શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Maharashtra Crisis: શિવસૈનિકોના વિરોધ પ્રદર્શન વચ્ચે કેન્દ્ર સરકારે બળવાખોર ધારાસભ્યોને આપી સુરક્ષા, CRPFના જવાનો તૈનાત કરાયા

શિંદે જૂથની અપીલ બાદ કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે. 25 જૂને એકનાથ શિંદેના જૂથે કેન્દ્રીય ગૃહ સચિવ અને રાજ્યપાલને પત્ર લખ્યો હતો

Maharashtra Political Crisis:  મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે શિવસૈનિકો બળવાખોર ધારાસભ્યો સામે સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જેના કારણે બળવાખોરોએ મહારાષ્ટ્ર સરકાર પાસે પોતાની અને પરિવારની સુરક્ષાની માંગ કરી હતી. હવે આ મામલે કેન્દ્ર સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર શિંદે જૂથના 16 ધારાસભ્યોના ઘરે સુરક્ષા પુરી પાડશે.

શિંદે જૂથની અપીલ બાદ કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે. 25 જૂને એકનાથ શિંદેના જૂથે કેન્દ્રીય ગૃહ સચિવ અને રાજ્યપાલને પત્ર લખ્યો હતો. જેમાં તેમના પરિવારોને સુરક્ષા પુરી પાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.  ત્યારબાદ તેઓને Y+ કેટેગરીની સિક્યોરિટી આપવાનો કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે. આજે સાંજ સુધીમાં તમામ ધારાસભ્યોના ઘરે CRPF જવાનો તૈનાત કરી દેવામાં આવશે. આ ધારાસભ્યોને Y+ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે.

મહારાષ્ટ્ર સરકાર પાસે પણ સુરક્ષા માંગવામાં આવી 

કેન્દ્ર સરકાર પહેલા એકનાથ શિંદે જૂથે પણ મહારાષ્ટ્ર સરકાર પાસે તેમના પરિવાર માટે સુરક્ષાની માંગ કરી હતી. જો કે, તેના જવાબમાં રાજ્ય સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે ધારાસભ્યોની સુરક્ષામાં કોઈ કાપ મૂકવામાં આવ્યો નથી. આ સાથે જે ધારાસભ્યોના ઘરોમાં તોડફોડ કરવામાં આવી છે ત્યાં પોલીસ ફોર્સ તૈનાત કરવાની સૂચના પણ આપવામાં આવી છે. દરમિયાન અપક્ષ સાંસદ નવનીત રાણાએ પણ બળવાખોર ધારાસભ્યોના પરિવારજનો માટે સુરક્ષાની માંગણી કરી હતી. તેમણે કહ્યું હતું કે વર્તમાન સંજોગોમાં મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાદવું જોઈએ. જો કે હવે સ્થિતિને જોતા કેન્દ્ર સરકાર દ્વારા બળવાખોર ધારાસભ્યોને સુરક્ષા આપવામાં આવી રહી છે.

 ઉલ્લેખનીય છે કે એકનાથ શિંદે અને શિવસેનાના તમામ બળવાખોર ધારાસભ્યો છેલ્લા એક સપ્તાહથી આસામના ગુવાહાટીમાં એક હોટલમાં રોકાયા છે. તમામ ઉદ્ધવ ઠાકરે સામે બળવો કર્યો છે. આ બળવાખોરોને સમજાવવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા, પરંતુ તેમાં હજુ સુધી સફળતા મળી નથી.  બાદમાં ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી નિવાસસ્થાન છોડી દીધું હતું.  હવે શિવસેના દ્વારા બળવાખોરો સામે કાર્યવાહી કરવાનું કહેવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ શિંદે જૂથ પણ કોર્ટમાં જવાની તૈયારી કરી રહ્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ', RSS ચીફ મોહન ભાગવતનું મોટું નિવેદન
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ', RSS ચીફ મોહન ભાગવતનું મોટું નિવેદન
Delhi Election 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા ગઠબંધનને લઈ AAPએ કરી દિધી મોટી જાહેરાત 
Delhi Election 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા ગઠબંધનને લઈ AAPએ કરી દિધી મોટી જાહેરાત 
સરકાર ખેડૂતોને પેન્શન પણ આપે છે, જાણો આ માટે શું કરવું જરૂરી છે?
સરકાર ખેડૂતોને પેન્શન પણ આપે છે, જાણો આ માટે શું કરવું જરૂરી છે?
Cyclone Fengal:  ફેંગલ વાવાઝોડાએ મચાવી તબાહી, ચેન્નઇ જળમગ્ન, 3નાં મૃત્યુ
Cyclone Fengal: ફેંગલ વાવાઝોડાએ મચાવી તબાહી, ચેન્નઇ જળમગ્ન, 3નાં મૃત્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

