શોધખોળ કરો

Congress : "પુલવામા હુમલાનો ભોગ બનેલા CRPF જવાનોને વિમાન કેમ નહોતા અપાયા?"

કોંગ્રેસે કેન્દ્રને સણસણતો સવાલ કર્યો છે કે, CRPF જવાનોને વિમાન કેમ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો?

Congress Question For PM Modi On Pulwama Attack: જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકે એક ઈન્ટરવ્યુમાં કરેલા દાવાને હથિયાર બનાવી હવે કોંગ્રેસ પાર્ટીએ પુલવામા આતંકી હુમલાના મુદ્દે કેન્દ્ર સરકારને વેધક સવાલો પૂછ્યા છે. કોંગ્રેસે કેન્દ્રને સણસણતો સવાલ કર્યો છે કે, CRPF જવાનોને વિમાન કેમ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો? કોંગ્રેસે પુલવામા આતંકી હુમલાની તપાસના પરિણામ અંગે પણ કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો છે.

ઉલ્લેખનીય છે કે, 14 ફેબ્રુઆરી 2019ના રોજ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં 40 CRPF જવાનો શહીદ થયા હતા. સત્યપાલ મલિકે 'ધ વાયર' સાથેની મુલાકાત દરમિયાન દાવો કર્યો હતો કે, CRPFએ ગૃહ મંત્રાલયને જવાનોને લઈ જવા માટે વિમાનોની માંગણી કરી હતી, જેના માટે મંજૂરી નહોતી મળી. મલિકના દાવા બાદ કોંગ્રેસ કેન્દ્રમાં આક્રમક અંદાજમાં આવી છે. કોંગ્રેસે કહ્યું છે કે, આતંકવાદી હુમલાની ધમકી છતાં સૈનિકોને રોડ માર્ગે મુસાફરી કરવાની ફરજ પડી હતી.

'લઘુત્તમ શાસન અને મહત્તમ મૌન'

કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર પર 'લઘુત્તમ શાસન અને મહત્તમ મૌન'નો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલોના જવાબ આપવાની જવાબદારી સરકારની છે. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દાઓ પર પ્રશ્નો પૂછવાનું યથાવત રાખશે.

પાર્ટીના નેતાઓ પવન ખેડા અને સુપ્રિયા શ્રીનાતે સાથે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા જયરામ રમેશે જણાવ્યું હતું કે, વિશ્વગુરુએ લોકશાહીનું એક નવું મોડેલ બનાવ્યું છે જ્યાં લોકશાહીના પ્રતીકો અને ઈમારતો છે. પરંતુ લોકશાહીની માટી હવે ગાયબ થઈ ગઈ છે.

CRPF જવાનોને વિમાન આપવાનો ઇનકાર કેમ કરાયો?

કોંગ્રેસના નેતા સુપ્રિયા શ્રીનેતે કહ્યું હતું કે, સીઆરપીએફ જવાનને વિમાન આપવાનો ઈનકાર કેમ કરવામાં આવ્યો હતો? તેમને એરલિફ્ટ કેમ ના કરવામાં આવ્યા? તેમણે કહ્યું હતું કે, આતંકવાદી સંગઠન જૈશની ધમકીઓને કેમ અવગણવામાં આવી? શ્રીનેતે કહ્યું હતું કે, 2 જાન્યુઆરી, 2019 અને 13 ફેબ્રુઆરી 2019 વચ્ચેના આતંકવાદી હુમલાની ચેતવણીની 11 ગુપ્ત માહિતીને શા માટે અવગણવામાં આવી? તેમણે એ પણ પૂછ્યું કે, આતંકવાદીઓ પાસે 300 કિલો આરડીએક્સ ક્યાંથી આવ્યું?

શ્રીનાતે કહ્યું હતું કે, ચાર વર્ષથી વધુ સમય બાદ પણ પુલવામા આતંકી હુમલાની તપાસ ક્યાં પહોંચી? NSA અજીત ડોભાલ અને તત્કાલિન ગૃહમંત્રી રાજનાથ સિંહની જવાબદારી ક્યાં, ક્યારે, કેવી રીતે અને કોણ નક્કી કરશે?

કેન્દ્રએ આનો જવાબ આપવો જોઈએ - ભૂપેશ બઘેલ

સત્યપાલ મલિકના દાવાને લઈને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે પણ કેન્દ્ર સરકારને ઘેરી હતી. સીએમ બઘેલે કહ્યું હતું કે, ભાજપ અને કેન્દ્ર પર આરોપો લગાવવામાં આવ્યા છે. આ મામલો દેશની સુરક્ષા અને જવાનોની શહાદત સાથે જોડાયેલો છે. જો તત્કાલીન રાજ્યપાલે આવા નિવેદનો અને આક્ષેપો કર્યા છે તો કેન્દ્રએ તેનો જવાબ આપવો જોઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

