West Bengal Election Results 2026: ભાજપના શુભેંદુ અધિકારી નંદીગ્રામ બેઠક પર 9,000 થી વધુ મતોથી જીત્યા
નંદીગ્રામમાં સુવેન્દુ અધિકારી 9,000 થી વધુ મતોથી જીત્યા છે. હવે તમામની નજર ભવાનીપુર બેઠક પર છે, જ્યાં મુખ્યમંત્રી મમતા બેનર્જીનો મુકાબલો ભાજપના ને શુભેંદુ અધિકારી સામે છે.

નંદીગ્રામમાં સુવેન્દુ અધિકારી 9,000 થી વધુ મતોથી જીત્યા છે. હવે તમામની નજર ભવાનીપુર બેઠક પર છે, જ્યાં મુખ્યમંત્રી મમતા બેનર્જીનો મુકાબલો ભાજપના ને શુભેંદુ અધિકારી સામે છે. જોકે, ભવાનીપુરમાં મમતા બેનર્જી ભાજપના શુભેંદુ અધિકારી કરતાં આગળ છે.
ભવાનીપુરમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા
પશ્ચિમ બંગાળ વિધાનસભાના વિપક્ષના નેતા અને નંદીગ્રામ અને ભવાનીપુર મતવિસ્તારના ભાજપના ઉમેદવાર શુભેંદુ અધિકારીના મુખ્ય ચૂંટણી એજન્ટ સૂર્યનિલ દાસનું કહેવુ છે, "પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી ઓળખપત્ર વગર મતગણતરી સ્થળે પ્રવેશ્યા હતા, તેમની પાસે ફક્ત મોબાઇલ ફોન હતો. ચૂંટણી પંચે આદેશ આપ્યો છે કે ઓળખપત્રોમાં QR કોડ હોવો જોઈએ, જે ગણતરી ખંડમાં પ્રવેશતા પહેલા સ્કેન કરવો આવશ્યક છે. ઓળખપત્ર વગર તેમને અંદર કેવી રીતે જવા દેવામાં આવ્યા? તેમને ફોન કેવી રીતે લઈ જવા દેવામાં આવ્યા? જ્યાં સુધી આ કોણે કર્યું તેની પુષ્ટિ ન થાય ત્યાં સુધી ગણતરી થશે નહીં. બંગાળ પોલીસ તેમની જવાબદારી ભૂલી ગઈ છે... મમતા બેનર્જી નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે..."
આ પણ વાંચો- West Bengal election Result: પશ્ચિમ બંગાળમાં BJP ના આ માસ્ટરસ્ટ્રોકે અપાવી બમ્પર જીત, જાણો તેના વિશે
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જી જેમણે સતત 15 વર્ષ સુધી રાજ્ય પર શાસન કર્યું છે તેઓ આ વખતે ભવાનીપુરથી ચૂંટણી લડી રહ્યા છે. દક્ષિણ કોલકાતાનો આ મતવિસ્તાર તેમની રાજકીય ઓળખ બની ગયો છે. બીજી બાજુ ભાજપના શુવેંદુ અધિકારી છે, જેમણે 2021 માં નંદીગ્રામમાં મમતા બેનર્જીને હરાવ્યા હતા.
પશ્ચિમ બંગાળના રાજકારણમાં આવેલો આ બદલાવ ફક્ત ચૂંટણી સંયોગ નથી, પરંતુ ખૂબ જ આયોજિત ટેક્નિકલી એન્જિયનિયરિંગનું પરિણામ છે. લાંબા સમયથી કોઈપણ વિપક્ષી પક્ષ માટે અભેદ્ય માનવામાં આવતું હતું, ત્યાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ બહુમતીનો રસ્તો સાફ કર્યો છે. આ માર્ગ સરળ નહોતો. તે મોટી જાહેર રેલીઓ દ્વારા નહીં, પરંતુ બંગાળની શેરીઓમાં અને ઘરોમાં યોજાયેલી નાની સભાઓ દ્વારા રસ્તો બનાવ્યો હતો.
લગભગ 12,000 નુક્કડ સભા મોટા પ્લેટફોર્મ વચ્ચેનું અંતર ઘટાડ્યું. નેતાઓ અને જનતા વચ્ચે સીધો સંદેશાવ્યવહાર સરળ બનાવ્યો અને સ્થાનિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. ભાજપની વ્યૂહરચનામાં આ વખતે સૌથી મોટો ફેરફાર તેના ઉમેદવારની પસંદગીનો હતો. બહારના લોકોના આરોપોનો સામનો કરવા માટે પાર્ટીએ સ્થાનિક ડોકટરો, વકીલો, ખેલાડીઓ અને કલાકારોને મેદાનમાં ઉતાર્યા.






















