શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
કૉંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે RJDને લખ્યો ખુલ્લો પત્ર, જાણો વિગત
બિહાર કૉંગ્રેસના પ્રભારી શક્તિસિંહ ગોહિલે લાલૂ પ્રસાદ યાદવની પાર્ટી RJDને ખુલ્લો પત્ર લખ્યો છે.
![કૉંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે RJDને લખ્યો ખુલ્લો પત્ર, જાણો વિગત Bihar shakti singh gohil reminds lalu yadav about rajya sabha seat કૉંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે RJDને લખ્યો ખુલ્લો પત્ર, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/03/09011544/Shaktisinh-gohil.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
પટના: બિહાર કોંગ્રેસના પ્રભારી શક્તિસિંહ ગોહિલે રાજ્યસભાની એક બેઠક માટે તેજસ્વી યાદવને તેનો વાયદો યાદ અપાવ્યો છે. જે તેમણે લોકસભા ચૂંટણી દરમિયાન કર્યો હતો. બિહારમાં 5 રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણી થવાની છે. જેના માટે રાજકીય સમીકરણો ગોઠવાય રહ્યા છે. સંખ્યા બળને જોતા NDAના ખાતામાં 3 બેઠકો અને 2 બેઠકો RJDના અને તેના સાથી પક્ષોના ખાતામાં જઇ શકે છે.
શક્તિસિંહ ગોહિલે લખેલા ખુલ્લા પત્રમાં આરજેડીને રાજ્યસભાની એક સીટ કૉંગ્રેસને આપવાનો વાયદો યાદ અપાવ્યો છે. તેમણે પત્રમાં લખ્યું, સારા માણસો માટે કહેવામાં આવે છે કે પ્રાણ જાય પર વચન ન જાયે. આશા છે કે આરજેડી નેતા પોતાનો વાયદો નિભાવશે.
શક્તિસિંહ ગોહિલે પત્રમાં લખ્યું કે, લોકસભા ચૂંટણી સમયે મહાગઠબંધનના નેતાઓની સંયુક્ત પત્રકાર પરિષદ સમયે RJDએ રાજ્યસભાની એક સીટ કોંગ્રેસને આપવા કહ્યું હતું. તેથી તેઓ પોતાનો વાયદો નિભાવશે. આ સાથે તેમણે સ્પષ્ટ કરી દીધું છે કે, બિહારમાં સ્થાનિક કોંગ્રેસ નેતા જ ઉમેદવાર હશે.
ભાજપના બે અને જેડીયૂના ત્રણ રાજ્યસભા સભ્યોનો કાર્યકાળ એપ્રિલમાં પૂર્ણ થવા જઇ રહ્યો છે, જેને લઇને 26 માર્ચે ચૂંટણી થઇ રહી છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
બિઝનેસ
આરોગ્ય
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)