શોધખોળ કરો

રાહુલ ગાંધી પાસેથી વિપક્ષ નેતાની ખુરશી છીનવાઈ જશે? ભાજપનો દાવો - INDIA ગઠબંધન વિચારણા કરી રહ્યું છે

BJP Big Claims: ભારતીય જનતા પાર્ટીએ દાવો કરતાં કહ્યું કે INDIA ગઠબંધનના ઘટક પક્ષો લોકસભામાં વિપક્ષ નેતાની ભૂમિકામાં ફેરફાર કરવાના વિચાર પર વિચારણા કરી રહ્યા છે.

BJP Big Claims: ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ આજે શુક્રવારે (11 ઓક્ટોબર) દાવો કરતાં કહ્યું કે વિપક્ષી ગઠબંધન INDIAના ઘટક પક્ષો લોકસભામાં વિપક્ષ નેતાની ભૂમિકામાં ફેરફાર કરવા વિચારણા કરી રહ્યા છે. ભાજપનું કહેવું છે કે જો INDIA ગઠબંધનને લાગે છે કે રાહુલ ગાંધી સારું પ્રદર્શન નથી કરી રહ્યા તો તેમણે આ ફેરફાર કરવો જોઈએ.

નવી દિલ્હી લોકસભા ક્ષેત્રના ભાજપ સાંસદ બાંસુરી સ્વરાજે કહ્યું કે વિપક્ષી પક્ષોની અંદર ઘણા સક્ષમ નેતાઓ છે જે વિપક્ષના નેતા (LOP)ની ભૂમિકા નિભાવી શકે છે. જોકે, તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે આ નિર્ણય તો તેમણે લેવાનો છે કારણ કે આ INDIA ગઠબંધનનો આંતરિક મામલો છે.

ભાજપના આ દાવા વિશે વિપક્ષી પક્ષો તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી, પરંતુ નિષ્ણાતોએ કહ્યું છે કે ઓછામાં ઓછી 10 ટકા બેઠકો ધરાવતા સૌથી મોટા વિપક્ષી પક્ષના સાંસદને જ LOP નિયુક્ત કરી શકાય છે અને રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષ નેતા નિયુક્ત કરવામાં આવ્યા છે કારણ કે કોંગ્રેસ સદનમાં સૌથી મોટો વિપક્ષી પક્ષ છે.

બાંસુરી સ્વરાજે શું કહ્યું

ભાજપ સાંસદની આ ટિપ્પણી એ સમયે આવી, જ્યારે તેમને લોકસભામાં વિપક્ષ નેતાના પદને રોટેશનલ બનાવવાની સંભાવના વિશે પૂછવામાં આવ્યું. પાર્ટી હેડ ઓફિસમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન બાંસુરી સ્વરાજે કહ્યું, "હા! મેં પણ સાંભળ્યું છે કે વિપક્ષના પદને રોટેશનલ બનાવવાની વાત ચાલી રહી છે, પરંતુ હું કહીશ કે આ વિપક્ષનો આંતરિક મામલો છે."

'બીજા પણ ઘણા નેતાઓ છે જે સક્ષમ છે'

સૂચન કરતાં બાંસુરી સ્વરાજે કહ્યું કે INDIA ગઠબંધને વિપક્ષની ભૂમિકા વિશે પોતાના વિકલ્પો પર વિચાર કરવો જોઈએ. તેમણે કહ્યું કે વિપક્ષી પક્ષોમાં નિશ્ચિતપણે ઘણા નેતાઓ છે જે LOPની જવાબદારી પૂરી કરવામાં ઘણા સક્ષમ છે. જો ગઠબંધનને લાગે છે કે રાહુલ ગાંધી પોતાની જવાબદારી પૂરી લગનથી નથી નિભાવી રહ્યા તો તેમણે આવો નિર્ણય લેવો જોઈએ.

બાંસુરી સ્વરાજે કહ્યું કે, ગયા વર્ષે આમ આદમી પાર્ટીની સરકારે 10 હજાર બસ માર્શલને હટાવ્યા હતા. બસ માર્શલોના પગાર માટે કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. ઓછી આવક અને વધુ ખર્ચના કારણે દિલ્હી સરકારને 7 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. સરકાર પાસે પગાર અને કચરાનો નિકાલ જેવી સેવાઓ માટે પૈસા નથી. આમ આદમી પાર્ટી પ્રચાર અને ભ્રષ્ટાચારમાં વ્યસ્ત છે. તેના નેતા અરવિંદ કેજરીવાલને માત્ર સત્તાની ચિંતા છે. તેને લોકોના હિતની પરવા નથી.

