News: બેંગ્લુરુંમાં 'જય શ્રીરામ'ના નારા લગાવવા મામલે મારામારી, રસ્તાં વચ્ચે રોકીને ત્રણ લોકોને લાકડીઓથી ફટકાર્યા
હુમલા બાદ ચારેય આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. આ અંગેની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી
![News: બેંગ્લુરુંમાં 'જય શ્રીરામ'ના નારા લગાવવા મામલે મારામારી, રસ્તાં વચ્ચે રોકીને ત્રણ લોકોને લાકડીઓથી ફટકાર્યા Bengaluru Crime News Updates: bengaluru three men beaten for chanting jai shri ram on ram navami by sticks News: બેંગ્લુરુંમાં 'જય શ્રીરામ'ના નારા લગાવવા મામલે મારામારી, રસ્તાં વચ્ચે રોકીને ત્રણ લોકોને લાકડીઓથી ફટકાર્યા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/18/0b12350b1f51747478429f140b7b0583171341638141877_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Bengaluru News: કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં કથિત રીતે 'જય શ્રી રામ'ના નારાને લઈને કેટલાક લોકો વચ્ચે બબાલ અને ઝપાઝપી થઈ હતી, જેમાં બે લોકો ઘાયલ થયા હતા. આ મામલે પોલીસે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા અને રમખાણ કરવા સહિતના આરોપો હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય બેની અટકાયત કરવામાં આવી છે, જેમાંથી એક સગીર છે. આ ઘટના બુધવારે (17 એપ્રિલ) રામ નવમીના દિવસે બની હતી.
પોલીસે જણાવ્યું કે પવન કુમાર, રાહુલ અને બિનાયક નામના ત્રણ લોકો કાર દ્વારા સેકન્ડ હેન્ડ ટૂ-વ્હીલર ખરીદવા જઈ રહ્યા હતા. તેમની પાસે ભગવો ધ્વજ હતો અને ચારે બાજુ 'જય શ્રી રામ' ના નારા લગાવી રહ્યા હતા. રસ્તામાં, બાઇક પર જઈ રહેલા ફરમાન અને સમીર નામના બે લોકોએ તેને ઉત્તર બેંગલુરુના ચિક્કાબેટ્ટાહલ્લી પાસે રોક્યો અને પૂછ્યું કે તે નારા કેમ લગાવી રહ્યો છે. એફઆઈઆર મુજબ, ફરમાન-સમીરે તેમને માત્ર 'અલ્લાહ-હુ-અકબર' બોલવાનું કહ્યું હતું.
કઇ રીતે આપ્યો ઘટનાને અંજામ ?
એનડીટીવીના અહેવાલ મુજબ, એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, "ફરમાને ત્રણ લોકો પાસેથી ઝંડો છીનવવાનો પ્રયાસ કર્યો, જેના પછી બે લોકોએ તેનો પીછો કર્યો. સમીર આ બધું જોઈને ત્યાંથી ભાગી ગયો. બંને થોડીવાર પછી કારમાં બેસી ગયા. જો કે, થોડા સમય પછી સમીર અને ફરમાન ફરી આવ્યા અને આ વખતે તેમના હાથમાં લાકડી હતી.
પોલીસે જણાવ્યું કે સમીર અને ફરમાન સાથે વધુ બે છોકરાઓ હતા, જેમાંથી એક સગીર હતો, જ્યારે બીજાની ઉંમર નક્કી કરવામાં આવી રહી છે. ચારેય મળીને કાર સવાર પવન કુમાર, રાહુલ અને બિનાયકને માર મારવા લાગ્યા. સમીર અને ફરમાને રાહુલ અને બિનાયકને ખૂબ માર્યા. રાહુલ પર લાકડી વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે તેને માથામાં ઈજા થઈ હતી, જ્યારે બિનાયકને નાક પર વાગ્યો હતો.
બેંગ્લુરું પોલીસે ચારેય આરોપીએને પકડ્યા
હુમલા બાદ ચારેય આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. આ અંગેની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પવન, રાહુલ અને બિનાયકને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરિયાદ નોંધાવ્યા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસે ફરમાન અને સમીરની ધરપકડ કરી છે, જ્યારે બે સગીરોની અટકાયત કરવામાં આવી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)