શોધખોળ કરો

બજેટ સત્ર: રાષ્ટ્રપતિએ કહ્યું- ત્રણ કૃષિ કાયદા ખેડૂતોના હિતમાં, ગણતંત્ર દિવસે રાષ્ટ્રધ્વજનું અપમાન કરવું દુર્ભાગ્યપૂર્ણ

રામનાથ કોવિંદે કહ્યું કે, રાષ્ટ્રધ્વજ અને ગણતંત્ર દિવસ જેવા પવિત્ર દિવસનું અપમાન ખૂબજ દુર્ભાગ્યપૂર્ણ છે. જે સંવિધાન આપણને અભિવ્યકિતની આઝાદીનો અધિકાર આપે છે. તે સંવિધાન આપણને શીખવાડે છે કે, કાયદા અને નિયમનું પણ એટલીજ ગંભીરતાથી પાલન કરવું જોઈએ.

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ સાથે આજે બજેટ સત્રની શરુઆત થઈ. અભિભાષણની શરુઆત કરતા રાષ્ટ્રપતિએ સૌથી પહેલા કોરોના મહામારી, સરહદ પર તણાવ સહિત અનેક સંકટોનો ઉલ્લેખ કર્યો. તેની સાથે રાષ્ટ્રપતિએ કહ્યું કે, આટલા બધા સંકટો સામે પણ દેશ મજબૂતીથી ઊભો રહ્યો. સાથે કૃષિ કાયદાને લઈને રાષ્ટ્રપતિએ કહ્યું કે, આ કૃષિ કાયદામાં સુધારા સાથે સૌથી મોટો લાભ પણ 10 કરોડથી વધુ નાના ખેડૂતોને તાત્કાલિક મળવાનો શરુ થઈ ગયો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું, “વ્યાપક વિમર્શ બાદ સંસદે સાત મહિના પૂર્વે ત્રણ મહત્વપૂર્ણ કૃષિ કાયદા વિધેયક પાસ કર્યા. જેનો લાભ 10 કરોડથી વધુ નાના ખેડૂતોને મળવાનો શરુ થઈ ગયો છે. નાના ખેડૂતોને થતા આ લાભને સમજતાની સાથે જ અનેક રાજકીય પક્ષોએ સમયે સમયે આ સુધારાને પોતાનું ભરપૂર સમર્થન આપ્યું હતું.” રાષ્ટ્રપતિએ કહ્યું કે, મારી સરકાર એ સ્પષ્ટ કરવા માંગે છે કે ત્રણેય નવા કૃષિ કાયદા બનાવતા રહેલા, જૂની વ્યવસ્થાઓ અંતર્ગત જે અધિકાર હતા તથા જે સુવિધાઓ હતી. તેમાં કોઈ કમી કરવામાં આવી નથી,પરંતુ કૃષિ કાયદામાં સુધારાથી સરકારે ખેડૂતોને નવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની સાથે સાથે નવા અધિકાર પણ આપ્યા છે. કૃષિને વધુ ફાયદાકારક બનાવવા માટે મારી સરકારે આધુનિક કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ વિશેષ ધ્યાન આપી રહી છે. તેના માટે એક લાખ કરોડ રૂપિયા એગ્રિકલ્ચર ફંડની શરુઆત કરવામાં આવી છે. રામનાથ કોવિંદે દિલ્હીમાં થયેલી હિંસાને લઈને કહ્યું કે, રાષ્ટ્રધ્વજનું અને ગણતંત્ર દિવસ જેવા પવિત્ર દિવસનું અપમાન ખૂબજ દુર્ભાગ્યપૂર્ણ છે. જે સંવિધાન આપણને અભિવ્યકિતની આઝાદીનો અધિકાર આપે છે. તે સંવિધાન આપણને શીખવાડે છે કે, કાયદા અને નિયમનું પણ એટલીજ ગંભીરતાથી પાલન કરવું જોઈએ. વર્તમાનમાં આ કાયદાના અમલીકરણ દેશની સર્વોચ્ચ અદાલતમાં સ્થગિત કરવામાં આવ્યો છે. મારી સરકાર સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સન્માન કરતા તેનું પાલન કરશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
UPI પેમેન્ટ કરતા સમયે બે વખત કપાઈ ગયા છે બેન્કમાંથી પૈસા તો પરત મેળવવા અહીં કરો ફરિયાદ
UPI પેમેન્ટ કરતા સમયે બે વખત કપાઈ ગયા છે બેન્કમાંથી પૈસા તો પરત મેળવવા અહીં કરો ફરિયાદ
આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
Today's Horoscope: સોમવારે આ 6 રાશિના લોકોના ખૂલશે ભાગ્યના દ્વાર, જાણો રાશિફળ
Today's Horoscope: સોમવારે આ 6 રાશિના લોકોના ખૂલશે ભાગ્યના દ્વાર, જાણો રાશિફળ
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
Embed widget