શોધખોળ કરો

RSSના સ્થાપના દિવસ પર ભાગવતે સરકારના કર્યા વખાણ, કહ્યુ- મૉબ લિંચિંગ સાથે સંઘને કોઇ સંબંધ નથી

શસ્ત્ર પૂજન બાદ કાર્યક્રમના મુખ્ય અતિથિ શિવ નાદરનું સ્વાગત કરાયું હતું.

  નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની સ્થાપના દિવસ અને વિજયાદશમી ઉત્સવ આજે નાગપુરમાં સંઘ સ્થિત હેડક્વાર્ટરમાં ઉજવવામાં આવ્યો હતો. દર વર્ષે યોજનારા આરએસએસના વિજયાદશમી કાર્યક્રમમાં આ વર્ષે એચસીએલના સંસ્થાપક-ચેરમેન અને પદ્મભૂષણથી સન્માનિત શિવ નાદર મુખ્ય અતિથિ તરીકે કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આરએસએસના કાર્યક્રમમાં શિવ નાદર સિવાય કેબિનેટ મંત્રી નીતિન ગડકરી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર રહ્યા હતા. તે સિવાય મોટી સંખ્યામાં નાગરિકો પણ સામેલ થયા હતા. કાર્યક્રમ હેઠળ સૌ પ્રથમ આરએસએસના સ્વયંસેવકોએ પથ સંચાલન કર્યું હતું જે લગભગ 2 કિલોમીટરનો હતો. ત્યારબાદ શસ્ત્ર પૂજન કરાયુ હતું. શસ્ત્ર પૂજન બાદ કાર્યક્રમના મુખ્ય અતિથિ શિવ નાદરનું સ્વાગત કરાયું હતું. ત્યારબાદ સમારોહના મુખ્ય અતિથિ શિવ નાદરે કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. તેમણે કહ્યું કે, તે આ ઉત્સવમાં સામેલ થઇને સન્માનિત અનુભવી રહ્યા છે. આરએસએસના કાર્યકર્તાઓની ઉર્જાથી રેશમીબાગ જીવંત થઇ ઉઠ્યો છે. આરએસએસની સ્થાપના દિવસ પર સંઘ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે, એવું નથી કે લોકશાહીની વ્યવસ્થા પશ્વિમ દેશોએ ભારતને આપી છે પરંતુ આ ભારતની પરંપરાનો હિસ્સો રહ્યો છે. કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, ઘણા દિવસો બાદ લાગ્યું કે દેશમાં કાંઇ ફેરફાર થઇ રહ્યો છે અને પ્રથમવાર સાહસી નિર્ણયો લેનારી સરકાર આવી છે. મોહન ભાગવતે કહ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતના વિચારની દિશામાં એક ફેરફાર આવ્યો છે. જોકે, ભારતને આગળ વધતુ જોવું જેને સ્વાર્થ માટે ડર પેદા કરે છે એવી શક્તિઓ પણ ભારતને દઢતા અને શક્તિથી સંપન્ન થવા દેવા માંગતી નથી. મોહન ભાગવતે મોબ લિંચિંગની ઘટના સંઘ સંબંધિત ન હોવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે, આ બધાને સંઘ સાથે કોઇ સંબંધ નથી અને સ્વયંસેવક એવા કામ કરતા નથી. જો કોઇ સ્વયંસેવક તેમાં સામેલ હોવાની વાત સામે આવે છે તો સંઘ તેનો બચાવ કરતું નથી. આખા દેશ અને હિંદુ સમાજને સર્વત્ર બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સંઘના સ્વયંસેવક કોઇને મારવા નહી પરંતુ બચાવવા જશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે
આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!
H-1B visa: H-1B વીઝાના નિયમોમાં મોટો ફેરફાર, લોટરી સિસ્ટમ કરાઈ બંધ
H-1B visa: H-1B વીઝાના નિયમોમાં મોટો ફેરફાર, લોટરી સિસ્ટમ કરાઈ બંધ

વિડિઓઝ

Gujarat Police : LRD જવાનોને જિલ્લા પસંદગી માટે અપાશે વિકલ્પ, DYCMની મોટી જાહેરાત
Surendranagar ED Raid : કલેક્ટર અને ના. મામલતદારને ત્યાં ઇડીના દરોડાથી ખળભળાટ
Hun To Bolish : જુઓ દેવદૂત
Hun To Bolish : હું તો બોલીશ : દેવદૂત
Hun To Bolish : હું તો બોલીશ : કેવા હોય કાર્યકર્તા ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે
આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!
H-1B visa: H-1B વીઝાના નિયમોમાં મોટો ફેરફાર, લોટરી સિસ્ટમ કરાઈ બંધ
H-1B visa: H-1B વીઝાના નિયમોમાં મોટો ફેરફાર, લોટરી સિસ્ટમ કરાઈ બંધ
Dhurandhar Box Office Collection: 'ધુરંધર' બની સૌથી વધુ કમાણી કરનારી બોલિવૂડ ફિલ્મ, 'સ્ત્રી 2', 'છાવા' અને 'જવાન'ને પછાડી
Dhurandhar Box Office Collection: 'ધુરંધર' બની સૌથી વધુ કમાણી કરનારી બોલિવૂડ ફિલ્મ, 'સ્ત્રી 2', 'છાવા' અને 'જવાન'ને પછાડી
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
India vs NZ: ભારત સામેની ટક્કર માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, T20 અને ODI માટે અલગ-અલગ કેપ્ટન
India vs NZ: ભારત સામેની ટક્કર માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, T20 અને ODI માટે અલગ-અલગ કેપ્ટન
AIIMS માં કિશોરીના પાછળ ફાસ્ટફૂડ? 'બહારનું ખાવા'નું કેમ ના પાડે છે નિષ્ણાંતો, જાણો
AIIMS માં કિશોરીના પાછળ ફાસ્ટફૂડ? 'બહારનું ખાવા'નું કેમ ના પાડે છે નિષ્ણાંતો, જાણો
Embed widget