શોધખોળ કરો

બિહારમાં નવી સરકારની શપથગ્રહણની તૈયારીઓ શરૂ, CM નીતિશે બોલાવી કેબિનેટ બેઠક

Bihar News: બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAના પ્રચંડ વિજય બાદ નવી સરકાર બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

Bihar News: બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAના પ્રચંડ વિજય બાદ નવી સરકાર બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રવિવાર (16 નવેમ્બર) ના રોજ બેઠકો ચાલુ રહી હતી. ચૂંટણી પંચે રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનને તમામ 243 ધારાસભ્યોની યાદી સુપરત કરી હતી. મુખ્યમંત્રી નીતિશ કુમારે હવે સોમવારે (17 નવેમ્બર) કેબિનેટ બેઠક બોલાવી છે.

મુખ્યમંત્રી નીતિશ કુમારે સોમવારે સવારે 11:30 વાગ્યે કેબિનેટ બેઠક બોલાવી છે, જ્યાં કેબિનેટ ભંગ કરવાના નિર્ણયને મંજૂરી આપવામાં આવશે. કેબિનેટ બેઠક પછી તરત જ નીતિશ કુમાર રાજભવન જશે અને રાજ્યપાલને પોતાનું રાજીનામું સુપરત કરશે. ત્યારબાદ નવી સરકાર બનાવવાની પ્રક્રિયા શરૂ થશે.

બિહાર સરકારના કેબિનેટ સચિવાલય વિભાગ દ્વારા એક પત્ર જાહેર કરવામાં આવ્યો છે. નીતિશ સરકારના વિશેષ સચિવ અરવિંદ કુમાર વર્મા દ્ધારા જાહેર કરાયેલા પત્રમાં જણાવાયું છે કે નિર્દેશ મુજબ, મંત્રી પરિષદ 17 નવેમ્બર, સોમવાર, 11:30 વાગ્યે પટનાના મુખ્ય સચિવાલય ખાતેના મંત્રીપરિષદમાં મળશે.

પત્રમાં જણાવાયું છે કે બિહારના માહિતી અને જનસંપર્ક વિભાગના નિયામકને વિનંતી છે કે તેઓ કેબિનેટ બેઠક પછી માહિતી ભવનના ઓડિટોરિયમ ઉપલબ્ધ કરાવીને પ્રેસ કોન્ફરન્સ માટે યોગ્ય વ્યવસ્થા કરે.

ગાંધી મેદાન જાહેર જનતા માટે બંધ

અગાઉ, પટનાના જિલ્લા મેજિસ્ટ્રેટે પટનાના ગાંધી મેદાનને ચાર દિવસ માટે બંધ રાખવાનો આદેશ જાહેર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે 17 થી 20 નવેમ્બર સુધી ગાંધી મેદાનમાં પ્રવેશ સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે. શપથ ગ્રહણ સમારોહ ત્યાં થવાની સંભાવના છે, તેથી જિલ્લા મેજિસ્ટ્રેટે ગાંધી મેદાનમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે.

શપથ ગ્રહણ સમારોહની તારીખ જાહેર

સૂત્રોના જણાવ્યા અનુસાર, બિહારમાં નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ 19 અથવા 20 નવેમ્બરના રોજ થઈ શકે છે. આ સમારોહ ગાંધી મેદાનમાં યોજાશે, જ્યાં પીએમ મોદી અને એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજરી આપે તેવી અપેક્ષા છે.