આ પણ વાંચોઃ

શું ચંદ્રબાબુ નાયડુ NDAને આપશે ઝટકો, હવે આ મામલે રાહુલ ગાંધીનું કર્યું સમર્થન

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'ફોજદારી કેસ બદલો લેવાનું માધ્યમ બનવા દેવાય નહીં', દહેજ કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
'ફોજદારી કેસ બદલો લેવાનું માધ્યમ બનવા દેવાય નહીં', દહેજ કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
હવે RTO ના ધક્કા નહીં! 2026 માં ઘરે બેઠા રિન્યૂ થશે ડ્રાઈવિંગ લાઈસન્સ, જાણો ઓનલાઈન પ્રોસેસ 
હવે RTO ના ધક્કા નહીં! 2026 માં ઘરે બેઠા રિન્યૂ થશે ડ્રાઈવિંગ લાઈસન્સ, જાણો ઓનલાઈન પ્રોસેસ 
BSNL નો આખું વર્ષ ચાલનારા સૌથી સસ્તા પ્લાન લોન્ચ કર્યા, ઓછા ખર્ચમાં એક વર્ષ એક્ટિવ રહેશે નંબર
BSNL નો આખું વર્ષ ચાલનારા સૌથી સસ્તા પ્લાન લોન્ચ કર્યા, ઓછા ખર્ચમાં એક વર્ષ એક્ટિવ રહેશે નંબર
ભારતમાં લોન્ચ થઈ નવી Kia Seltos, આ ગાડીઓને આપશે ટક્કર, કિંમત જાણી ચોંકી જશો 
ભારતમાં લોન્ચ થઈ નવી Kia Seltos, આ ગાડીઓને આપશે ટક્કર, કિંમત જાણી ચોંકી જશો 

વિડિઓઝ

Shah Rukh Khan-Bangladeshi Player IPL Row: બાંગ્લાદેશી ખેલાડીને લઈને સાધુ સંતોના નિશાને શાહરૂખ ખાન
Surendranagar Land Scam: સુરેન્દ્રનગર જમીનના NA કૌભાંડમાં પૂર્વ કલેકટરની ધરપકડ
CNG Price: અમદાવાદના વાહન ચાલકોને નવા વર્ષે અદાણીએ આપી ભેટ
Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લામાં નશાની ધૂમ ખેતીનો વધુ એકવાર થયો પર્દાફાશ
Ahmedabad News: અમદાવાદમાં ઈડીની છેતરપિંડીના આરોપી વિરૂદ્ધ મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ફોજદારી કેસ બદલો લેવાનું માધ્યમ બનવા દેવાય નહીં', દહેજ કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
'ફોજદારી કેસ બદલો લેવાનું માધ્યમ બનવા દેવાય નહીં', દહેજ કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
હવે RTO ના ધક્કા નહીં! 2026 માં ઘરે બેઠા રિન્યૂ થશે ડ્રાઈવિંગ લાઈસન્સ, જાણો ઓનલાઈન પ્રોસેસ 
હવે RTO ના ધક્કા નહીં! 2026 માં ઘરે બેઠા રિન્યૂ થશે ડ્રાઈવિંગ લાઈસન્સ, જાણો ઓનલાઈન પ્રોસેસ 
BSNL નો આખું વર્ષ ચાલનારા સૌથી સસ્તા પ્લાન લોન્ચ કર્યા, ઓછા ખર્ચમાં એક વર્ષ એક્ટિવ રહેશે નંબર
BSNL નો આખું વર્ષ ચાલનારા સૌથી સસ્તા પ્લાન લોન્ચ કર્યા, ઓછા ખર્ચમાં એક વર્ષ એક્ટિવ રહેશે નંબર
ભારતમાં લોન્ચ થઈ નવી Kia Seltos, આ ગાડીઓને આપશે ટક્કર, કિંમત જાણી ચોંકી જશો 
ભારતમાં લોન્ચ થઈ નવી Kia Seltos, આ ગાડીઓને આપશે ટક્કર, કિંમત જાણી ચોંકી જશો 
મુંબઈ ઈન્ડિયન્સે લોન્ચ કરી નવી જર્સી, પાછલી સીઝન કરતા શું છે અલગ, જુઓ વીડિયો 
મુંબઈ ઈન્ડિયન્સે લોન્ચ કરી નવી જર્સી, પાછલી સીઝન કરતા શું છે અલગ, જુઓ વીડિયો 
Aadhaar-PAN Link Status: અંતિમ તારીખ બાદ જોઈ લો તમારુ પાન કાર્ડ કામ કરે છે ? આ રીતે કરો ચેક 
Aadhaar-PAN Link Status: અંતિમ તારીખ બાદ જોઈ લો તમારુ પાન કાર્ડ કામ કરે છે ? આ રીતે કરો ચેક 
Indian Bank માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹22,420 નું ફિક્સ વ્યાજ, ચેક કરો ડિટેલ 
Indian Bank માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹22,420 નું ફિક્સ વ્યાજ, ચેક કરો ડિટેલ 
Ahmedabad flower show: અમદાવાદ ફ્લાવર શોની ભવ્યતાને લઈ PM મોદીએ તસવીરો શેર કરતા કહી આ મોટી વાત 
Ahmedabad flower show: અમદાવાદ ફ્લાવર શોની ભવ્યતાને લઈ PM મોદીએ તસવીરો શેર કરતા કહી આ મોટી વાત 
Embed widget