શોધખોળ કરો

Congress : "પુલવામા હુમલાનો ભોગ બનેલા CRPF જવાનોને વિમાન કેમ નહોતા અપાયા?"

કોંગ્રેસે કેન્દ્રને સણસણતો સવાલ કર્યો છે કે, CRPF જવાનોને વિમાન કેમ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો?

Congress Question For PM Modi On Pulwama Attack: જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકે એક ઈન્ટરવ્યુમાં કરેલા દાવાને હથિયાર બનાવી હવે કોંગ્રેસ પાર્ટીએ પુલવામા આતંકી હુમલાના મુદ્દે કેન્દ્ર સરકારને વેધક સવાલો પૂછ્યા છે. કોંગ્રેસે કેન્દ્રને સણસણતો સવાલ કર્યો છે કે, CRPF જવાનોને વિમાન કેમ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો? કોંગ્રેસે પુલવામા આતંકી હુમલાની તપાસના પરિણામ અંગે પણ કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો છે.

ઉલ્લેખનીય છે કે, 14 ફેબ્રુઆરી 2019ના રોજ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં 40 CRPF જવાનો શહીદ થયા હતા. સત્યપાલ મલિકે 'ધ વાયર' સાથેની મુલાકાત દરમિયાન દાવો કર્યો હતો કે, CRPFએ ગૃહ મંત્રાલયને જવાનોને લઈ જવા માટે વિમાનોની માંગણી કરી હતી, જેના માટે મંજૂરી નહોતી મળી. મલિકના દાવા બાદ કોંગ્રેસ કેન્દ્રમાં આક્રમક અંદાજમાં આવી છે. કોંગ્રેસે કહ્યું છે કે, આતંકવાદી હુમલાની ધમકી છતાં સૈનિકોને રોડ માર્ગે મુસાફરી કરવાની ફરજ પડી હતી.

'લઘુત્તમ શાસન અને મહત્તમ મૌન'

કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર પર 'લઘુત્તમ શાસન અને મહત્તમ મૌન'નો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલોના જવાબ આપવાની જવાબદારી સરકારની છે. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દાઓ પર પ્રશ્નો પૂછવાનું યથાવત રાખશે.

પાર્ટીના નેતાઓ પવન ખેડા અને સુપ્રિયા શ્રીનાતે સાથે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા જયરામ રમેશે જણાવ્યું હતું કે, વિશ્વગુરુએ લોકશાહીનું એક નવું મોડેલ બનાવ્યું છે જ્યાં લોકશાહીના પ્રતીકો અને ઈમારતો છે. પરંતુ લોકશાહીની માટી હવે ગાયબ થઈ ગઈ છે.

CRPF જવાનોને વિમાન આપવાનો ઇનકાર કેમ કરાયો?

કોંગ્રેસના નેતા સુપ્રિયા શ્રીનેતે કહ્યું હતું કે, સીઆરપીએફ જવાનને વિમાન આપવાનો ઈનકાર કેમ કરવામાં આવ્યો હતો? તેમને એરલિફ્ટ કેમ ના કરવામાં આવ્યા? તેમણે કહ્યું હતું કે, આતંકવાદી સંગઠન જૈશની ધમકીઓને કેમ અવગણવામાં આવી? શ્રીનેતે કહ્યું હતું કે, 2 જાન્યુઆરી, 2019 અને 13 ફેબ્રુઆરી 2019 વચ્ચેના આતંકવાદી હુમલાની ચેતવણીની 11 ગુપ્ત માહિતીને શા માટે અવગણવામાં આવી? તેમણે એ પણ પૂછ્યું કે, આતંકવાદીઓ પાસે 300 કિલો આરડીએક્સ ક્યાંથી આવ્યું?

શ્રીનાતે કહ્યું હતું કે, ચાર વર્ષથી વધુ સમય બાદ પણ પુલવામા આતંકી હુમલાની તપાસ ક્યાં પહોંચી? NSA અજીત ડોભાલ અને તત્કાલિન ગૃહમંત્રી રાજનાથ સિંહની જવાબદારી ક્યાં, ક્યારે, કેવી રીતે અને કોણ નક્કી કરશે?

