શોધખોળ કરો

મતદાર યાદીમાં તમારું નામ રહશે કે નીકળી જશે? ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં કર્યો મોટો દાવો, કહ્યું – અમે આખા દેશમાં....

બિહારમાં ચૂંટણી ટાણે 'ખાસ સઘન સુધારા'નો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, પંચે કહ્યું બંધારણીય ફરજ, અરજદારો કહે 'મનમાની' છે!

Voter List Revision: બિહારમાં ચૂંટણીનો માહોલ જામતા પહેલાં જ મતદાર યાદીના "ખાસ સઘન સુધારા" (SIR) ને લઈને મોટો ધમાકો થયો છે. ગુરુવારે (10 જુલાઈ, 2025) આ મામલો સીધો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો. અરજદારોનું કહેવું છે કે ચૂંટણી પંચ જે રીતે આ સુધારા કરી રહ્યું છે, એ તો ઉતાવળિયું ને મનમાનીભર્યું કામ છે, જ્યારે ચૂંટણી પંચે છાતી ઠોકીને કીધું કે આ તો એમની બંધારણીય જવાબદારી છે, ને એ તો દેશભરમાં આવી યાદી સુધારવાની છે!

અરજદારોનો વાંધો: "યાદીમાં સુધારો મનમાનીથી થાય છે!"

અરજદાર વતી વરિષ્ઠ વકીલ ગોપાલ શંકરનારાયણે કોર્ટમાં દલીલ કરી કે, "મતદાર યાદીમાં સુધારા કરવાના નિયમો તો છે, ને એ કાં તો ટૂંકા (સારાંશ) હોય કે પછી સઘન હોય. પણ આ વખતે પંચે તો 'સ્પેશિયલ સઘન સુધારો' જેવો નવો જ શબ્દ કાઢ્યો છે!" એમણે કીધું કે 2003 માં પણ આવું થયું હતું, પણ ત્યારે મતદારો ઓછા હતા. હવે તો બિહારમાં 7 કરોડથી ય વધુ મતદારો છે ને આ કામ રોકેટ ગતિએ થાય છે, જે ઘણા લોકોના અધિકારો છીનવી શકે છે.

એમણે તો ત્યાં સુધી કીધું કે પંચ ભલે 11 દસ્તાવેજો સ્વીકારે છે, પણ આધાર કાર્ડ ને મતદાર ઓળખપત્ર જેવા મહત્વના પુરાવાને માનતા નથી. પંચ કહે છે કે જેમના નામ 2003 ની યાદીમાં છે, એમણે મા-બાપના દસ્તાવેજો આપવાની જરૂર નથી, પણ જેમના નામ એ યાદીમાં નથી, એમણે પોતાની નાગરિકતા સાબિત કરવી પડશે! આ તો કેવી વાત!

ન્યાયાધીશે કીધું: "કામ બંધારણીય, પણ પારદર્શિતા જોઇશે!"

જસ્ટિસ સુધાંશુ ધુલિયા અને જસ્ટિસ જોયમલ્યા બાગચીની બેન્ચે કીધું કે, "ચૂંટણી પંચનું આ કામ બંધારણીય જવાબદારી છે, ને પંચને એ જોવાનો અધિકાર છે કે કોઈ ખોટો માણસ મતદાર ન બની જાય." પણ સાથે જ કોર્ટે એ પણ સ્વીકાર્યું કે આધાર કાર્ડ એ નાગરિકતાનો પુરાવો નથી, ને મતદાર બનવા માટે નાગરિકતા સાબિત કરવી પડે એ જરૂરી હોઈ શકે.

જસ્ટિસ ધુલિયાએ તો ત્યાં સુધી કીધું કે, "જો 2003 ની યાદી હોય, તો ઘરે ઘરે જવાની જરૂર નથી એમ કહી શકાય, પણ જે લોકો મત આપી રહ્યા છે, એમની પાસેથી પાછી નાગરિકતા કેમ માંગવામાં આવે છે?"

કપિલ સિબ્બલ ને સિંઘવીની દલીલ: "પંચ નાગરિકતા નક્કી કરી ન શકે!"

વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કોર્ટમાં કીધું કે મતદાર યાદીમાંથી ફક્ત ત્રણ જ પ્રકારના લોકોને કાઢી શકાય – જે નાગરિક ન હોય, જે માનસિક રીતે અક્ષમ હોય, ને જે ગુનેગાર હોય. એમણે સીધો સવાલ ઉઠાવ્યો, "આખરે નાગરિકતા નક્કી કરવા માટે ચૂંટણી પંચ કોણ છે?" એમણે કીધું કે પંચે કોઈને નાગરિક ન માને એ પહેલાં એમને જાણ કરવી જોઈએ ને કારણો પણ આપવા જોઈએ. સિબ્બલે એ પણ કીધું કે ભારતમાં ફક્ત 2% લોકો પાસે જ પાસપોર્ટ છે ને ઘણા ઓછા લોકો પાસે સરકારી નોકરીના પ્રમાણપત્રો છે. પંચ જન્મ પ્રમાણપત્ર ને મનરેગા કાર્ડ જેવા દસ્તાવેજોને પણ માન્યતા નથી આપતું, જેનાથી ગરીબ ને વંચિત લોકો પર અસર થાય છે.