સંસદમાં બપોરે 1 થી 4:30 વચ્ચે એવું તે શું બન્યું કે જગદીપ ધનખડે રાજીનામું આપવું પડ્યું? જાણો ઈનસાઈડ સ્ટોરી
સંસદમાં બપોરે 1 થી 4:30 વચ્ચે એવું તે શું બન્યું કે જગદીપ ધનખડે રાજીનામું આપવું પડ્યું? જાણો ઈનસાઈડ સ્ટોરી
બિહાર ચૂંટણી, અપમાન કે પછી.... જગદીપ ધનખડના અચાનક રાજીનામા પાછળ હોઈ શકે છે આ ત્રણ કારણ
બિહાર ચૂંટણી, અપમાન કે પછી.... જગદીપ ધનખડના અચાનક રાજીનામા પાછળ હોઈ શકે છે આ ત્રણ કારણ
બિહારમાં 52 લાખ મતદારોના નામ હટશે! જાણો મતદાર યાદીમાં શું ફેરફાર, ચૂંટણી પંચનો મોટો નિર્ણય
બિહારમાં 52 લાખ મતદારોના નામ હટશે! જાણો મતદાર યાદીમાં શું ફેરફાર, ચૂંટણી પંચનો મોટો નિર્ણય
સાબરડેરી વિવાદ: પશુપાલકો માટે 'આપ' મેદાનમાં! કેજરીવાલ-ભગવંત માનની હાજરીમાં આવતીકાલે મોડાસામાં મહાપંચાયત
સાબરડેરી વિવાદ: પશુપાલકો માટે 'આપ' મેદાનમાં! કેજરીવાલ-ભગવંત માનની હાજરીમાં આવતીકાલે મોડાસામાં મહાપંચાયત
Advertisement

વિડિઓઝ

Kheda news: ખેડા જિલ્લામાં રઝડતુ ભવિષ્ય, ક્યારે બનશે પ્રાથમિક શાળાના ઓરડા ?
Mehsana Accident News: મહેસાણામાં ST બસ-ઈકો કાર વચ્ચે ભયંકર અકસ્માત, બેના મોત
Lavingji Thakor News: પાટણના રાધનપુર ભાજપના MLA લવિંગજી ઠાકોર સામે ગંભીર આરોપ
MP Mayank Nayak: રાજ્યસભા સાંસદ મયંક નાયકે ખેડૂતો મુદ્દે રાજ્યસભામાં ઉઠાવ્યો અવાજ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં બપોરે 1 થી 4:30 વચ્ચે એવું તે શું બન્યું કે જગદીપ ધનખડે રાજીનામું આપવું પડ્યું? જાણો ઈનસાઈડ સ્ટોરી
સંસદમાં બપોરે 1 થી 4:30 વચ્ચે એવું તે શું બન્યું કે જગદીપ ધનખડે રાજીનામું આપવું પડ્યું? જાણો ઈનસાઈડ સ્ટોરી
બિહાર ચૂંટણી, અપમાન કે પછી.... જગદીપ ધનખડના અચાનક રાજીનામા પાછળ હોઈ શકે છે આ ત્રણ કારણ
બિહાર ચૂંટણી, અપમાન કે પછી.... જગદીપ ધનખડના અચાનક રાજીનામા પાછળ હોઈ શકે છે આ ત્રણ કારણ
બિહારમાં 52 લાખ મતદારોના નામ હટશે! જાણો મતદાર યાદીમાં શું ફેરફાર, ચૂંટણી પંચનો મોટો નિર્ણય
બિહારમાં 52 લાખ મતદારોના નામ હટશે! જાણો મતદાર યાદીમાં શું ફેરફાર, ચૂંટણી પંચનો મોટો નિર્ણય
સાબરડેરી વિવાદ: પશુપાલકો માટે 'આપ' મેદાનમાં! કેજરીવાલ-ભગવંત માનની હાજરીમાં આવતીકાલે મોડાસામાં મહાપંચાયત
સાબરડેરી વિવાદ: પશુપાલકો માટે 'આપ' મેદાનમાં! કેજરીવાલ-ભગવંત માનની હાજરીમાં આવતીકાલે મોડાસામાં મહાપંચાયત
મહેસાણા-અંબાજી હાઈવે પર ભયાનક અકસ્માત: બસ અને ઇકો કાર વચ્ચે ટક્કરમાં પિતા-પુત્ર સહિત બેના મોત, 5 ઘાયલ
મહેસાણા-અંબાજી હાઈવે પર ભયાનક અકસ્માત: બસ અને ઇકો કાર વચ્ચે ટક્કરમાં પિતા-પુત્ર સહિત બેના મોત, 5 ઘાયલ
સલમાન અને શાહરૂખ ખાનને આ 27 વર્ષના છોકરાએ ધૂળ ચટાડી દીધી, સૈયારાએ 5 દિવસમાં બોક્સ ઓફિસ પર તોડ્યા આ રેકોર્ડ
સલમાન અને શાહરૂખ ખાનને આ 27 વર્ષના છોકરાએ ધૂળ ચટાડી દીધી, સૈયારાએ 5 દિવસમાં બોક્સ ઓફિસ પર તોડ્યા આ રેકોર્ડ
ભારત સામેની ચોથી ટેસ્ટમાં જો રૂટ ઇતિહાસ રચવા તૈયાર: 7 મોટા રેકોર્ડ તોડવાની નજીક
ભારત સામેની ચોથી ટેસ્ટમાં જો રૂટ ઇતિહાસ રચવા તૈયાર: 7 મોટા રેકોર્ડ તોડવાની નજીક
જગદીપ ધનખડના રાજીનામા પાછળ શું ભાજપ અધ્યક્ષ સાથેનો વિવાદ કારણભૂત? જેપી નડ્ડાએ કર્યો ખુલાસો
જગદીપ ધનખડના રાજીનામા પાછળ શું ભાજપ અધ્યક્ષ સાથેનો વિવાદ કારણભૂત? જેપી નડ્ડાએ કર્યો ખુલાસો
Embed widget