LPG Cylinder Price : કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 16.50 રૂપિયાનો વધારોUSA News:Donald trump:અમેરિકામાં ભણતા વિદેશી વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયોમાંGandhinagar Accident: સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત ત્રણ ઈજાગ્રસ્ત, એકનું મોતHun To Bolish : હું તો બોલીશ : આ નબીરાઓને કોઈ નહીં રોકે !

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ', RSS ચીફ મોહન ભાગવતનું મોટું નિવેદન
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ', RSS ચીફ મોહન ભાગવતનું મોટું નિવેદન
Delhi Election 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા ગઠબંધનને લઈ AAPએ કરી દિધી મોટી જાહેરાત 
Delhi Election 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા ગઠબંધનને લઈ AAPએ કરી દિધી મોટી જાહેરાત 
સરકાર ખેડૂતોને પેન્શન પણ આપે છે, જાણો આ માટે શું કરવું જરૂરી છે?
સરકાર ખેડૂતોને પેન્શન પણ આપે છે, જાણો આ માટે શું કરવું જરૂરી છે?
Cyclone Fengal:  ફેંગલ વાવાઝોડાએ મચાવી તબાહી, ચેન્નઇ જળમગ્ન, 3નાં મૃત્યુ
Cyclone Fengal: ફેંગલ વાવાઝોડાએ મચાવી તબાહી, ચેન્નઇ જળમગ્ન, 3નાં મૃત્યુ
Joe Root: જો રૂટે તોડ્યો સચિન તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ, 24 વર્ષની મહેનત પર ફેરવ્યું પાણી
Joe Root: જો રૂટે તોડ્યો સચિન તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ, 24 વર્ષની મહેનત પર ફેરવ્યું પાણી
Who is Kash Patel: ટ્રમ્પે એક ગુજરાતીને બનાવ્યા FBIના ડાયરેક્ટર,જાણો કોણ છે કાશ પટેલ જેના પેટભરીને વખાણ કરી રહ્યા છે યૂએસ રાષ્ટ્રપતિ
Who is Kash Patel: ટ્રમ્પે એક ગુજરાતીને બનાવ્યા FBIના ડાયરેક્ટર,જાણો કોણ છે કાશ પટેલ જેના પેટભરીને વખાણ કરી રહ્યા છે યૂએસ રાષ્ટ્રપતિ
ICC Chairman: હવે વિશ્વભરમાં વાગશે ક્રિકેટનો ડંકો,ICCના ચેરમેન બનતા જ જય શાહ એક્શનમાં
ICC Chairman: હવે વિશ્વભરમાં વાગશે ક્રિકેટનો ડંકો,ICCના ચેરમેન બનતા જ જય શાહ એક્શનમાં
Ration Card ekyc: આ રીતે રાશનકાર્ડ eKYC ઘરે બેઠા કરો, જાણો એકદમ સરળ પ્રોસેસ
Ration Card ekyc: આ રીતે રાશનકાર્ડ eKYC ઘરે બેઠા કરો, જાણો એકદમ સરળ પ્રોસેસ
Embed widget