શોધખોળ કરો

CAA વિરુદ્ધ થયેલા હિંસક પ્રદર્શનમાં લખનઉમાં એક અને કર્ણાટકમાં બેનાં મોત

આદિત્યનાથે કહ્યું કે, એનઆરસી મુદ્દા પર રાષ્ટ્ર વિરોધી તાકાતો હિંસા ફેલાવી રહી છે. જેમાં કોગ્રેસ સહિત અન્ય વિપક્ષી દળ સામેલ છે. લોકોએ કાયદાની સચ્ચાઇ જાણવી જોઇએ.

લખનઉ: નાગરકિતા સંશોધન કાયદા વિરુદ્ધ દેશભરમાં ભારે વિરોધ ચાલી રહ્યો છે. ગુરુવારે લખનઉમાં હિંસક વિરોધ પ્રદર્શન થયું હતું. જેમાં થયેલા ફાયરિંગમાં એક વ્યક્તીનું મોત નીજપ્યું હતું. જ્યારે બે લોકો ગોળી વાગવાથી ઘાયલ થયા છે. પ્રદર્શનકારી યુવકના પેટમાં ગોળી વાગી હતી. ત્યાર બાદ તેને લખનઉ ટ્રામા સેન્ટરમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યા તેનું મોત નીપજ્યુ હતું. શહેરના અલગ અલગ વિસ્તારમાં પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો, જેના બાદ પોલીસે પણ ભીડ પર નિયંત્રણ રાખવા લાઠીચાર્જ કર્યો હતો. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ તોડફોડ કરી અને વાહનોમાં આગ ચાંપી દીધી હતી. આ વિરોધ પ્રદર્શન પર મુખ્યમંત્રી યોગી આદીત્યનાથે કડક વલણ અપનાવ્યું છે. સીએમ યોગી આદિત્યનાથે તોફાની તત્વ સામે સખત કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. યોગી આદિત્યનાથે જનતાના જાનમાલની સુરક્ષા સુનિશ્ચિત કરવા કહ્યું છે. સાથે અફવાઓ ફેલાવનાર સામે પણ સખત નજર રાખવા કહ્યું છે. સીએમ યોગીએ કહ્યું, જે પણ હિંસાના દોષિત હશે તેની સંપત્તિઓ જપ્ત કરવામાં આવશે. તેનાથી હિંસામાં કરાયેલ નુકશાનની ભરપાઇ કરવામાં આવશે. ઉત્તર પ્રદેશના ગુરુવારે ધારા 144 લાગુ હોવા છતા પણ લખનઉમાં મોટી સંખ્યામાં લોકો રસ્તાઓ પર ઉતર્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જે જોત જોતામાં ઉગ્ર બની ગયું હતુ. આ દરમિયાન પરિવર્તન ચોક પાસે 10 કાર, 3 બસ, 4 મીડિયા ઓબી વાન અને 20 બાઈકને આગને હવાલે કરી દીધી હતી. બીજી તરફ  કર્ણનાટકના મંગલોરમાં બે પ્રદર્શનકારીઓના મોત થયા હતા. આ ઘટના બાદ મંગલોરમાં શુક્રવારે સ્કૂલ-કોલેજ બંધ રાખવામાં આવી છે. વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં લેતા કર્ણાટકના મેંગલુરુમાં કર્ફ્યૂ લગાવી દેવાયું છે, તે સિવાય સમગ્ર કર્ણાટકમાં ધારા 144 લાગૂ કરવામાં આવી છે. સીએએ વિરુદ્ધ કર્ણાટકમાં પણ ભારે વિરોધ થઈ રહ્યો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
'12 કલાક શૂટિંગ કરવા કરી મજબૂર', Palak Sindhwaniએ 'તારક મહેતા કા ઉલ્ટા શર્મા'ના મેકર્સ પર લગાવ્યા આરોપ
'12 કલાક શૂટિંગ કરવા કરી મજબૂર', Palak Sindhwaniએ 'તારક મહેતા કા ઉલ્ટા શર્મા'ના મેકર્સ પર લગાવ્યા આરોપ
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
Embed widget