શોધખોળ કરો

પેપર લીકના કારણે UGC-NET 2024ની પરીક્ષા રદ થયા બાદ CBIએ શરૂ કરી તપાસ

18 જૂને યોજાયેલી UGC NET પરીક્ષા 2024માં ગેરરીતિના સંકેતો મળતા જ કેન્દ્ર સરકારે તેને રદ કરી દીધી અને CBIએ સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે.  

NET 2024ની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.  રદ થયેલી પરીક્ષાની CBI તપાસ શરૂ થઈ ગઈ છે.  18 જૂને યોજાયેલી UGC NET પરીક્ષા 2024માં ગેરરીતિના સંકેતો મળતા જ કેન્દ્ર સરકારે તેને રદ કરી દીધી અને CBIએ સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે.  

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ ગુરુવારે UGC-NET 2024 પરીક્ષા 'કૌભાંડ' ની તપાસ શરૂ કરી છે.  કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે પેપર લીક થવાને કારણે પરીક્ષા રદ કર્યાના એક દિવસ પછી આ તપાસ શરુ કરવામાં આવી છે. 

એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “18 જૂને લેવાયેલી UGC NET પરીક્ષામાં ગેરરીતિ કરવા બદલ અજાણ્યા વ્યક્તિઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે. ગુનાહિત ષડયંત્ર અને છેતરપિંડીની કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. 

NEET પેપર લીક અને UGC-NETને લઈને સમગ્ર દેશમાં હોબાળો ચાલી રહ્યો છે. દેશના ઘણા ભાગોમાં વિદ્યાર્થીઓનું પ્રદર્શન પણ ચાલુ છે. આ બધાની વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પત્રકાર પરિષદ સંબોધી હતી.

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે હું દરેકને ખાતરી આપવા માંગુ છું કે સરકાર વિદ્યાર્થીઓના હિતોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. અમે પારદર્શિતા સાથે સમાધાન નહીં કરીએ. તેમણે કહ્યું કે NEET ના ગુનેગારોને કોઈપણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં.

તેમણે કહ્યું કે અમે NEET પરીક્ષાને લઈને બિહાર સરકારના સંપર્કમાં છીએ. અમને પટનાથી કેટલીક માહિતી મળી રહી છે. પોલીસ તપાસ કરી રહી છે અને તેમના દ્વારા વિગતવાર અહેવાલ રજૂ કરવામાં આવશે. વિશ્વસનીય માહિતી મળ્યા બાદ દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ કહ્યું કે અમે કોઈપણ પ્રકારની ગેરરીતિ વિના પરીક્ષા યોજવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે NTAની કામગીરી સુધારવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવા જઈ રહ્યા છીએ. ઉચ્ચ સ્તરીય સમિતિ એનટીએના માળખા, કાર્યપ્રણાલી, પરીક્ષા પ્રક્રિયા, પારદર્શિતા અને ડેટા સુરક્ષા પ્રોટોકોલમાં વધુ સુધારો કરવા ભલામણ કરશે.                

ટોપ સ્ટોરી

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ
Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
Embed widget