![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Bharat Jodo Yatra: રાહુલ ગાંધીને મળ્યો બહેન પ્રિયંકા ગાંધીનો સાથ, મધ્યપ્રદેશના ખંડવામાં ભારત જોડો યાત્રામાં થયા સામેલ
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસનું ધ્યાન રૂટની તે 16 વિધાનસભા સીટો પર છે. જેના પર હાલમાં ભાજપનો કબજો છે
![Bharat Jodo Yatra: રાહુલ ગાંધીને મળ્યો બહેન પ્રિયંકા ગાંધીનો સાથ, મધ્યપ્રદેશના ખંડવામાં ભારત જોડો યાત્રામાં થયા સામેલ Bharat Jodo Yatra: Rahul Gandhi's Rally Enters Madhya Pradesh; Priyanka Gandhi Join Bharat Jodo Yatra: રાહુલ ગાંધીને મળ્યો બહેન પ્રિયંકા ગાંધીનો સાથ, મધ્યપ્રદેશના ખંડવામાં ભારત જોડો યાત્રામાં થયા સામેલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/24/eddd5a046767a3e122c55d489d53c7b8166925519991074_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Bharat Jodo Yatra In MP: કોંગ્રેસની 'ભારત જોડો યાત્રા' દક્ષિણ અને પશ્ચિમના છ રાજ્યોમાંથી પસાર થઈ છે અને ભાજપ શાસિત મધ્ય પ્રદેશમાં પ્રવેશ કર્યો છે. 3,570 કિલોમીટરની પદયાત્રા આજે રાજ્યમાં બોરગોન ગામથી શરૂ થઈ હતી જ્યાં રાહુલ ગાંધીના બહેન પ્રિયંકા ગાંધી પણ પદયાત્રામાં જોડાયા હતા.
LIVE: #BharatJodoYatra | Borgaon to Chegaon Makhan | Khandwa | Madhya Pradesh https://t.co/bc1DVFCoEA
— Bharat Jodo (@bharatjodo) November 24, 2022
5 ડિસેમ્બરે યાત્રા રાજસ્થાનમાં પ્રવેશતા પહેલા છ જિલ્લા બુરહાનપુર, ખંડવા, ખરગોન, ઈન્દોર, ઉજ્જૈન અને આગર-માલવાના 25-30 વિધાનસભા મતવિસ્તારોમાંથી પસાર થઈને મધ્ય પ્રદેશમાં 399 કિલોમીટરનું અંતર કાપશે. મધ્યપ્રદેશની પાંચ લોકસભા સીટો ભારત જોડો યાત્રાના માર્ગમાં આવે છે. ખંડવા, ખરગોન, ઈન્દોર, ઉજ્જૈન અને દેવાસ. આ તમામ બેઠકો પર ભાજપનો કબજો છે.
કોંગ્રેસની નજર 16 બેઠકો પર છે
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસનું ધ્યાન રૂટની તે 16 વિધાનસભા સીટો પર છે. જેના પર હાલમાં ભાજપનો કબજો છે. પાર્ટી 2023ની વિધાનસભા ચૂંટણીમાં તમામ 16 બેઠકો જીતવાનો લક્ષ્યાંક ધરાવે છે. કોંગ્રેસે રાજ્યમાં 2018 ની વિધાનસભા ચૂંટણી જીતી હતી, પરંતુ કમલનાથની આગેવાની હેઠળની તેની સરકાર બે વર્ષ પછી પડી ગઈ હતી કારણ કે જ્યોતિરાદિત્ય સિંધિયા 20 થી વધુ ધારાસભ્યો સાથે ભાજપમાં જોડાયા હતા. આ પછી રાજ્યમાં ભાજપની સરકાર બની.
મોદી સરકાર ભડક્યા રાહુલ ગાંધી
બુરહાનપુરના ટ્રાન્સપોર્ટ નગરમાં એક જાહેર રેલીમાં બોલતા રાહુલ ગાંધીએ મોંઘવારી, અગ્નિવીર યોજનામાં કથિત ખામીઓ અને સરકારી સંસ્થાઓના ખાનગીકરણ તરફ ઈશારો કરીને નરેન્દ્ર મોદીની સરકારની નીતિઓની ટીકા કરી હતી. તેમણે સંબોધનમાં કહ્યું હતું કે નોટબંધી અને GST એ કોઈ નીતિ નથી, તે એક હથિયાર છે. આ એવા હથિયારો છે જેનો ઉપયોગ નાના વેપારીઓ, ખેડૂતો, મજૂરો અને MSMEને મારવા માટે કરવામાં આવ્યો હતો. તેણે વેપારીઓની કમર તોડી નાખી છે.
ચાર વર્ષ પછી અગ્નવીર બેરોજગાર થઈ જશે
નવી આર્મી ભરતી યોજના પર રાહુલે કહ્યું હતું કે સરકાર અને ભારતીય સેના વચ્ચે પવિત્ર સંબંધ હતો પરંતુ હવે મોદીની અગ્નિવીર યોજનાએ આ સંબંધ તોડી નાખ્યો છે. ચાર વર્ષની સેવા બાદ તેઓ બેરોજગાર થઈ જશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)