્તાએ કહ્યું હતું કે, કોંગ્રેસનો હાથ હંમેશા રાષ્ટ્રવિરોધીઓ સાથે કેમ હોય છે? જો કોઈ કાનૂની સંસ્થા પોતાનું કામ કરી રહી હોય અને હજુ સુધી કાર્યવાહી પૂરી ન થઈ હોય તો કોંગ્રેસ પાર્ટી, સમાજવાદી પાર્ટી, તમામ વિરોધ પક્ષો કયા આધારે રાષ્ટ્રવિરોધી શક્તિ સાથે ઉભા છે? શા માટે તમારું પાત્ર એવું બની ગયું છે કે તમે આત્મ-નિયંત્રણનો ઉપયોગ કરી શકતા નથી? તમારું ચરિત્ર એવું કેમ બની ગયું છે કે જે કોઈ પણ દેશ વિરોધી શક્તિ હોય તે પછી ચીન હોય, બીબીસી હોય કે બીજુ કોઈ ઘણી વખત આપણે જોયું છે કે કોંગ્રેસ આતંકવાદીઓ સાથે હાથ મિલાવતી હોય છે. એવા ઘણા દેશો છે જે ભારત વિરુદ્ધ ષડયંત્ર રચે છે અને કોંગ્રેસ પાર્ટી તેમની સાથે છે.
BBC ભ્રષ્ટ બકવાસ કોર્પોરેશન : ભાજપ
ભાજપના પ્રવક્તાએ કોંગ્રેસ પર બીબીસીના એજન્ડા પર કામ કરવાનો આરોપ લગાવ્યો અને પાર્ટીને કમ સે કમ ઈન્દિરા ગાંધીની કાર્યવાહી યાદ રાખવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું હતું કે, જો આપણે બીબીસીની ક્રિયાઓ જોઈએ, તો તે આખી દુનિયામાં સૌથી ભ્રષ્ટ અને બકવાસ કોર્પોરેશન બની ગયું છે. તે દુઃખદ છે કે બીબીસીનો પ્રચાર અને કોંગ્રેસનો એજન્ડા એકરૂપ છે. ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હ્તું કે, ભારતને લઈને બીબીસીનો ઈતિહાસ સંપૂર્ણપણે કાળો છે. બીબીસીનો ભારત વિરુદ્ધ કલંકિત, કાળી, દૂષિત ભાવના સાથે કામ કરવાનો ઈતિહાસ છે. કોંગ્રેસ પાર્ટીએ સૌથી પહેલા એ યાદ રાખવું જોઈએ કે દેશના પૂર્વ વડાપ્રધાને પોતે BBC પર કેવા પકારે પ્રતિબંધ મૂક્યો હતો.
'ભારત વિરોધી એજન્ડા ભારતમાં રહીને સાંખી ના લેવાય'
ગૌરવ ભાટિયાએ બીબીસીને સ્પષ્ટપણે કહ્યું હતું કે, જ્યાં સુધી ભારત વિરોધી ઝેર ના ઓકે ત્યાં સુધી તેને ભારતમાં કામ કરવાનો સંપૂર્ણ અધિકાર છે. પરંતુ કોઈપણ સંસ્થાને તેનો એજન્ડા ચલાવવાનો અધિકાર નથી. આ કોઈ પણ સંજોગોમાં સહન કરી શકાય નહીં. તેમણે કહ્યું હતું કે, કોઈપણ એજન્સી હોય, મીડિયા હોય, કોઈ કંપની હોય, જો તે ભારતમાં કામ કરતી હોય તો તેણે ભારતના કાયદાનું પાલન કરવું પડશે. બીબીસીએ રિપોર્ટિંગ કરવું જોઈએ, ન્યાયી પત્રકારત્વ કરવું જોઈએ, ભારતનું બંધારણ તેને અધિકાર આપે છે. પરંતુ પત્રકારત્વની આડમાં એજન્ડાને કેવી રીતે આગળ વધારવામાં આવે છે, તે હું તમારી સામે મૂકી રહ્યો છું.
ભાટિયાએ ગણાવ્યા બીબીસીના દરેક 'ગુના'
બીજેપી પ્રવક્તાએ કહ્યું હતું કે, બીબીસીએ તેના એક કાર્યક્રમમાં આપણા દેશ વિરુદ્ધ ઝેર ઓક્યું. કાર્યક્રમ પ્રસ્તુતકર્તાએ કાશ્મીરી આતંકવાદીનું 'કરિશ્મેટિક યુવા આતંકવાદી' તરીકે ગણાવીને તેનું મહિમા મંડન કર્યું. એક આતંકવાદી જે ભારતની અખંડિતતાને પડકારવા માંગે છે તેને બીબીસીએ કરિશ્માવાદી ગણાવ્યો હતો. આ કેવા પ્રકારનું રિપોર્ટિંગ છે? તેમણે વધુમાં કહ્યું હતું કે, તમે ભારતમાં કામ કરો છો અને ભારતના બંધારણને જ તાર-તાર કરો છો, ભારતની અખંડિતતાને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કરો છો. ભારત તેની સંસ્કૃતિ, તેની વિવિધતા માટે સમગ્ર વિશ્વમાં જાણીતું છે. અહીં કયા તહેવારો છે, લાગણીઓ શું છે તે જાણ્યા વિના બીબીસીએ કહ્યું હતું – હોળી ખૂબ જ ગંદો તહેવાર છે.
બીબીસીના 'એજન્ડા' પર કટાક્ષ કરતા ભાટિયાએ વધુમાં કહ્યું હતું કે, આપણે બધા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું સન્માન કરીએ છીએ. પરંતુ બીબીસી ભારતમાં કામ કરતી વખતે ભારતીય પ્રતીકોનું જ અપમાન કરે છે. બીબીસીએ એક કાર્યક્રમમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે, 1946માં ભારતને આઝાદ કરવાના તેમના પ્રયાસમાં મહાત્મા ગાંધી સંપૂર્ણપણે નિષ્ફળ ગયા હતા. તેમણે કહ્યું હતું કે, ભૂતપૂર્વ બ્રિટિશ વડાપ્રધાન માર્ગારેટ થેચરે પણ બીબીસીને બોલ્શેવિક બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન તરીકે વર્ણવ્યું હતું.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)