કેન્દ્રએ આનો જવાબ આપવો જોઈએ - ભૂપેશ બઘેલ

સત્યપાલ મલિકના દાવાને લઈને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે પણ કેન્દ્ર સરકારને ઘેરી હતી. સીએમ બઘેલે કહ્યું હતું કે, ભાજપ અને કેન્દ્ર પર આરોપો લગાવવામાં આવ્યા છે. આ મામલો દેશની સુરક્ષા અને જવાનોની શહાદત સાથે જોડાયેલો છે. જો તત્કાલીન રાજ્યપાલે આવા નિવેદનો અને આક્ષેપો કર્યા છે તો કેન્દ્રએ તેનો જવાબ આપવો જોઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આનંદીબેનના દીકરી અનાર પટેલ સંભાળશે ખોડલધામ સંગઠનની કમાન, અધ્યક્ષ તરીકે પસંદગી
આનંદીબેનના દીકરી અનાર પટેલ સંભાળશે ખોડલધામ સંગઠનની કમાન, અધ્યક્ષ તરીકે પસંદગી
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મોટી દુર્ઘટના, સેનાનું ટ્રેઈની વિમાન ક્રેશ થયું, VIDEO
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મોટી દુર્ઘટના, સેનાનું ટ્રેઈની વિમાન ક્રેશ થયું, VIDEO
ઉત્તરાખંડમાં આગામી 5 દિવસ ભારે બરફવર્ષાની આગાહી, હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ એલર્ટ 
ઉત્તરાખંડમાં આગામી 5 દિવસ ભારે બરફવર્ષાની આગાહી, હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ એલર્ટ 
Gujarat Rain Forecast: રાજ્યના હવામાનમાં ફરી આવશે પલટો, આ તારીખથી કમોસમી વરસાદની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના હવામાનમાં ફરી આવશે પલટો, આ તારીખથી કમોસમી વરસાદની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનની કડવી દવા
Hun To Bolish : હું તો બોલીશ : ફરી ધૂણ્યું અનામતનું ભૂત
Ahmedabad Activa Stealing Case: 15 વર્ષમાં 250થી વધારે એક્ટિવાની ચોરી કરનારા રીઢા ચોર હિતેશ જૈનની પોલીસે ધરપકડ કરી
EWS Reservation: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10 ટકા EWS અનામતની માગ
PM Modi Speech: નીતિન નબીન મારા BOSS...: PM મોદી કાર્યકરોને સંબોધિત કરતી વખતે શું બોલ્યા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આનંદીબેનના દીકરી અનાર પટેલ સંભાળશે ખોડલધામ સંગઠનની કમાન, અધ્યક્ષ તરીકે પસંદગી
આનંદીબેનના દીકરી અનાર પટેલ સંભાળશે ખોડલધામ સંગઠનની કમાન, અધ્યક્ષ તરીકે પસંદગી
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મોટી દુર્ઘટના, સેનાનું ટ્રેઈની વિમાન ક્રેશ થયું, VIDEO
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મોટી દુર્ઘટના, સેનાનું ટ્રેઈની વિમાન ક્રેશ થયું, VIDEO
ઉત્તરાખંડમાં આગામી 5 દિવસ ભારે બરફવર્ષાની આગાહી, હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ એલર્ટ 
ઉત્તરાખંડમાં આગામી 5 દિવસ ભારે બરફવર્ષાની આગાહી, હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ એલર્ટ 
Gujarat Rain Forecast: રાજ્યના હવામાનમાં ફરી આવશે પલટો, આ તારીખથી કમોસમી વરસાદની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના હવામાનમાં ફરી આવશે પલટો, આ તારીખથી કમોસમી વરસાદની આગાહી
Russia Sanctions Bill:શું ભારત પર 500 ટકા ટેરિફ નહીં લાગે? અમેરિકા ટ્રેઝરી સેક્રેટરીએ કર્યો મોટો ખુલાસો
Russia Sanctions Bill:શું ભારત પર 500 ટકા ટેરિફ નહીં લાગે? અમેરિકા ટ્રેઝરી સેક્રેટરીએ કર્યો મોટો ખુલાસો
Gold Price Today: સોના-ચાંદીના ભાવમાં તેજી યથાવત, જાણો 21 જાન્યુઆરીનો ભાવ
Gold Price Today: સોના-ચાંદીના ભાવમાં તેજી યથાવત, જાણો 21 જાન્યુઆરીનો ભાવ
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
Embed widget