અભિષેક મનુ સિંઘવીએ કીધું કે 2003 માં જ્યારે આ પ્રક્રિયા થઈ હતી, ત્યારે ચૂંટણી દૂર હતી, પણ હવે બિહારની ચૂંટણીઓ સાવ નજીક છે. આવા ટાણે જૂનના અંતમાં આદેશ આપવાથી લોકોને તૈયારી કરવાનો મોકો જ નથી મળતો. એમણે તો બંગાળમાં પણ આવી જ પ્રક્રિયા લાગુ થઈ શકે એવી આશંકા પણ વ્યક્ત કરી.

ચૂંટણી પંચની ચોખવટ: "પ્રક્રિયા પૂરી થવા દો, બધાને મોકો મળશે!"

ચૂંટણી પંચ વતી વરિષ્ઠ વકીલ રાકેશ દ્વિવેદીએ દલીલ કરી કે પંચને બંધારણની કલમ 324 હેઠળ આ સત્તા મળી છે. એમણે કીધું કે પંચ ફક્ત પોતાનું કામ કરે છે ને એવું કહેવું ખોટું છે કે અમે મોટા પાયે નામ કાઢવાના છીએ. એમણે કીધું કે આ પ્રક્રિયા હજુ ચાલુ જ છે. ડ્રાફ્ટ યાદી બહાર પડશે પછી લોકોને વાંધા નોંધાવવા ને સુનાવણી કરાવવાનો પૂરો મોકો મળશે. એમણે કોર્ટને ખાતરી આપી કે સુનાવણી કર્યા વિના કોઈનું પણ નામ યાદીમાંથી નહીં કઢાય.

કોર્ટનો આદેશ: "ત્રણ મુદ્દા પર જવાબ આપો!"

સુનાવણી પૂરી થતા, કોર્ટે ચૂંટણી પંચને ત્રણ મોટા મુદ્દા પર જવાબ આપવા કીધું –

(a) શું પંચ પાસે આ પ્રક્રિયા હાથ ધરવાની બંધારણીય સત્તા છે? (b) આ પ્રક્રિયા કઈ રીતે ને કઈ ઢબે કરવી જોઈએ? (c) ચૂંટણી નજીક હોય ત્યારે આ પ્રક્રિયા યોગ્ય સમયે થઈ રહી છે કે નહીં?

કોર્ટે કીધું કે આ મામલો લોકશાહી સાથે જોડાયેલો છે, એટલે દરેક વાતની ગંભીરતાથી તપાસ કરવી જરૂરી છે. હવે આ મામલાની સુનાવણી બપોરે 2 વાગ્યે ફરીથી થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ! 
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
IPL 2026: જમીન-ઘરેણા વેંચીને દીકરાને બનાવ્યો ક્રિકેટર, 14.2 કરોડમાં વેચાયેલા ખેલાડીની કહાની સાંભળશો તો રડવું આવી જશે
IPL 2026: જમીન-ઘરેણા વેંચીને દીકરાને બનાવ્યો ક્રિકેટર, 14.2 કરોડમાં વેચાયેલા ખેલાડીની કહાની સાંભળશો તો રડવું આવી જશે

વિડિઓઝ

Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
Surat wall collapse: સુરતમાં દુર્ઘટના, પાર્કિંગની દિવાલ ધરાશાયી થતા દોડધામ
Morbi Accident News: મોરબીના માળિયામાં હિટ એન્ડ રનમાં ચાર પદયાત્રીના મોત
Delhi Air Pollution: પ્રદૂષણ ઘટાડવા દિલ્લી સરકારનો મોટો નિર્ણય
Bomb Scare in Ahmedabad: અમદાવાદની અલગ અલગ સ્કૂલોમાં બોમ્બ હોવાની ધમકી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ! 
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
IPL 2026: જમીન-ઘરેણા વેંચીને દીકરાને બનાવ્યો ક્રિકેટર, 14.2 કરોડમાં વેચાયેલા ખેલાડીની કહાની સાંભળશો તો રડવું આવી જશે
IPL 2026: જમીન-ઘરેણા વેંચીને દીકરાને બનાવ્યો ક્રિકેટર, 14.2 કરોડમાં વેચાયેલા ખેલાડીની કહાની સાંભળશો તો રડવું આવી જશે
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 
નાગરિકો માટે મોટું અપડેટ! હવેથી આધાર કાર્ડમાં જોવા મળશે આ મોટો બદલાવ
નાગરિકો માટે મોટું અપડેટ! હવેથી આધાર કાર્ડમાં જોવા મળશે આ મોટો બદલાવ
Embed widget