22 નવેમ્બર પહેલા નવી સરકારની રચના કરવી જરૂરી છે. વર્તમાન 17મી વિધાનસભાનો કાર્યકાળ 22 નવેમ્બરના રોજ સમાપ્ત થાય છે. તે પહેલાં, નવી (18મી) વિધાનસભાની રચના અને નવી સરકારના શપથ ગ્રહણની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થવી આવશ્યક છે. જોકે, શપથ ગ્રહણ તારીખ અંગે હજુ સુધી કોઈ નક્કર માહિતી સામે આવી નથી. નોંધનીય છે કે, NDAએ 202 બેઠકો જીતીને ઐતિહાસિક રીતે બિહારમાં સત્તા જાળવી રાખી હતી. વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 89 બેઠકો અને JDU 85 બેઠકો જીતીને સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યું છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઓપરેશન સિંદૂરમાં શહીદ થયા હતા 6 ભારતીય જવાન, પહેલીવાર નામ આવ્યા સામે, નેશનલ વૉર મેમોરિયલમાં મળી જગ્યા
ઓપરેશન સિંદૂરમાં શહીદ થયા હતા 6 ભારતીય જવાન, પહેલીવાર નામ આવ્યા સામે, નેશનલ વૉર મેમોરિયલમાં મળી જગ્યા
Weather Update: આગામી 48 કલાક ભારે,  21 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું 'ઓરેન્જ એલર્ટ'
Weather Update: આગામી 48 કલાક ભારે,  21 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું 'ઓરેન્જ એલર્ટ'
Theft of Ram Mandir offerings: રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને અનિલ મિશ્રાએ આપ્યું રાજીનામું
Theft of Ram Mandir offerings: રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને અનિલ મિશ્રાએ આપ્યું રાજીનામું
રામ મંદિર દાન ચોરી કેસમાં મોટો ધડાકો: ચંપત રાયના ડ્રાઈવર સહિત 8 આરોપીઓની ધરપકડ, ઘરોમાંથી લાખોની રોકડ જપ્ત
રામ મંદિર દાન ચોરી કેસમાં મોટો ધડાકો: ચંપત રાયના ડ્રાઈવર સહિત 8 આરોપીઓની ધરપકડ, ઘરોમાંથી લાખોની રોકડ જપ્ત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુલેટ સવાર
Hun To Bolish : હું તો બોલીશ : નવા શાસનમાં બબાલ યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સિંગરનો પ્રેમ, વિવાદનો તાલ
Rajkot News : આલ્ફા નવોદય સૈનિક સ્કૂલની બેદરકારીથી વિદ્યાર્થિનીના મોતનો આરોપ
Gujarat Rain Forecast : ગુજરાતમાં હળવા વરસાદની આગાહી , ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
29 જૂનથી આ જિલ્લામાં થશે મેઘમહેર, મધ્યમથી ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
29 જૂનથી આ જિલ્લામાં થશે મેઘમહેર, મધ્યમથી ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
ઓપરેશન સિંદૂરમાં શહીદ થયા હતા 6 ભારતીય જવાન, પહેલીવાર નામ આવ્યા સામે, નેશનલ વૉર મેમોરિયલમાં મળી જગ્યા
ઓપરેશન સિંદૂરમાં શહીદ થયા હતા 6 ભારતીય જવાન, પહેલીવાર નામ આવ્યા સામે, નેશનલ વૉર મેમોરિયલમાં મળી જગ્યા
તીસ્તા પછી બાંગ્લાદેશે આપ્યો વધુ એક ઝટકો, ભારત પાસેથી પ્રોજેક્ટ છીનવી ચીન સાથે તારિક રહેમાને કરી મોટી ડિલ
તીસ્તા પછી બાંગ્લાદેશે આપ્યો વધુ એક ઝટકો, ભારત પાસેથી પ્રોજેક્ટ છીનવી ચીન સાથે તારિક રહેમાને કરી મોટી ડિલ
બાતમી આપવી પડી ભારે: દારૂની જાણકારી આપવા બદલ પ્રોફેસર પર હુમલો.જાણો શું છે મામલો
બાતમી આપવી પડી ભારે: દારૂની જાણકારી આપવા બદલ પ્રોફેસર પર હુમલો.જાણો શું છે મામલો
રામ મંદિર દાન ચોરી કેસમાં મોટો ધડાકો: ચંપત રાયના ડ્રાઈવર સહિત 8 આરોપીઓની ધરપકડ, ઘરોમાંથી લાખોની રોકડ જપ્ત
રામ મંદિર દાન ચોરી કેસમાં મોટો ધડાકો: ચંપત રાયના ડ્રાઈવર સહિત 8 આરોપીઓની ધરપકડ, ઘરોમાંથી લાખોની રોકડ જપ્ત
આજે આયર્લેન્ડ સામે પ્રથમ મુકાબલો, ક્યારે અને કઈ ચેનલ પર LIVE જોઈ શકાશે,સંભવિત પ્લેઈંગ-11, શું વૈભવ કરશે ડેબ્યૂ?
આજે આયર્લેન્ડ સામે પ્રથમ મુકાબલો, ક્યારે અને કઈ ચેનલ પર LIVE જોઈ શકાશે,સંભવિત પ્લેઈંગ-11, શું વૈભવ કરશે ડેબ્યૂ?
Theft of Ram Mandir offerings: રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને અનિલ મિશ્રાએ આપ્યું રાજીનામું
Theft of Ram Mandir offerings: રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને અનિલ મિશ્રાએ આપ્યું રાજીનામું
ભૂકંપ તો વેનેઝુએલામાં આવ્યો... 14,000 કિમી દૂર ભારતમાં કેમ લાગી રહ્યા છે ઝટકા?
ભૂકંપ તો વેનેઝુએલામાં આવ્યો... 14,000 કિમી દૂર ભારતમાં કેમ લાગી રહ્યા છે ઝટકા?
Embed widget