Biparjoy : અચાનક હવા-વરસાદ બંધ થઈ જાય તો સાવધાન! બિપોરજોય છે છેતારમણું
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, જ્યારે કોઈ પણ ચક્રવાત દરિયાકાંઠે અથડાવે છે ત્યારે તેના કેન્દ્ર (ચક્રવાતની આંખ)ની સ્થિતિ વધુ ખતરનાક હોય છે.
![Biparjoy : અચાનક હવા-વરસાદ બંધ થઈ જાય તો સાવધાન! બિપોરજોય છે છેતારમણું Biparjoy : Be Careful if the weather stops suddenly Biparjoy : અચાનક હવા-વરસાદ બંધ થઈ જાય તો સાવધાન! બિપોરજોય છે છેતારમણું](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/15/465e1c4e8daab62cd57d3f6ce800292a1686846866821724_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Cyclone Biparjoy Landfall : ભયાનક બનેલુ ચક્રવાત બિપરજોય આખરે આજે ગુજરાતના કચ્છ સાથે ટકરાયું છે. વાવાઝોડાના આ લેન્ડફોલમાં અનેક વૃક્ષો અને હોર્ડિંગ્સ ધરાશાયી થયા છે, જ્યારે સમગ્ર વિસ્તારની વીજળી પણ બંધ થઈ ગઈ છે. અનિચ્છનીય ઘટનાને જોતા લોકોને ઘરોમાં જ રહેવાની સૂચના આપવામાં આવી છે. પવનની ઝડપ 125 કિમીથી વધુ હોવાનું કહેવાય છે. આ વાવાઝોડું લગભગ કેટલાય કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે. આ સ્થિતિમાં તે દરિયાકાંઠે અથડાયા પછી ધીમે ધીમે આગળ વધશે.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, જ્યારે કોઈ પણ ચક્રવાત દરિયાકાંઠે અથડાવે છે ત્યારે તેના કેન્દ્ર (ચક્રવાતની આંખ)ની સ્થિતિ વધુ ખતરનાક હોય છે. વાસ્તવમાં આ સ્થિતિ છે જ્યારે વાવાઝોડું શાંત થઈ જાય છે અને વરસાદ પણ બંધ થઈ જાય છે. આવી સ્થિતિમાં કદાચ વાવાઝોડું ટળી ગયું હોય એવો વહેમ ઉભો થાય છે અને લોકો ભૂલ કરી બેસે છે. પરિણામે નુકશાન વેઠવાનો વારો આવે છે. વાસ્તવમાં તોફાન ટળ્યું નથી હોતું. કારણ કે વાવાઝોડું જેમ જેમ આગળ વધે છે, તે જ ઝડપે પાછળથી વરસાદ પડે છે અને તેજ ગતિનો પવન આ વિસ્તારને ઘેરી લે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, જો ચક્રવાત જખૌ બંદર પર ત્રાટકે છે તો ચક્રવાતનું કેન્દ્ર તે વિસ્તારમાં આવતાની સાથે જ ઝડપી પવન અને વરસાદ બંધ થઈ જશે. તે લગભગ 50 કિલોમીટરના ત્રિજ્યામાં ફેલાયેલું હોય છે. આ કેન્દ્રની પ્રગતિ બાદ ફરીથી સ્થિતિ એટલી જ વિકટ બનશે. વાવાઝોડાના કેન્દ્રને આગળ વધવામાં લગભગ 1 કલાકનો સમય લાગશે. જ્યારે કેન્દ્રમાંથી બહાર નીકળ્યા બાદ બીજો ભાગ કેન્દ્ર સાથે અથડાશે ત્યારે ફરી 115 થી 125 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
હવામાન શાસ્ત્રીના જણાવ્યા મુજબ, આ સ્થિતિ વધુ ગંભીર હોય છે. કારણ કે વાવાઝોડું બંધ થવાનો ભ્રમ છે અને લોકો તેમના ઘરની બહાર નીકળી જાય છે. તેથી આવા સમયે પણ લોકોને તેમના ઘરોમાં અથવા સલામત સ્થળોએ રહેવા માટે કહેવામાં આવ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે, રાત્રે લગભગ 12 વાગ્યા સુધી તોફાનનો લેન્ડફોલ ચાલુ રહેશે. ગુજરાત-મહારાષ્ટ્ર ઉપરાંત આ ચક્રવાતી વાવાઝોડાની લેન્ડફોલની અસર ગુજરાત અને પંજાબના કેટલાક ભાગોમાં પણ જોવા મળી શકે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)