શોધખોળ કરો

CAA પર ગૃહ મંત્રાલયનું મોટું નિવેદન, કહ્યુ- 'ભારતીય મુસ્લિમો ડરે નહી, તેમને હિંદુઓ જેવા જ અધિકાર'

CAA પર અનેક શંકાઓથી ઘેરાયેલા મુસ્લિમ સમુદાયને ગૃહ મંત્રાલયે ચિંતા ન કરવાની અપીલ કરી છે

CAA પર અનેક શંકાઓથી ઘેરાયેલા મુસ્લિમ સમુદાયને ગૃહ મંત્રાલયે ચિંતા ન કરવાની અપીલ કરી છે. મંગળવારે મોડી સાંજે જાહેર કરાયેલા એક નિવેદનમાં મંત્રાલયે કહ્યું હતું કે મુસ્લિમોએ નાગરિકતા સંશોધન કાયદાથી ડરવું જોઈએ નહીં. ભારતીય મુસ્લિમોને આ કાયદા સાથે કોઈ લેવાદેવા નથી. તેમને હિંદુઓ જેટલા જ અધિકાર છે.

CAAને લઈને મુસ્લિમો અને વિદ્યાર્થીઓના એક વર્ગની આશંકાઓને દૂર કરવાનો પ્રયાસ કરતી વખતે મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે CAA કાયદાના અમલીકરણ પછી કોઈપણ ભારતીયને તેની નાગરિકતા સાબિત કરવા માટે કોઈ દસ્તાવેજ રજૂ કરવા માટે કહેવામાં આવશે નહીં.

ભારતીય નાગરિકતાને અસર કરતી કોઈ જોગવાઈ નથી

ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે CAAમાં એવી કોઈ જોગવાઈ નથી કે જે કોઈપણ ભારતીયની નાગરિકતા પર અસર કરે. ભારતમાં રહેતા 18 કરોડ ભારતીય મુસ્લિમો સાથે આનો કોઈ સંબંધ નથી, જેમને તેમના સમકક્ષ હિંદુ ભારતીય નાગરિકો જેવા જ અધિકારો છે. CAA કાયદામાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના બિન-મુસ્લિમ શરણાર્થીઓ માટે જોગવાઈઓ છે જેઓ 31 ડિસેમ્બર, 2014 પહેલા ભારતમાં આવ્યા છે અને અહીં ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સ તરીકે રહે છે.

કાયદામાં દેશનિકાલની કોઈ જોગવાઈ નથી

ગૃહ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું છે કે ત્રણ મુસ્લિમ દેશોમાં લઘુમતીઓ પર થઈ રહેલા અત્યાચારને કારણે સમગ્ર વિશ્વમાં ઈસ્લામની છબી ખરાબ રીતે કલંકિત થઈ છે, જો કે ઈસ્લામ શાંતિપ્રિય ધર્મ હોવાના કારણે ક્યારેય ધાર્મિક આધાર પર નફરત, હિંસા અને ઉત્પીડનને પ્રોત્સાહન આપતો નથી. આ કાયદો અત્યાચારના નામે ઇસ્લામની છબીને કલંકિત થવાથી બચાવે છે. આ કાયદાને જરૂરી ગણાવતા મંત્રાલયે કહ્યું કે અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથે પ્રવાસીઓને આ દેશોમાં પાછા મોકલવા માટે કોઈ કરાર નથી. આ નાગરિકતા કાયદો ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના દેશનિકાલ સાથે સંબંધિત નથી. તેથી મુસ્લિમો અને વિદ્યાર્થીઓ સહિત લોકોના એક વર્ગની ચિંતા કે CAA મુસ્લિમ લઘુમતીઓ વિરુદ્ધ છે તે ગેરવાજબી છે.

મુસ્લિમોને ભારતીય નાગરિકતા મેળવવા પર કોઈ પ્રતિબંધ નથી

મંત્રાલયે એ પણ સ્પષ્ટ કર્યું છે કે નાગરિકતા અધિનિયમની કલમ 6 હેઠળ જે પ્રાકૃતિક આધાર પર નાગરિકતા સાથે સંબંધિત છે, વિશ્વમાં ક્યાંય પણ મુસ્લિમોને ભારતીય નાગરિકતા મેળવવા પર કોઈ પ્રતિબંધ નથી. મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નાગરિકતા પ્રણાલીમાં જરૂરી ફેરફારો લાવવા અને ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સને નિયંત્રિત કરવા માટે આ કાયદો જરૂરી હતો. મંત્રાલયે એ પણ સ્પષ્ટ કર્યું છે કે કાયદો એવા કોઈપણ મુસ્લિમને વર્તમાન કાયદાઓ હેઠળ ભારતીય નાગરિકતા માટે અરજી કરવાથી રોકતો નથી કે જેમને તેમના ઈસ્લામના નિયમોનું પાલન કરવા માટે એ ત્રણ ઇસ્લામિક દેશોમાં ઉત્પીડનનો સામનો કરવો પડ્યો હોય.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
e-PAN Card Online: આધાર કાર્ડથી મફતમાં બનાવો ઇન્સ્ટન્ટ e-PAN, જાણો અરજી કરવાની રીત
e-PAN Card Online: આધાર કાર્ડથી મફતમાં બનાવો ઇન્સ્ટન્ટ e-PAN, જાણો અરજી કરવાની રીત
આવતીકાલનું હવામાનઃ 16 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ ખાબકશે, 85 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાનઃ 16 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ ખાબકશે, 85 કિમીની ઝડપે ફૂંકાશે પવન
National Flag Disposal Rules: 15 ઓગસ્ટના રોજ રસ્તા પર તિરંગો પડેલો મળે તો અહીં ફરિયાદ કરો.
National Flag Disposal Rules: 15 ઓગસ્ટના રોજ રસ્તા પર તિરંગો પડેલો મળે તો અહીં ફરિયાદ કરો.

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Embed widget