શોધખોળ કરો

CAA વિરુદ્ધ થયેલા હિંસક પ્રદર્શનમાં લખનઉમાં એક અને કર્ણાટકમાં બેનાં મોત

આદિત્યનાથે કહ્યું કે, એનઆરસી મુદ્દા પર રાષ્ટ્ર વિરોધી તાકાતો હિંસા ફેલાવી રહી છે. જેમાં કોગ્રેસ સહિત અન્ય વિપક્ષી દળ સામેલ છે. લોકોએ કાયદાની સચ્ચાઇ જાણવી જોઇએ.

લખનઉ: નાગરકિતા સંશોધન કાયદા વિરુદ્ધ દેશભરમાં ભારે વિરોધ ચાલી રહ્યો છે. ગુરુવારે લખનઉમાં હિંસક વિરોધ પ્રદર્શન થયું હતું. જેમાં થયેલા ફાયરિંગમાં એક વ્યક્તીનું મોત નીજપ્યું હતું. જ્યારે બે લોકો ગોળી વાગવાથી ઘાયલ થયા છે. પ્રદર્શનકારી યુવકના પેટમાં ગોળી વાગી હતી. ત્યાર બાદ તેને લખનઉ ટ્રામા સેન્ટરમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યા તેનું મોત નીપજ્યુ હતું. શહેરના અલગ અલગ વિસ્તારમાં પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો, જેના બાદ પોલીસે પણ ભીડ પર નિયંત્રણ રાખવા લાઠીચાર્જ કર્યો હતો. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ તોડફોડ કરી અને વાહનોમાં આગ ચાંપી દીધી હતી. આ વિરોધ પ્રદર્શન પર મુખ્યમંત્રી યોગી આદીત્યનાથે કડક વલણ અપનાવ્યું છે. સીએમ યોગી આદિત્યનાથે તોફાની તત્વ સામે સખત કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. યોગી આદિત્યનાથે જનતાના જાનમાલની સુરક્ષા સુનિશ્ચિત કરવા કહ્યું છે. સાથે અફવાઓ ફેલાવનાર સામે પણ સખત નજર રાખવા કહ્યું છે. સીએમ યોગીએ કહ્યું, જે પણ હિંસાના દોષિત હશે તેની સંપત્તિઓ જપ્ત કરવામાં આવશે. તેનાથી હિંસામાં કરાયેલ નુકશાનની ભરપાઇ કરવામાં આવશે. ઉત્તર પ્રદેશના ગુરુવારે ધારા 144 લાગુ હોવા છતા પણ લખનઉમાં મોટી સંખ્યામાં લોકો રસ્તાઓ પર ઉતર્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જે જોત જોતામાં ઉગ્ર બની ગયું હતુ. આ દરમિયાન પરિવર્તન ચોક પાસે 10 કાર, 3 બસ, 4 મીડિયા ઓબી વાન અને 20 બાઈકને આગને હવાલે કરી દીધી હતી. બીજી તરફ  કર્ણનાટકના મંગલોરમાં બે પ્રદર્શનકારીઓના મોત થયા હતા. આ ઘટના બાદ મંગલોરમાં શુક્રવારે સ્કૂલ-કોલેજ બંધ રાખવામાં આવી છે. વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં લેતા કર્ણાટકના મેંગલુરુમાં કર્ફ્યૂ લગાવી દેવાયું છે, તે સિવાય સમગ્ર કર્ણાટકમાં ધારા 144 લાગૂ કરવામાં આવી છે. સીએએ વિરુદ્ધ કર્ણાટકમાં પણ ભારે વિરોધ થઈ રહ્યો છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર

વિડિઓઝ

US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ટીવી ઈન્ડસ્ટ્રીના વધુ એક કપલના છૂટાછેડા, લગ્નના 15 વર્ષ બાદ અલગ થશે માહી વિજ અને જય ભાનુશાલી
ટીવી ઈન્ડસ્ટ્રીના વધુ એક કપલના છૂટાછેડા, લગ્નના 15 વર્ષ બાદ અલગ થશે માહી વિજ અને જય ભાનુશાલી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
Embed widget