શોધખોળ કરો

સમગ્ર વિશ્વમાંથી 21 જૂને કોરોના નષ્ટ થઈ જશે ? દેશના ક્યા ટોચના વિજ્ઞાનીએ કર્યો આ દાવો ? કોરોનાને શાની સાથે સંબંધ હોવાનો કર્યો દાવો ?

ડો. કૃષ્ણા અનુસાર, ગ્રહોની વચ્ચે ઉર્જામાં ફેરફારને કારણે આ વાયરસ વાયુમંડળમાંથી ઉત્પન્ન થયો છે. આ જ ફેરફારને કારણે ધરતી પર યોગ્ય વાતાવરણ બન્યું.

નવી દિલ્હીઃ ચેન્નઈના ન્યૂક્લિયર અને અર્થ સાઇન્ટિસ્ટ ડો. કે એલ સુંદર કૃષ્ણાએ દાવો કર્યો છે કે, કોવિડ-19 મહામારી વિેતેલા વર્ષે 26 ડિસેમ્બરે થયેલ એક સૂર્ય ગ્રહણ સાથે જોડાયેલ છે. ડો. કે એલ સુંદર કૃષ્ણએ એએનઆઈને જણાવ્યું કે, તેમનું માનવું છે કે, 26 ડિસેમ્બરે થયેલ ગ્રહણે સૌર મંડળમાં ગ્રહનું રેખાંકન બદલી નાંખ્યું છે.’ તેમનું કહેવું છે કે, સૂર્યગ્રહણ બાદ ઉત્સર્જિત વિખંડન ઉર્જાને કારણે પહેલા ન્યૂટ્રોનના કણના સંપર્ક બાદ કોરોના વાયરસ તૂટી ગયો છે. એએનઆઈ સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, ડિસેમ્બર 2019થી કોરોના વાયરસ આપણા જીવનને નષ્ટ કરવા માટે આવ્યો છે. મારી સમજ અનુસાર, 26 ડિસેમ્બરે અંતિમ સૂર્ય ગર્હણ બાદ સૌર મંડળમાં ગ્રહોની સ્થિતિમાં ફેરફાર થયા છે. ડો. કૃષ્ણા અનુસાર, ગ્રહોની વચ્ચે ઉર્જામાં ફેરફારને કારણે આ વાયરસ વાયુમંડળમાંથી ઉત્પન્ન થયો છે. આ જ ફેરફારને કારણે ધરતી પર યોગ્ય વાતાવરણ બન્યું. આ ન્યૂટ્રોન સૂર્યની સૌથી વધારે વિખંડન ઉર્જાથી નીકળી રહ્યો છે. ન્યૂક્લિયર ફોર્મેશનની આ પ્રક્રિયા બહારના મટેરિયલને કારણે શરૂ થઈ હશે, જે ઉપરના વાયુમંડળમાં બાયો મોલિક્યૂલ અને બાયો ન્યૂક્લિયરના સંપર્કમાં આવવાથી થઈ શકે છે. બાયો મોલિક્યૂલ સંરચના (પ્રોટીન)નું મ્યૂટેશન આ વાયરસનો એક સંભવિત સ્ત્રોત હોઈ શકે છે. ડો. કેએલ સુંદર કૃષ્ણા અનુસાર, મ્યૂટેશન પ્રોસેસ સૌથી પહેલા ચીનમાં શરૂ થઈ હશે. જોકે, આ દાવાના કોઈ નક્કર પૂરાવા નથી. તેમણે કહ્યું કે, આ એક પ્રોયગ અથવા જાણીજોઈને કરવામાં આવેલ પ્રયત્ન પણ હોઈ શકે છે. આગામી સૂર્યગ્રહણ કોરોના વાયરસને ખત્મ કરવા માટે એક મહત્ત્વપૂર્ણ વળાંક સાબિત થઈ શકે છે. સૂર્યના કિરણોની તીવ્રતા વાયરસને નિષ્ક્રિય કરી દસે. તેમણે કહ્યું કે, આપણે તેનાથી ગભરાવાની જરૂરત નથી. આ સૌરમંડળમાં થનારી પ્રાકૃતિક હલચલ છે. સૂર્યના કિરણો અને સૂર્ય ગ્રહણ આ વાયરસની પ્રાકૃતિક સારવાર છે. જણાવીએ કે, 21 જૂનના રોજ સૂર્યગ્રહણ છે. રવિવારે સૂર્યગ્રહણ સવારે 10-20 કલાકે શરૂ થશે અને 1-49 કલાકે ખત્મ થશે. તેનું સૂતક 12 કલાક પહેલા એટલે કે 20 જૂનના રોજ રાત્રે 10-20થી શરૂ થસે, જે ગ્રહણની સાથે જ ખત્મ થશે. આ ગ્રહણ ભારત, નેપાળ, પાકિસ્તાન, સાઉદી અરબ, યૂએઈ, ઈથોપિયા અને કોંગોમાં જોવા મળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
Embed widget